એપશહેર

પાકિસ્તાનના કોમેડિયન ઉમર શરીફનું નિધન, ભારતીય કોમેડી શોમાં પણ લીધો હતો ભાગ

પાકિસ્તાનના દિગ્ગજ કોમેડિયન ઉમર શરીફનું નિધન, કપિલ શર્માએ પાઠવી શ્રદ્ધાંજલિ

I am Gujarat 2 Oct 2021, 6:43 pm
પાકિસ્તાનના દિગ્ગજ કોમેડિયન અને ટીવી પર્સનાલિટી ઉમર શરીફનું જર્મનીમાં નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા અને ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. પાકિસ્તાનની આર્ટ્સ કાઉન્સિલના પ્રમુખ અહમદ શાહે ઉમર શરીફના નિધનની પુષ્ટી કરી છે. ઉમર શરીફ ભારતીય ટીવી પર પણ કોમેડી શોમાં જોવા મળ્યા હતા.
I am Gujarat umer sharif


ભારતીય કોમેડી સ્ટાર કપિલ શર્માએ પણ ઉમર શરીફને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કપિલ શર્માએ ઉમર શરીફની તસ્વીર શેર કરતા લખ્યું છે કે, અલવિદા લિજેન્ડ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. જર્મનીમાં પાકિસ્તાનના એમ્બેસેડર મોહમ્મદ ફૈઝલે પણ ઉમર શરીફના નિધન અંગે ટ્વિટ કરી છે. તેમણે ટ્વિટ કરી હતી કે, ઘણા દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે મિસ્ટર ઉમર શરીફનું જર્મનીમાં નિધન થયું છે. તેમના પરિવાર અને મિત્રોને સાંત્વના પાઠવું છું.
28 સપ્ટેમ્બરે ઉમર શરીફની તબીયત ખરાબ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે, તેમની તબીયત સુધરવાના બદલે વધારે બગડતી ગઈ હતી. ઉમર શરીફની તબીયતને લઈને પાકિસ્તાનીઓ ત્યારે પરેશાન થઈ ગયા હતા જ્યારે તેમણે વડાપ્રધાન ઈમરાન ખાન પાસે વિદેશ જઈને સારવાર કરાવવા માટે એક વિડીયો દ્વારા વીઝા આપવાની અપીલ કરી હતી.

ઉમર શરીફને ઓગસ્ટમાં હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મિત્ર પરવેઝ કૈફીના જણાવ્યા પ્રમાણે તેમની બે બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. ઉમર શરીફ પાકિસ્તાની સિનેમાના શ્રેષ્ઠ કોમેડિયન, એક્ટર અને પ્રોડ્યુસર હતા. સિનેમામાં પોતાના લાજવાબ કામ માટે તેમને તમગા-એ-ઈમ્તિયાઝ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ઉમર શરીફે ભારતીય ટીવી પર ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ શોમાં ભાગ લીધો હતો. આ શો જજ તરીકે નવજોત સિંહ સિદ્ધુ અને અભિનેતા શેખર સુમન હતા. ભારતમાં પણ તેમના ચાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં હતી. આ કાર્યક્રમ દ્વારા તેઓ ભારતમાં પણ ઘણા લોકપ્રિય બન્યા હતા.

Read Next Story