એપશહેર

Raju Srivastava Health Update: મિત્ર સુનીલ પાલે ફેન્સને આપ્યા ગૂડ ન્યૂઝ!

મને ખાતરી નથી કારણ કે મેં તેમના પરિવાર સાથે વાત કરી નથી, પરંતુ મેં સાંભળ્યું છે કે તેમને આજે વેન્ટિલેટરથી દૂર કરવામાં આવી શકે છે. હાલમાં, કંઈપણ પુષ્ટિ નથી. આ બધુ તેમના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. હું તેમને મળવા બે-ત્રણ દિવસમાં દિલ્હી જઈશ. તેઓ મારા મોટા ભાઈ અને માર્ગદર્શક છે અને આપણે તેમના વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવી જોઈએ: સુનિલ પાલ

Edited byદીપક ભાટી | etimes.in 24 Aug 2022, 6:19 pm
નવી દિલ્હી: કોમેડિયન અને 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' સીઝન-1ના વિજેતા સુનીલ પાલે તેમના મિત્ર અને સાથીદાર રાજુ શ્રીવાસ્તવના ચાહકોને તેમના પ્રિય સ્ટારના સ્વાસ્થ્ય વિશે પોઝિટિવ રહેવા વિનંતી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો શ્રીવાસ્તવમાં સતત રિકવરી જોવા મળી તો તેમને "આજે" વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવી શકે છે.
I am Gujarat Raju Srivastav
...તો રાજુ શ્રીવાસ્તવને આજે વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવી શકે છે: સુનિલ પાલ


મિત્રો અને પરિવારજનો સતત આપી રહ્યા છે હેલ્થ અપડેટ્સ
નોંધનીય છે કે, જ્યારથી રાજુ શ્રીવાસ્તવ હોસ્પિટલાઈઝ્ડ થયા છે ત્યાંરથી સુનિલ પાલ અને શ્રીવાસ્તવના અન્ય ઘણા મિત્રો તેમજ તેમના પરિવારના સભ્યો સોશિયલ મીડિયા પર રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય વિશે સતત અપડેટ્સ આપી રહ્યા છે.

10 ઓગસ્ટના રોજ શ્રીવાસ્તવને આવ્યો હતો હાર્ટ એટેક
ઉલ્લેખનીય છે કે, શ્રીવાસ્તવને 10 ઓગસ્ટની સવારે હ્રદયરોગનો હુમલો આવ્યો જ્યારે તેઓ દક્ષિણ દિલ્હીના જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. હાર્ટ એટેક બાદ તેમને તાત્કાલિક નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેઓ અસ્વસ્થતા અનુભવતા હતા.

આપણે બધાએ પોઝિટિવલી વિચારવું પડશે: સુનિલ પાલ
તેમની હાલની તબિયતની સ્થિતિ શેર કરતાં, પાલે કહ્યું: 'જ્યાં સુધી હું જાણું છું, તેમનો પ્રતિભાવ હકારાત્મક છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. બાકી બધું પ્રાર્થના પર આધારિત છે. આપણે પોઝિટિવલી વિચારવું પડશે. તેમનું શરીર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યું છે અને આ જ કારણ છે કે દરેક વ્યક્તિ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ભગવાનની કૃપાથી અત્યારે તે સ્થિર છે.'

...તો આજે તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવી શકે છે: પાલતેણે આગળ કહ્યું: 'મને ખાતરી નથી કારણ કે મેં તેમના પરિવાર સાથે વાત કરી નથી, પરંતુ મેં સાંભળ્યું છે કે તેમને આજે વેન્ટિલેટરથી દૂર કરવામાં આવી શકે છે. હાલમાં, કંઈપણ પુષ્ટિ નથી. આ બધુ તેમના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. હું તેમને મળવા બે-ત્રણ દિવસમાં દિલ્હી જઈશ. તેઓ મારા મોટા ભાઈ અને માર્ગદર્શક છે અને આપણે તેમના વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવી જોઈએ.'
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story