એપશહેર

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં થશે ‘પાપડ પોળ’ ફેમ અમિ ત્રિવેદીની એન્ટ્રી, મળ્યો ખાસ રોલ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જોવા મળશે અનેક નવા ચહેરા! ‘અનુપમા’ બનતા બનતા રહી ગયેલી અમિ ત્રિવેદીને મેકર્સે અહીં ઓડિશન વગર જ રોલ આપી દીધો.

I am Gujarat 25 Oct 2021, 9:26 am

હાઈલાઈટ્સ:

  • યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં હવે જોવા મળશે ત્રીજી પેઢીની સ્ટોરી.
  • અભિમન્યુ એટલે હર્ષદ ચોપરાના માતાના રોલમાં જોવા મળશે અમિ.
  • અનુપમાના રોલ માટે અમિ ત્રિવેદી અને રુપાલી વચ્ચે ટક્કર હતી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat yrkkh
ટીવીની લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં હવે ત્રીજી પેઢીની સ્ટોરી શરુ થવાની છે. ટુંક જ સમયમાં સીરિયલનો ટ્રેક બદલાઈ જવાનો છે. મોહસિન ખાન અને શિવાંજી જોશીએ શૉ છોડી દીધો છે અને હવે નવી કાસ્ટ જોવા મળવાની છે. મોહસિન અને શિવાંગીએ શૉ છોડી દીધો તો ફેન્સ ઘણાં નિરાશ થયા છે. લોકોને મોહસિન અને શિવાંગીની જોડી ખૂબ પસંદ આવતી હતી. લોકો કાર્તિક-નાયરા અને કાર્તિક-સીરતની જોડીના ફેન હતા. પરંતુ હવે શમાં અભિમન્યુના રોલમાં હર્શદ ચોપરા, અક્ષરાના રોલમાં પ્રણાલી રાઠોડ અને આરોહીના રોલમાં કરિશ્મા સાવંત જોવા મળશે. આ સિવાય નાયરા અને કાર્તિકના દીકરા કાયરવના રોલમાં મયંક અરોરા જોવા મળશે.
એક રિપોર્ટ અનુસાર, પાપડ પોળ ફેમ અભિનેત્રી અમિ ત્રિવેદી અભિમન્યુ એટલે કે હર્ષદ ચોપરાના માતાના રોલમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરિયલમાં અમિ અને હર્ષદ વચ્ચે રસપ્રદ કેમિસ્ટ્રી બતાવવામાં આવશે, જે જોવાની દર્શકોને મજા પણ પડશે અને તેમના માટે તે એક સરપ્રાઈઝ પણ હશે. અમિ ત્રિવેદીની વાત કરીએ તો તેમણે પાપડ પોળ સિવાય અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું છે. રસપ્રદ બાબત એ છે કે લોકપ્રિય સીરિયલ અનુપમા માટે અમિની પસંદગી કરવામાં આવી હતી.

એક બાજુ બાળપણનો મિત્ર બીજી બાજુ NCB, ‘આગળ કુવો પાછળ ખાઈ’ની સ્થિતિમાં અનન્યા!
અનુપમાનો રોલ કરવા માટે અમિ અને રુપાલી ગાંગુલી વચ્ચે કોમ્પિટિશન હતી. સૂત્રના જણાવ્યા અનુસાર, અમિ ત્રિવેદીએ અનુપમા માટે આપેલા મોક શૂટથી પ્રોડ્યુસર રાજન શાહી ઘણાં ઈમ્પ્રેસ થયા હતા અને તેમણે અમિને કહ્યુ હતું કે, જ્યારે પણ તેમને એવો કોઈ રોલ મળશે જે અમિની પર્સનાલિટી સાથે મેચ થતો હશે તો તે ચોક્કસપણે તેને ઓફર મોકલશે. માટે હવે જ્યારે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માટે નવી કાસ્ટ લેવામાં આવી તો અમિને આ રોલ ઓફર કરવામાં આવ્યો અને ઓડિશન પણ નથી લેવામાં આવ્યું.

ઠગ સુકેશ ચંદ્રશેખરને ડેટ કરતી હતી જેક્લીન? અભિનેત્રીએ અટકળો પર ખુલાસો કર્યો
અક્ષરા અને આરોહીનો રોલ કરનારી અભિનેત્રીઓ પ્રણાલી અને કરિશ્મા આ પ્રોજેક્ટ મળવાને કારણે ઘણાં ખુશ છે. આટલી લોકપ્રિય સીરિયલથી પોતાના કરિયરની શરુઆત થતી હોવાને કારણે તેઓ ઘણાં ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે શૉમાં અક્ષરા અને કાયરવ નાયરા અને કાર્તિકના બાળકો છે જ્યારે આરોહી સીરત અને કાર્તિકની દીકરી છે. અભિમન્યુ તેમના જીવનમાં આવશે પછી સંબંધો કઈ રીતે બદલાય છે તે જોવું રસપ્રદ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે હવે લવ ટ્રાયન્ગલનો ટ્રેક જોવા મળશે.

Read Next Story