આખરે નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ એકબીજાના થઈ ગયા છે. બોલિવુડની જાણીતી સિંગર નેહા કક્કરે પંજાબી સિંગર રોહનપ્રીત સાથે લગ્ન કરી લીધા છે. કપલે પરિવારની હાજરીમાં દિલ્હીમાં લગ્ન કર્યા છે. શનિવારે યોજાયેલા નેહા અને રોહનપ્રીતના લગ્નનો પહેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેહા અને રોહનપ્રીતે પરિવારની હાજરીમાં આનંદ કારજ કર્યા છે. લગ્નના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં બંનેની જોડી સુંદર લાગી રહી છે.
વિડીયોમાં જોઈ શકાય છે નેહા અને રોહનપ્રીતના કપડાં મેચિંગ છે. હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીની જેમ કપલે લગ્નમાં પણ મેચિંગ કપડાં પહેર્યા છે. રોહનપ્રીતે પીચ રંગની શેરવાની જ્યારે નેહાએ પીચ રંગનો લહેંગો પહેર્યો છે. નેહાએ લહેંગા સાથે હેવી નેકલેસ, ઝુમકા અને ટીકો પહેર્યો છે. હાથમાં લાલચૂડો શોભી રહ્યો છે. દુલ્હનના લૂકમાં નેહા એકદમ સુંદર લાગી રહી છે. જણાવી દઈએ કે, નેહા અને રોહનપ્રીતે શીખ વિધિથી લગ્ન કર્યા છે, જેને આનંદ કારજ કહેવાય છે. આનંદ કારજ વિધિ હિંદુ લગ્નથી અલગ હોય છે.
આનંદ કારજ શું હોય છે?
આનંદ કારજનો અર્થ થાય છે ખુશીનું કાર્ય. શીખ ગુરુઓ અનુસાર પારિવારિક જીવન અત્યંત મહત્વનું છે, માટે જ લગ્નને શુભ કાર્ય માનવામાં આવે છે. લગ્નમાં વરને ગ્રંથ સાહેબ સામે બેસાડવામાં આવે છે અને વધૂ આવીને વરની ડાબી બાજુ બેસે છે. પછી ઈશ્વરની પ્રાર્થના કરવામાં આવે છે અને વર-વધૂને આશીર્વાદ આપવામાં આવે છે. ત્યારબાદ જે શીખ સંત લગ્ન કરાવી રહ્યા હોય તે યુગલને લગ્ન, તેના કર્તવ્યો અને જવાબદારીઓને નિભાવવા અંગેનું જ્ઞાન આપે છે. આ દરમિયાન પિતા પાઘડીનો એક છેડો દુલ્હનના ખભા પર મૂકે છે અને બીજો છેડો વરરાજાના હાથમાં આપે છે. પછી બંને જણા ગુરુ ગ્રંથ સાહેબની આસપાસ ચાર ફેરા ફરે છે, જેને ‘લવણ’, ‘લાવા’ કે ‘ફેરા’ કહેવાય છે.
આનંદ કારજમાં 4 ફેરા હોય છે
હિંદૂ લગ્નોમાં 7 ફેરા ફરવાનો રિવાજ છે જ્યારે આનંદ કારજમાં 4 ફેરા એટલે કે લવણ લેવાય છે. પ્રથમ ફેરામાં નામ લઈને સતકર્મની શિખામણ અપાય છે. બીજા લાવામાં સાચ્ચા ગુરુને પામવાનો માર્ગ બતાવાય છે, જેથી દંપતી વચ્ચે અહંકાર ન આવે. ત્રીજા લાવામાં સંગત સાથે ગુરુવાણી બોલવાની શિખામણ અપાય છે. ચોથા અને અંતિમ ફેરામાં મનની શાંતિ અને ગુરુને પામવા માટે શબ્દો કહેવાય છે.
લગ્નની આગલી સાંજે નેહા અને રોહનપ્રીતે સગાઈ પણ કરી હતી. જેનો વિડીયો સામે આવ્યો છે. નેહાએ વિંટી પહેરાવી ત્યારે રોહનપ્રીત ઘૂંટણિયે બેસી ગયો હતો. આ સિવાય કપલ ખૂબ ડાન્સ પણ કર્યો હતો. નેહા અને રોહનપ્રીતની સંગીત તેમજ સગાઈના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જણાવી દઈએ કે, કોરોના કાળમાં બોલિવુડના કદાચ આ પહેલા લગ્ન છે જે આટલી ધામધૂમથી થયા છે.
