એપશહેર

Anupamaa સીરિયલમાંથી બહાર થયાના એક મહિના બાદ Paras Kalnawatએ શું કહ્યું? કો-એક્ટર્સ વિશે પણ કરી વાત

પારસ કલનાવત (Paras Kalnawat) 'અનુપમા'માંથી (Anupamaa) બહાર થયો તેને એક મહિનો થઈ ગયો છે. શો છોડવો તે તેના માટે એટલો કપરો નહોતો. આ વાત તેણે પોતે કહી છે. તેણે કહ્યું હતું કે 'જીવનમમાં જે થાય છે તે હંમેશા સારા માટે થાય છે'. તે ખૂબ જલ્દી 'ઝલક દિખલા જા 10'માં જોવા મળશે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 30 Aug 2022, 11:06 am

હાઈલાઈટ્સ:

  • સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'માં કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લેશે પારસ કલનાવત
  • નિધિ શાહ, મુસ્કાન બામણે, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સાથે કોન્ટેક્ટમાં છે પારસ કલનાવત
  • પારસ કલનાવતે 'અનુપમા' સીરિયલમાં કામ કરવાને ખરાબ સપનું ગણાવ્યું હતું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat paras kalnawat
પારસ કલનાવતે 'અનુપમા' સીરિયલ છોડવા વિશે કરી વાત
પોપ્યુલર સીરિયલ 'અનુપમા'માંથી (Anupamaa) 'સમર'ના પાત્રમાં જોવા મળેલા પારસ કલનાવતની (Paras Kalnawat) ગયા મહિને રાતોરાત હકાલપટ્ટી થતાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. એક્ટર હાલ સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10' (Jhalak Dikhhla Jaa 10) માટેની પ્રેક્ટિસમાં લાગેલો છે, જે આવતા મહિનાથી ઓન-એર થવાનો છે. પાંચ વર્ષ ટીવી પર આ ડાન્સ શો કમબેક કરી રહ્યો છે, જેને માધુરી દીક્ષિત, કરણ જોહર અને નોરા ફતેહી જજ કરતાં દેખાશે જ્યારે મનીષ પૌલ હોસ્ટ છે. હાલમાં જ એક એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં એક્ટરે શોને સૌથી મોટો ડાન્સ રિયાલિટી શો ગણાવ્યો હતો અને આ જ વાતે તેને ભાગ લેવા માટે પ્રેરિત કર્યો હોવાનું કહ્યું હતું.
પ્રેગ્નેન્ટ છે સીરિયલ 'કુંડલી ભાગ્ય'ની 'પ્રીતા'! ગયા વર્ષે બોયફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન

'અનુપમા' સીરિયલ છોડવી મુશ્કેલ નહોતું: પારસ કલનાવત
શું 'અનુપમા' શો છોડવો અઘરો હતો? તેનો જવાબ પિંકવિલાને આપતાં તેણે કહ્યું હતું કે 'ખરેખર તો ના, કારણ કે આ મેં મારા માટે પસંદ કર્યું છે. જીવનમાં જે પણ થાય છે સારા માટે થાય છે અને હું આ સુંદર જર્ની શરૂ થવા તરફ જોઈ રહ્યો છું'. આ સાથે તેણે તે કો-સ્ટાર્સ નિધિ શાહ (કિંજલ), મુસ્કાન બામણે (પાખી), સુધાંશુ પાંડે (વનરાજ શાહ) અને મદાલસા શર્મા (કાવ્યા) સાથે પણ સંપર્કમાં હોવાનું કહ્યું હતું.

વધુ એક એક્ટ્રેસ છોડી રહી છે 'અનુપમા' શો! હાલમાં બહાર થયેલા પારસ કલનાવતની છે ખાસ ફ્રેન્ડ

ગયા મહિને પારસ કલનાવતને કરાયો હતો બહાર
ગયા મહિનાના અંતમાં પારસ કલનાવતની 'અનુપમા'માંથી છુટ્ટી થઈ હતી અને એક વર્ષ પહેલા જ પ્રોડક્શન હાઉસે તેનો કોન્ટ્રાક્ટ ખતમ કર્યો હતો. એક્ટરે 'ઝલક દિખલા જા 10'માં ભાગ લેતા પહેલા પરવાનગી ન લીધી હોવાનું બહાનું મેકર્સે હાથ ધર્યું હતું. ત્યારબાદ પારસે શોમાં કામ કરવાને ખરાબ સપનું ગણાવ્યું હતું અને તેની વિરુદ્ધ કાવતરું ઘડાયું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેણે તેમ પણ કહ્યું હતું કે, છ મહિનાથી એમ પણ શોમાં તેની પાસે કરવા માટે કંઈ નહોતું. તેને માત્ર પરિવારના સભ્ય તરીકે બેકગ્રાઉન્ડમાં ઉભા રહેવાનું હતું. કો-એક્ટ્રેસ અનઘા ભોસલેના (નંદિની) ગયા બાદ તો તેને ભાગ્યે જ કંઈક કરવાનું આવતું હતું. આ વિશે તેણે પ્રોડક્શન હાઉસ સાથે પણ વાત કરી હતી.

રૂપાલી ગાંગુલી પર આડકતરો કટાક્ષપારસ કલનાવતે એક ઈન્ટરવ્યૂમાં રૂપાલી ગાંગુલી પર આડકતરી રીતે કટાક્ષ કરતાં, ઓનસ્ક્રીન માતા-પિતા રિયલ માતા-પિતાની જગ્યા લઈ શકે નહીં તેમ કહ્યું હતું. તેનું કહેવું હતું કે, જ્યારે શોમાંથી બહાર કરાયો ત્યારે અમુક જ કો-એક્ટર્સે તેને ફોન કર્યો હતો. જ્યારે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાએ ફોન કરવાની પણ તસ્દી લીધી નહોતી.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story