ટેલિવુડની વધુ એક એક્ટ્રેસ મા બનવાની છે. સીરિયલ 'પંડ્યા સ્ટોર'માં જોવા મળેલી એક્ટ્રેસ શ્રષ્ટિ મહેશ્વરી (Shrashti Maheshwari) અને તેનો પતિ કરણ વૈદ્ય (Karan Vaidya) પેરેન્ટ્સ બનવાના છે. ટેક્ એન્જિનિયર કરણ વૈદ્ય સાથે શ્રષ્ટિએ ગયા વર્ષે 19 જૂને લગ્ન કર્યા હતા. કપલે તેમના હોમટાઉન જયપુરમાં લગ્ન કર્યા હતા. છેલ્લે સીરિયલ 'મેડમ સર'માં જોવા મળેલી શ્રષ્ટિ મા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
મા બનવા માટે ઉત્સાહિત છે શ્રષ્ટિ
અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રષ્ટિએ કહ્યું, "અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. મારા પતિની ઓફિસ બેંગાલુરુમાં છે પરંતુ તે મુંબઈથી કામ કરી રહ્યો છે કારણકે મારે હાલ તેની જરૂર છે. છેલ્લા થોડા મહિનામાં જિંદગી એકદમ જ બદલાઈ ગઈ છે. હું યોગ કરી રહી છું અને મારું વિશેષ ધ્યાન રાખી રહી છું."
લગ્ન પછી તરત મા બનવાની હતી ઈચ્છા
શ્રષ્ટિની મમ્મી પણ યુવાન વયે જ માતા બની હતી ત્યારે આ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, "મને આનંદ છે કે લગ્ન પછી તરત જ હું માતૃત્વ ધારણ કરી શકી કારણકે મારી મમ્મીએ પણ નાની વયે જ મને અને મારી બહેનને જન્મ આપ્યો હતો. અમે જ્યારે અમારા જૂના ફેમિલી ફોટોઝ જોઈએ ત્યારે યુવાન વયની મારી મમ્મીના ખોળામાં મને અને મારી બહેનને જોઈને ખૂબ ખુશી થાય છે. મારું સપનું પણ હતું કે લગ્ન પછી તરત જ મા બની જઉં અને ઈશ્વરની કૃપાથી તે સાકાર થયું છે."
ફૂડ ક્રેવિંગ્સ વિશે જણાવ્યું
પોતાની ફૂડ ક્રેવિંગ્સ વિશે વાત કરતાં શ્રષ્ટિએ કહ્યું, "મારા પિતા ડૉક્ટર છે એટલે અમે બાળપણથી જ હેલ્ધી ખાવાનું ખાધું છે. અમે ભાગ્યે જ જંકફૂડ ખાઈએ છીએ. પરંતુ છેલ્લા થોડા મહિનાથી હું વિવિધ પ્રકારનું ભોજન આરોગું છું અને મોડી રાત્રે પણ ખાઉં છું. મારા પતિ પણ સુનિશ્ચિત કરે છે કે હું જે માગુ તે લાવી આપે. મને જે પણ કસરત કરવાની ડૉક્ટરે મંજૂરી આપી છે તે હું કરું છું."
કામ કરવાનું ચાલુ રાખવા માગે છે
'પંડ્યા સ્ટોર'માં નેગેટિવ રોલ કરનારી શ્રષ્ટિ કામ ચાલુ રાખવા માગે છે. તેણે કહ્યું, "ડૉક્ટરે મને માર્ચ સુધી કામ કરવાની છૂટ આપી છે અને હું કરવા માગુ છું. મારા બાળકનો જન્મ થાય પછી પણ મને નથી લાગતું કે હું કામથી દૂર રહીશ કારણકે કરણ ખૂબ સપોર્ટિવ પતિ છે."
'લાગણીઓ શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ'
શ્રષ્ટિ અત્યારે ઢગલાબંધ લાગણીઓ એકસાથે અનુભવી રહી છે અને તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ લાગે છે. તેણે કહ્યું, "માતૃત્વની લાગણી જ અલહ છે. હું ખૂબ ઉત્સાહિત છું પણ તેને વ્યક્ત નથી કરી શકતી. મારી અંદર કેટલીય લાગણીઓ વહી રહી છે પરંતુ તેને શબ્દોમાં નથી જણાવી શકતી. મને ખુશી છે કે મને કરણ જેવો પતિ મળ્યો છે અને અમે અમારી જિંદગીમાં નવું પ્રકરણ શરૂ કરવા આતુર છીએ."
મા બનવા માટે ઉત્સાહિત છે શ્રષ્ટિ
અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રષ્ટિએ કહ્યું, "અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. મારા પતિની ઓફિસ બેંગાલુરુમાં છે પરંતુ તે મુંબઈથી કામ કરી રહ્યો છે કારણકે મારે હાલ તેની જરૂર છે. છેલ્લા થોડા મહિનામાં જિંદગી એકદમ જ બદલાઈ ગઈ છે. હું યોગ કરી રહી છું અને મારું વિશેષ ધ્યાન રાખી રહી છું."
લગ્ન પછી તરત મા બનવાની હતી ઈચ્છા
શ્રષ્ટિની મમ્મી પણ યુવાન વયે જ માતા બની હતી ત્યારે આ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, "મને આનંદ છે કે લગ્ન પછી તરત જ હું માતૃત્વ ધારણ કરી શકી કારણકે મારી મમ્મીએ પણ નાની વયે જ મને અને મારી બહેનને જન્મ આપ્યો હતો. અમે જ્યારે અમારા જૂના ફેમિલી ફોટોઝ જોઈએ ત્યારે યુવાન વયની મારી મમ્મીના ખોળામાં મને અને મારી બહેનને જોઈને ખૂબ ખુશી થાય છે. મારું સપનું પણ હતું કે લગ્ન પછી તરત જ મા બની જઉં અને ઈશ્વરની કૃપાથી તે સાકાર થયું છે."
ફૂડ ક્રેવિંગ્સ વિશે જણાવ્યું
પોતાની ફૂડ ક્રેવિંગ્સ વિશે વાત કરતાં શ્રષ્ટિએ કહ્યું, "મારા પિતા ડૉક્ટર છે એટલે અમે બાળપણથી જ હેલ્ધી ખાવાનું ખાધું છે. અમે ભાગ્યે જ જંકફૂડ ખાઈએ છીએ. પરંતુ છેલ્લા થોડા મહિનાથી હું વિવિધ પ્રકારનું ભોજન આરોગું છું અને મોડી રાત્રે પણ ખાઉં છું. મારા પતિ પણ સુનિશ્ચિત કરે છે કે હું જે માગુ તે લાવી આપે. મને જે પણ કસરત કરવાની ડૉક્ટરે મંજૂરી આપી છે તે હું કરું છું."
કામ કરવાનું ચાલુ રાખવા માગે છે
'પંડ્યા સ્ટોર'માં નેગેટિવ રોલ કરનારી શ્રષ્ટિ કામ ચાલુ રાખવા માગે છે. તેણે કહ્યું, "ડૉક્ટરે મને માર્ચ સુધી કામ કરવાની છૂટ આપી છે અને હું કરવા માગુ છું. મારા બાળકનો જન્મ થાય પછી પણ મને નથી લાગતું કે હું કામથી દૂર રહીશ કારણકે કરણ ખૂબ સપોર્ટિવ પતિ છે."
'લાગણીઓ શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ'
શ્રષ્ટિ અત્યારે ઢગલાબંધ લાગણીઓ એકસાથે અનુભવી રહી છે અને તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ લાગે છે. તેણે કહ્યું, "માતૃત્વની લાગણી જ અલહ છે. હું ખૂબ ઉત્સાહિત છું પણ તેને વ્યક્ત નથી કરી શકતી. મારી અંદર કેટલીય લાગણીઓ વહી રહી છે પરંતુ તેને શબ્દોમાં નથી જણાવી શકતી. મને ખુશી છે કે મને કરણ જેવો પતિ મળ્યો છે અને અમે અમારી જિંદગીમાં નવું પ્રકરણ શરૂ કરવા આતુર છીએ."