એપશહેર

લગ્નના ફંક્શન વખતે ભાવુક થયો હતો આદિત્ય નારાયણ, કારણનો પોતે કર્યો ખુલાસો

આદિત્ય નારાયણ અને શ્વેતાએ 1 ડિસેમ્બરના રોજ મંદિરમાં લગ્ન કર્યા હતા. માત્ર ગણતરીના મહેમાનોની વચ્ચે જ લગ્ન સંપન્ન થયા હતા.

I am Gujarat 7 Dec 2020, 12:43 pm
બોલિવુડના દિગ્ગજ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણે 1 ડિસેમ્બરના રોજ લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા છે. નારાયણ પરિવાર માટે આ તારીખ ડબલ સેલિબ્રેશનનો પ્રસંગ બની રહેશે કારણકે 1 ડિસેમ્બરે ઉદિત નારાયણનો જન્મદિવસ પણ આવે છે. આદિત્ય નારાયણ અને શ્વેતાના લગ્ન મંદિરમાં થયા હતા. રિસેપ્શનમાં પણ માત્ર 150 લોકો જ હાજર હતા. હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે જણાવ્યું છે કે, લગ્નના ફંક્શનો દરમિયાન તે ઈમોશનલ થઈ ગયો હતો.
I am Gujarat aditya shweta n1

View this post on Instagram A post shared by Aditya Narayan💕 (@adityanarayanki_crazyfan_madhu)


આદિત્યએ કહ્યું, "લગ્નના ફંક્શનનોની તૈયારી પાછળ અઠવાડિયાઓની મહેનત હતી. હું મારા મિત્રો અને મારા પિતાના મિત્રોનો આભાર માનવા માગુ છું કે તેઓ ઓછામાં ઓછા એક ફંક્શનમાં હાજર રહ્યા. મારા બાળપણના મિત્રો અને હું જેમના પર વિશ્વાસ રાખું છું તે સૌ મારી ખુશીની ક્ષણે સાથે હતા. દરેક ઈવેન્ટમાં 50 લોકોની હાજરીનો નિયમ ના તૂટે એ પ્રમાણે અમે મહેમાનોની યાદી બનાવી હતી. રિસેપ્શનની સાથે સંગીતનું પણ આયોજન કર્યું હતું. 7થી 11 વાગ્યા સુધી રિસેપ્શન અને એ પછી સંગીત હતું. અમે જેવું ધાર્યું હતું એ પ્રમાણે જ બધું થયું."
View this post on Instagram A post shared by Aditya Narayan fan❤️ (@adiholic_aj)


આદિત્યએ આગળ કહ્યું, "જ્યારે બધાના એક પછી એક ડાન્સ પર્ફોર્મન્સ આવવા લાગ્યા ત્યારે હું ખૂબ ઈમોશનલ થયો હતો. મારી આસપાસના લોકોએ સુનિશ્ચિત કર્યું હતું કે હું એકપણ ડાન્સના રિહર્સલ ના જોઉં. માટે જ જ્યારે બધાએ પર્ફોર્મન્સ આપ્યું ત્યારે એ મારા માટે એક કલાક લાંબી સરપ્રાઈઝ બની ગઈ હતી. મારી પત્નીએ પર્ફોર્મન્સ માટે ડાન્સ તૈયાર કર્યો હતો. મારા પેરેન્ટ્સે પણ ડાન્સ કર્યો. હે ભગવાન! આ બધું જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા હતા. પરંતુ મેં મારી લાગણીઓ કોઈને કળવા ના દીધી."
આદિત્યને પરણાવ્યા બાદ ઉદિત નારાયણને છે વસવસો, પુત્રવધૂ શ્વેતા વિશે પણ કરી વાત

View this post on Instagram A post shared by Aditya Narayan fan❤️ (@adiholic_aj)


ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ શ્વેતા અને આદિત્યએ લગ્ન કર્યા છે. આદિત્ય અને શ્વેતા બંને ઈચ્છતા હતા કે ઓછા મહેમાનોની હાજરીમાં તેમના લગ્ન થાય. કોવિડ મહામારીના કારણે તેમની ઈચ્છા એક રીતે પૂરી પણ થઈ છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. શ્વેતા અને આદિત્યના રિસેપ્શનમાં ગોવિંદા, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા જેવા મનોરંજન જગતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો