'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરાના (શિવાંગી જોશી) મોત બાદ કાર્તિકનું (મોહસિન ખાન) જીવન નવો વળાંક લેશે. ચેનલે શેર કરેલા પ્રોમોમાં શિવાંગી જોશી બોક્સરના નવા અવતારમાં જોવા મળી રહી છે. કાર્તિકના જીવનમાં તેની એન્ટ્રી થવાની છે, પરંતુ તેમા થોડો સમય લાગશે.
લેટેસ્ટ ડેવલપમેન્ટ પ્રમાણે, એક્ટ્રેસ પ્રિયંવદા કાંત શોમાં કાર્તિકની લવ ઈન્ટરસ્ટ તરીકે જોવા મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'હવેની સ્ટોરીમાં કાર્તિક ફરીથી નાયરા જેવી દેખાતી છોકરીના પ્રેમમાં પડવાનો છે. પરંતુ તેમા થોડો ટ્વિસ્ટ અને ટર્ન્સ લાવવા માટે મેકર્સે પ્રિયંવદા કાંતને મોહસિન ખાનની ઓપોઝિટમાં કાસ્ટ કરવાનું નક્કી કર્યું છે'.
પ્રિયંવદા કાંત છેલ્લે 'નાગિન 5'માં કેમિયો કરતી જોવા મળી હતી. આ શોમાં તેને શરદ મલ્હોત્રાની સામે રોમાન્ટિક રોલ આપવામાં આવ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, 'પ્રિયંવદાનું કેરેક્ટર રિયા ખૂબ જ જલ્દી ગોયંકા હાઉસમાં એન્ટ્રી લેશે'. પ્રિયંવદા ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તેણે સસુરાલ સિમર કા, એક વીર કી અરદાસ...વીરા અને તેનાલી રામા જેવા કેટલાક શો પણ કર્યા છે.
અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, 'હું ખરેખર વધુ રિયાલિટી શો કરવા માગુ છું પરંતુ આ પહેલા ટીવીમાં પાછા જવું છે. કારણ કે, ત્યાં સુધી સંકળાયેલી છું. હું મારું કરિયર ટીવીમાં બનાવવા માગું છું. આ સિવાય મારી પાસે એક ફિલ્મ પણ છે'.
રાજન શાહીનો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' શો દર્શકોમાં ખાસ્સો પોપ્યુલર છે. હાલમાં તેણે 12 વર્ષ અને 3300 એપિસોડ પૂરા કર્યા હતા. આ ખાસ દિવસે મેકર્સે સેટ પર પૂજા અને હવનનું આયોજન કર્યું હતું. આ સિવાય કેક પણ કટ કરવામાં આવી હતી. શોમાં અત્યારસુધીમાં ઘણા વેડિંગ્સ અને લીપ આવ્યા, તેમ છતાં દર્શકો તેના સાથે જોડાયેલા રહ્યા. પ્રિયંવદા કાંત અને શિવાંગી જોશી મોહસિન ખાનના લવ ઈન્ટરેસ્ટ તરીકે જોવા મળવાની છે ત્યારે શોમાં વધુ ડ્રામા માટે દર્શકોએ તૈયાર રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે, શોના સ્ટોરી પ્લોટમાં થોડા સમય પહેલા એક અકસ્માતમાં નાયરાનું મોત દર્શાવવામાં આવ્યું હતું અને હવે શોમાં શિવાંગી જોશીની ગ્રાન્ડ રિ-એન્ટ્રી થઈ છે.
લેટેસ્ટ ડેવલપમેન્ટ પ્રમાણે, એક્ટ્રેસ પ્રિયંવદા કાંત શોમાં કાર્તિકની લવ ઈન્ટરસ્ટ તરીકે જોવા મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'હવેની સ્ટોરીમાં કાર્તિક ફરીથી નાયરા જેવી દેખાતી છોકરીના પ્રેમમાં પડવાનો છે. પરંતુ તેમા થોડો ટ્વિસ્ટ અને ટર્ન્સ લાવવા માટે મેકર્સે પ્રિયંવદા કાંતને મોહસિન ખાનની ઓપોઝિટમાં કાસ્ટ કરવાનું નક્કી કર્યું છે'.
પ્રિયંવદા કાંત છેલ્લે 'નાગિન 5'માં કેમિયો કરતી જોવા મળી હતી. આ શોમાં તેને શરદ મલ્હોત્રાની સામે રોમાન્ટિક રોલ આપવામાં આવ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, 'પ્રિયંવદાનું કેરેક્ટર રિયા ખૂબ જ જલ્દી ગોયંકા હાઉસમાં એન્ટ્રી લેશે'. પ્રિયંવદા ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તેણે સસુરાલ સિમર કા, એક વીર કી અરદાસ...વીરા અને તેનાલી રામા જેવા કેટલાક શો પણ કર્યા છે.
અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, 'હું ખરેખર વધુ રિયાલિટી શો કરવા માગુ છું પરંતુ આ પહેલા ટીવીમાં પાછા જવું છે. કારણ કે, ત્યાં સુધી સંકળાયેલી છું. હું મારું કરિયર ટીવીમાં બનાવવા માગું છું. આ સિવાય મારી પાસે એક ફિલ્મ પણ છે'.
રાજન શાહીનો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' શો દર્શકોમાં ખાસ્સો પોપ્યુલર છે. હાલમાં તેણે 12 વર્ષ અને 3300 એપિસોડ પૂરા કર્યા હતા. આ ખાસ દિવસે મેકર્સે સેટ પર પૂજા અને હવનનું આયોજન કર્યું હતું. આ સિવાય કેક પણ કટ કરવામાં આવી હતી. શોમાં અત્યારસુધીમાં ઘણા વેડિંગ્સ અને લીપ આવ્યા, તેમ છતાં દર્શકો તેના સાથે જોડાયેલા રહ્યા. પ્રિયંવદા કાંત અને શિવાંગી જોશી મોહસિન ખાનના લવ ઈન્ટરેસ્ટ તરીકે જોવા મળવાની છે ત્યારે શોમાં વધુ ડ્રામા માટે દર્શકોએ તૈયાર રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે, શોના સ્ટોરી પ્લોટમાં થોડા સમય પહેલા એક અકસ્માતમાં નાયરાનું મોત દર્શાવવામાં આવ્યું હતું અને હવે શોમાં શિવાંગી જોશીની ગ્રાન્ડ રિ-એન્ટ્રી થઈ છે.