એપશહેર

Rupali Ganguly સ્ટારર Anupamaa સીરિયલમાં Neena Guptaની એન્ટ્રી થવાની હોવાની ખબર, એક્ટ્રેસે આપી પ્રતિક્રિયા

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર સીરિયલ અનુપમામાં (Anupamaa) છેલ્લા કેટલાક દિવસથી જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યા છે. અનુજના છોડીને જવાથી અનુપમા ડિપ્રેશનમાં સરી પડી છે. ત્યારે તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવા માટે નીના ગુપ્તાની (Neena Gupta) એન્ટ્રી કરાવવામાં આવશે તેવી ચર્ચા હતી. જેના પર તેમનું રિએક્શન સામે આવ્યું છે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 31 Mar 2023, 11:57 am
રાજન શાહીની સીરિયલ 'અનુપમા' (Anupamaa) છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે અને આ પાછળનું કારણ છે તેનો લેટેસ્ટ ટ્રેક. વનરાજ શાહે (Sudhanshu Pandey) અનુપમા સાથે જે કર્યું હતું તે જ વાતનું પુનરાવર્તન અનુજ કપાડિયાએ (Gaurav Khanna) પણ કર્યું. માયા છોટી અનુને લઈને જતી રહેતા અનુજ અનુપમાને (Rupali Ganguly) જવાબદાર માની રહ્યો છે અને તેનું માનવું છે કે, તે તેને રોકી શકતી હતી પરંતુ તેણે પ્રયાસ કર્યો નહીં. અનુજ ઘર છોડીને જતી રહેતા અનુપમા તેના પિયરે પહોંચી છે અને પતિએ જે પ્રકારનું વર્તન કર્યું તે માટે ડિપ્રેશનમાં છે. આગામી સમયમાં અનુપમાના માતા તેને આગળ વધવા અને જીવનમાં તેને કોઈ પુરુષની જરૂર ન હોવાનું કહેશે.
I am Gujarat Anupamaa
'અનુપમા'ના મેકર્સે સંપર્ક કર્યો હોવાની ખબર પર નીના ગુપ્તાની પ્રતિક્રિયા


ડિવોર્સ વિશે વાત કરતાં ઈમોશનલ થઈ સમંતા, પૂર્વ પતિ નાગા ચૈતન્ય વિશે કરી ચોંકાવનારી વાત!

'અનુપમા'માં થશે નીના ગુપ્તાની એન્ટ્રી?
'અનુપમા'માં જોવા મળી રહેલા ટ્વિસ્ટ & ટર્ન્સ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી તેવા રિપોર્ટ્સ હતા કે, સીરિયલમાં કેમિયો કરવા માટે નીના ગુપ્તા અને કિરણ ખેરનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેઓ એક નેતાનો રોલ પ્લે કરશે અને અનુપમાને પોતાની શરતો પર જીવન જીવવા માટે પ્રેરણા આવશે. આ બાદ તેનું જીવન બદલાઈ જશે. જો કે, આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું સામે આવ્યું છે અને 'બધાઈ હો'ના એક્ટ્રેસે જ આ વાત કહી છે. બોલિવુડ લાઈફ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ રૂપાલી ગાંગુલીના શોમાં આવવાના હોવાની વાત ખોટી છે અને આ ખબર ક્યાંથી ફેલાઈ તેની તેમને જાણ નથી.

લગ્ન બાદ બદલાઈ ગયો દલજીત કૌરનો પતિ નિખિલ પટેલ! સાવકા દીકરા પ્રત્યેના વર્તનનો થયો ખુલાસો

છોટી અનુ માટે માયા સાથે રહેશે અનુજ!
સીરિયલના હાલના એપિસોડમાં દર્શકોએ જોયું કે, અનુજે કપાડિયા મેન્શન છોડી દીધું છે અને તે હાથમાં પોતાનો સામાન લઈને નીકળી પડે છે. આ દરમિયાન રસ્તામાં માયા તેને મળે છે અને તે તેને ઘરે લઈ જાય છે. જ્યાં અનુજ અનુને જોઈને ખુશ થાય છે. પોતાની દીકરીની ભલાઈ માટે હવે તે ત્યાં જ રહેશે અને માયા તેનો લાભ ઉઠાવશે. અનુજ અને અનુપમાના માર્ગ અલગ થઈ જતાં ફેન્સ પણ મેકર્સથી નારાજ છે. તેઓ અનુજને વનરાજ 2.0 ગણાવી રહ્યા છે તેમજ કેટલાકે તો સીરિયલ જ બંધ કરવાની માગ કરી છે.

અનુજે અનુપમાના માતાને કરી આ વિનંતી
આગામી એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અનુપમાના માતા તેની સ્થિતિ જોઈને ચિંતિત જોવા મળ્યા. તેઓ પહેલા શાહ હાઉસ જાય છે જ્યાંથી કોઈ રિસ્પોન્સ ન મળતાં માયાના ઘરે પહોંચે છે. અનુજ પણ તેમને જોઈને ચોંકી જાય છે અને હાથ જોડીને તેમની દીકરીના જીવનમાંથી અનુજ નામનું પ્રકરણ ફાડી નાખવા માટે કહે છે. બીજી તરફ, અનુપમા તેના માતાના સમજાવવા પણ અનુજ સમજી જશે તેવી આશા લઈને બેઠી છે.

Read latest Entertainment News and Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story