એપશહેર

ફેન્સ પોતાને ભૂલી જાય તેમ ઈચ્છે છે રુપાલી ગાંગુલી, આ પાછળનું કારણ પણ આપ્યું

ટીવીની જાણીતી એક્ટ્રેસ રુપાલી ગાંગુલી ઈચ્છે છે કે, લોકો તેને ભૂલી જાય. પરંતુ તેણે જે કેરેક્ટર્સ નિભાવ્યા છે તેને યાદ રાખે.

TNN 14 Dec 2020, 2:59 pm
રુપાલી ગાંગુલી ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તે સંજીવની તેમજ સારાભાઈ vs સારાભાઈ જેવા ટીવી શોમાં તેણે નિભાવેલા કેરેક્ટર માટે જાણીતી છે. એક્ટ્રેસે આજ સુધી જેટલા કેરેક્ટર નિભાવ્યા છે, તેમાં તે પૂરી રીતે ફિટ બેસી છે. આ સિવાય કેરેક્ટરને રિયલ દેખાડવા માટે તેણે મહેનત પણ ખૂબ કરી છે.
I am Gujarat rupali ganguly wants people to forget her and remember all her characters
ફેન્સ પોતાને ભૂલી જાય તેમ ઈચ્છે છે રુપાલી ગાંગુલી, આ પાછળનું કારણ પણ આપ્યું


View this post on Instagram A post shared by Rups (@rupaliganguly)

એક્ટ્રેસ હાલ સીરિયલ 'અનુપમા'માં અનુપમા શાહનો રોલ નિભાવી રહી છે. તેનું માનવું છે કે, એક્ટર તરીકે કે તે પોતાના કેરેક્ટરને ઓવરશેડો કરી શકે નહીં. આ વિશે વિગતવાર વાત કરતાં તેણે કહ્યું કે, 'મોનિશા (સારાભાઈ vs સારાભાઈ) અને અનુપમા આ બે આઈકોનિક કેરેક્ટર્સ છે. જેને કોઈ સરળતાથી ભૂલી જાય તેમ નથી. આ આઈકોનિક રોલ નિભાવવાની સારી વાત છે કે, લોકો રુપાલીને ભૂલી ગયા છે. લોકો મને મેસેજ કરે છે અને કહે છે કે-મોનિશા અને અનુપમા બંને એક વ્યક્તિ કેવી રીતે હોઈ શકે. આ મને અત્યારસુધીમાં મળેલા બેસ્ટ કૉમ્પ્લિમેન્ટ્સમાંથી એક છે. પરંતુ લોકો તેને સમજતા નથી. એ હું જ છું જેણે બંને રોલ પ્લે કર્યા. કારણ કે જ્યારે તેઓ મોનિશાને જુએ છે ત્યારે તેમને વિશ્વાસ આવતો નથી કે, હું તે જ વ્યક્તિ છું જે અનુપમાનો રોલ નિભાવી રહી છે. મને જાણ છે કે લોકો આ કેરેક્ટર્સને ક્યારેય નહીં ભૂલે. હકીકતમાં હું ઈચ્છું છું કે, લોકો મને ભૂલી જાય અને મારા દરેક કેરેક્ટર્સને યાદ રાખે'.

View this post on Instagram A post shared by Rups (@rupaliganguly)

તેણે વધુમાં ઉમેર્યું કે, 'મારા બંને કેરેક્ટર્સની સરખામણી કરી શકાય નહીં. મને લાગે છે કે, એક્ટર તરીકે બંને કેરેક્ટર્સને ઓવરશેડો કરવા માટે હું એક નાની એક્ટર છું'.

અગાઉ રુપાલી ગાંગુલીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે પોતાના અંગત જીવન વિશે અને મહામારી દરમિયાન કામ કરવા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'કોરોનાની સાથે આપણે સામાન્ય જીવન જીવતા શીખી ગયા છીએ. પરંતુ હું હજુ પણ મારા દીકરા સાથે ઊંઘતી નથી. હું અલગ રૂમમાં ઊંઘુ છું. તે તેના પિતા સાથે સૂવે છે. જે રૂમમાં હું ઊંઘુ છું તે રૂમને હું કામ પર જાઉં એટલે તરત જ સેનિટાઈઝ કરવામાં આવે છે. હું રોજ ચેક-અપ કરવાતી હોવાથી મારા દીકરાને ભેટી શકું છું. પરિવારના બાકીના સભ્યો સાથે અંતર જાળવીને સમય પસાર કરું છું. એક મારી મમ્મી મને મળવા આવી અને મારે તેને મળવું જોઈએ કે ન મળવું જોઈએ તે બાબતે મને શંકા હતી. તેથી હું માત્ર તેમને પગે લાગી અને ડિસ્ટન્સ જાળવ્યું'.

Read Next Story