એપશહેર

લગ્નજીવનના 10 વર્ષ દરમિયાન પતિ જય પાસેથી શું શીખી માહી વિજ?

જય ભાનુશાળી-માહી વિજનના લગ્નને 10 વર્ષ પૂરા થયા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને તેમણે માત્ર પરિવાર સાથે સેલિબ્રેશન કર્યું હતું. આ સિવાય બંનેએ એકબીજાને ફની અંદાજમાં વિશ પણ કર્યું હતું.

TNN 12 Sep 2020, 9:51 am
ટેલિવિઝન એક્ટર્સ જય ભાનુશાળી અને માહી વિજે હાલમાં જ 10મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ટીવીના આ પાવરફુલ કપલે સેલિબ્રેશનમાં માત્ર પરિવારના નજીકના સભ્યોને જ આમંત્રિત કર્યા હતા, આ સિવાય તેમના ઘરમાં 3 નાના બાળકો હોવાથી પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. 6 મહિના સુધી ડેટિંગ કર્યા બાદ જય અને માહીએ લગ્ન કર્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની જૂની તસવીરો શેર કરીને ફની અંદાજમાં વિશ કર્યું હતું.
I am Gujarat jay bhanushali-mahi vij


View this post on Instagram A post shared by Jay Bhanushali (@ijaybhanushali) on Sep 8, 2020 at 10:47pm PDT


જયે ઘણી બધી તસવીરોનો એક વીડિયો શેર કર્યો હતો અને તેના કેપ્શનમાં લખ્યું હતું કે, '10 વર્ષની સુંદર જર્ની અને ભગવાને અમને સૌથી સુંદર ગિફ્ટ આપી @tarajaymahhi, તારાને જ્યારે હાથમાં લઉ છું અને તું મારી સાથે હોય છે ત્યારે લાગે છે કે જીવન સુંદર છે. લવ યુ માહી. ચલો આટલી સારી વાતો કરી લીધી તો હવે એક બોય્ઝ ટ્રિપ માટે પરમિશન તો આપી દે'.

View this post on Instagram A post shared by Jay Bhanushali (@ijaybhanushali) on Sep 9, 2020 at 6:18am PDT


જય ભાનુશાળી સાથે જીવનના 10 વર્ષ પસાર કરીને કેવું લાગી રહ્યું છે, તે અંગે વાત કરતાં માહીએ કહ્યું કે, 'આ સમય એવો છે જ્યાં સંબંધોને તોડી નાખવા ખૂબ સરળ થઈ ગયું છે, ત્યારે મને ગર્વ છે કે મેં જય સાથે 10 વર્ષ પૂરા કર્યા. જ્યારે હું લગ્ન કરવા જઈ રહી હતી ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય પરંતુ આ રિલેશનશિપને તૂટવા નહીં દઉ. આ સંબંધને સરળતાથી હાથમાંથી જવા નહીં દઉં. માતા-પિતા અને બાળક વચ્ચેનો સંબંધ જેમ અતૂટ હોય છે તેવો જ સંબંધ પતિ-પત્ની વચ્ચે હોવો જોઈએ. લગ્નનો અર્થ રોજ મહેનત કરવાનો છે, કેટલીક બાબતોને જતી કરવાનો છે, આપવાનો છે, કેટલીક બાબતો ભૂલી જવાનો છે અને જીવનમાં આગળ વધવાનો છે. તમારી પાસે છે તેની બીજાના રિલેશનશિપ સાથે ક્યારેય સરખામણી ન કરવી જોઈએ'.

'આપણા જીવનમાં જે પણ નવી વ્યક્તિ આવે છે તે આપણને કંઈકનું કંઈક નવું શીખવીને જાય છે. મારા જીવનમાં પણ જયના કારણે ઘણા ફેરફાર આવ્યા છે. ઘણી સારી બાબતો બની છે અને ફેરફાર થયા છે. જય સાથે લગ્ન કર્યા બાદ હું ધીરજ રાખતાં શીખી છું. મને લાગે છે કે વસ્તુ અને લોકો બાબતે હું વધારે જવાબદાર બની છું', તેમ માહીએ અંતમાં જણાવ્યું હતું.

Read Next Story