વિડીયોમાં જોઈ શકાય છે નેહા અને રોહનપ્રીતના કપડાં મેચિંગ છે. હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીની જેમ કપલે લગ્નમાં પણ મેચિંગ કપડાં પહેર્યા છે. રોહનપ્રીતે પીચ રંગની શેરવાની જ્યારે નેહાએ પીચ રંગનો લહેંગો પહેર્યો છે. નેહાએ લહેંગા સાથે હેવી નેકલેસ, ઝુમકા અને ટીકો પહેર્યો છે. હાથમાં લાલચૂડો શોભી રહ્યો છે. દુલ્હનના લૂકમાં નેહા એકદમ સુંદર લાગી રહી છે. જણાવી દઈએ કે, નેહા અને રોહનપ્રીતે શીખ વિધિથી લગ્ન કર્યા છે, જેને આનંદ કારજ કહેવાય છે. આનંદ કારજ વિધિ હિંદુ લગ્નથી અલગ હોય છે.
આનંદ કારજ શું હોય છે?
આનંદ કારજનો અર્થ થાય છે ખુશીનું કાર્ય. શીખ ગુરુઓ અનુસાર પારિવારિક જીવન અત્યંત મહત્વનું છે, માટે જ લગ્નને શુભ કાર્ય માનવામાં આવે છે. લગ્નમાં વરને ગ્રંથ સાહેબ સામે બેસાડવામાં આવે છે અને વધૂ આવીને વરની ડાબી બાજુ બેસે છે. પછી ઈશ્વરની પ્રાર્થના કરવામાં આવે છે અને વર-વધૂને આશીર્વાદ આપવામાં આવે છે. ત્યારબાદ જે શીખ સંત લગ્ન કરાવી રહ્યા હોય તે યુગલને લગ્ન, તેના કર્તવ્યો અને જવાબદારીઓને નિભાવવા અંગેનું જ્ઞાન આપે છે. આ દરમિયાન પિતા પાઘડીનો એક છેડો દુલ્હનના ખભા પર મૂકે છે અને બીજો છેડો વરરાજાના હાથમાં આપે છે. પછી બંને જણા ગુરુ ગ્રંથ સાહેબની આસપાસ ચાર ફેરા ફરે છે, જેને ‘લવણ’, ‘લાવા’ કે ‘ફેરા’ કહેવાય છે.
આનંદ કારજમાં 4 ફેરા હોય છે
હિંદૂ લગ્નોમાં 7 ફેરા ફરવાનો રિવાજ છે જ્યારે આનંદ કારજમાં 4 ફેરા એટલે કે લવણ લેવાય છે. પ્રથમ ફેરામાં નામ લઈને સતકર્મની શિખામણ અપાય છે. બીજા લાવામાં સાચ્ચા ગુરુને પામવાનો માર્ગ બતાવાય છે, જેથી દંપતી વચ્ચે અહંકાર ન આવે. ત્રીજા લાવામાં સંગત સાથે ગુરુવાણી બોલવાની શિખામણ અપાય છે. ચોથા અને અંતિમ ફેરામાં મનની શાંતિ અને ગુરુને પામવા માટે શબ્દો કહેવાય છે.
લગ્નની આગલી સાંજે નેહા અને રોહનપ્રીતે સગાઈ પણ કરી હતી. જેનો વિડીયો સામે આવ્યો છે. નેહાએ વિંટી પહેરાવી ત્યારે રોહનપ્રીત ઘૂંટણિયે બેસી ગયો હતો. આ સિવાય કપલ ખૂબ ડાન્સ પણ કર્યો હતો. નેહા અને રોહનપ્રીતની સંગીત તેમજ સગાઈના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જણાવી દઈએ કે, કોરોના કાળમાં બોલિવુડના કદાચ આ પહેલા લગ્ન છે જે આટલી ધામધૂમથી થયા છે.