એપશહેર

'કસૌટી...'ને અલવિદા નહીં કહે પાર્થ સમથાન, એક્ટરની આ માગણીઓ મેકર્સે સ્વીકારી

પાર્થ સમથાનને મનાવવામાં આખરે એકતા કપૂર સફળ રહી છે. એટલે કે 'કસૌટી જિંદગી કી 2'માં અનુરાગ બાસુનો રોલ પાર્થ જ પ્લે કરશે. આ સિવાય તેણે મૂકેલી કેટલીક માગણીઓ પણ મેકર્સે સ્વીકારી છે.

TNN 2 Sep 2020, 10:17 am
'કસૌટી જિંદગી કી 2'નો અનુરાગ બાસુ એટલે કે પાર્થ સમથાન શો છોડી રહ્યો છે કે કેમ તે અંગેના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. સીરિયલના મેકર્સ તેને મનાવવામાં સફળ રહ્યા છે. તેનો અર્થ એ છે કે, પાર્થ સમથાન શો છોડશે નહીં.
I am Gujarat KASAUTI ZINDAGI KAY


'આ બાબતમાં થોડો સમય લાગ્યો કારણ કે પ્રોડ્યૂસર એકતા ગણેશ ચતુર્થીના પર્વને લઈને વ્યસ્ત હતી. પાર્થ સાથે વાતચીત ચાલુ હતી, જે આખરે પૂરી થઈ છે. બધું આખરે પાર પડ્યું છે. મેકર્સ ફીમાં વધારો કરવા સહિતની પાર્થ સમથાનની માગણીઓ પર સંમત થયા છે. એક્ટરે બીજી એવી માગણી કરી હતી કે, સીરિયલમાં તેના પર ફોકસ કરવામાં આવે જે માટે મેકર્સે હા પાડી છે. શોનો ટ્રેક હવે પાર્થ સમથાન, એરિકા ફર્નાન્ડિસ અને તેની ઓનસ્ક્રીન દીકરી પર જ ફોકસ કરશે. જો કે, કરણ પટેલ અને આમના શરીફ પણ શોનો મહત્વનો ભાગ રહેશે', તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી એવા પણ ન્યૂઝ છે કે, સીરિયલનો સમય બદલાઈ જશે. 'સીરિયલનો સ્લોટ ટાઈમ મોડો કરવામાં આવશે અથવા તો થોડો વહેલો કરી દેવાશે. આ વચ્ચે સાથ નિભાના સાથિયા 2 આ ટાઈમ સ્લોટમાં પ્રસારિત કરવામાં આવશે', તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

'રસોડે મેં કૌન થા?' વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયાં બાદ સાથ નિભાના સાથિયા સીરિયલ ચર્ચામાં આવી છે. જે બાદ હાલમાં તેની બીજી સીઝનની પણ જાહેરાત કરવામાં આવી છે અને તેનુ ટીઝર 'ગોપી વહુ' દેવોલીના ભટ્ટાચાર્જીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.

આ પણ જુઓઃ આલિયા ભટ્ટ BF vs રણબીર કપૂર GF લિસ્ટ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો