એપશહેર

માતા-પિતાને ચેપ લાગી જશે તેવા ડરથી ઘરમાં પણ માસ્ક પહેરતો હતો સાહિલ આનંદ

'કસૌટી જિંદગી કી 2'ના શૂટિંગ માટે સાહિલ આનંદ વતન ચંડીગઢથી મુંબઈ પાછો આવ્યો છે. એક્ટરે ચંડીગઢમાં રહેવા દરમિયાન કઈ-કઈ સાવચેતીઓ રાખી હતી, તેના વિશે વાત કરી હતી.

TNN 12 Sep 2020, 2:12 pm
'કસૌટી જિંદગી કી 2'માં અનુપમનો રોલ પ્લે કરનાર સાહિલ આનંદે થોડા સમય પહેલા સીરિયલ છોડી દીધી હતી, જો કે તે હવે શોમાં પાછો ફરવાનો છે. એક્ટર છેલ્લા કેટલાક સમયથી તેના માતા-પિતા સાથે ચંડીગઢમાં હતો, જો કે શોનું શૂટિંગ કરવાનું હોવાથી તે મુંબઈ આવી ગયો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ અને વરુણ ધવનની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી ફિલ્મોમાં ડેબ્યૂ કરનાર સાહિલ આનંદ લોકડડાઉનના કારણે મુંબઈમાં ફસાઈ ગયો હતો. પરંતુ જેવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ થઈ કે તરત જ તેના માતા-પિતા પાસે પહોંચી ગયો હતો. ચંડીગઢ પહોંચ્યા બાદ તેણે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખ્યું તેના વિશે વાત કરી છે.
I am Gujarat SAHIL ANAND WITH PARENTS


એક્ટરે કહ્યું કે, તેના માતા-પિતાને કોઈ પણ પ્રકારનું વાયલ ઈન્ફેક્શન ન થાય તેનું ખૂબ ધ્યાન રાખતો હતો. જ્યારે તે ચંડીગઢ ગયો ત્યારે પરિવાર અને પોતાની સુરક્ષા માટે સેફ્ટી પ્રોટોકોલનું પાલન કર્યું હતું. 'મહામારી દરેક માટે ખરેખર ખરાબ સ્થિતિ લઈને આવી છે, ખાસ કરીને એક્ટર્સ માટે કારણ કે અમે શૂટિંગ કરતી વખતે માસ્ક પહેરી શકતા નથી. મને લાગ્યું કે એક્ટર્સ કોઈ પણ રીતે સુરક્ષિત રહી શકે નહીં', તેમ એક્ટરે કહ્યું હતું.

સાહિલે ઉમેર્યું હતું, 'તેમ છતાં અમારે તમામ નિયમોનું પાલન કરવાની સાથે-સાથે અમારા પરિવાર માટે સાથે ઈન્ફેક્શન ન લઈને જઈએ તેનું ધ્યાન રાખતાં કામ કરવું પડે છે'. સાહિલે કહ્યું કે, જ્યારે તે ચંડીગઢ પહોંચ્યો ત્યારે તેણે થોડા દિવસો સુધી તેના માતા-પિતાથી અંતર જાળવી રાખ્યું હતું. 'મારા માટે આ નવો અનુભવ હતો. હું મારા ઘરમાં હતો, છતાં મારા માતા-પિતાને ભેટી શકતો નહોતો. હું મારા ઘરમાં મારા જ રુમમાં ભરાઈને રહેતો હતો, મારા માતા-પિતાથી દૂર રહીને મારી જાતને ક્વોરન્ટિન કરવાનો પ્રયાસ કરતો હતો. સુરક્ષાની ખાતરી કરવા માટે હું મારા ઘરમાં પણ માસ્ક પહેરીને ફરતો હતો. પરંતુ મુંબઈની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં ચંડીગઢની સરખામણીમાં લોકો વધારે સાવચેતી રાખી રહ્યા છે. ઓફિસના કલાકો સિવાય રોડ પર વધારે કાર જોવા મળતી નથી. મુંબઈમાં રિકવરી રેટ પણ સારો છે'.

વર્કફ્રંટની વાત કરીઓ તો, લોકડાઉન બાદ સાહિલે ઘણા કોમર્શિયલ કર્યા હતા અને તેની 'કસૌટી...' બાદ બીજા શો માટે વાતચીત ચાલી રહી છે. 'આ બાદ મારી પાસે બીજી ઓફર છે. મને કામ મળી રહ્યું છે અને કામ કરવા બાબતે મને સહેજ પણ ચિંતા નથી. 'કસૌટી જિંદગી કી 2' બે વર્ષ સુધી ચાલ્યો અને તે સારી બાબત કહેવાય. લોકડાઉન બાદ જ્યારે હું શો અને કોમર્શિયલ માટે ઓડિશન આપવા જતો હતો ત્યારે સહેજ પણ મજા નહોતી આવતી કારણ કે સુરક્ષિત રહેવાનું દબાણ હતું અને સાથે જ બેસ્ટ શોટ પણ આપવાનો હતો. પરંતુ શૂટિંગ કરતી વખતે જ્યારે તમે કેરેક્ટરમાં ઘુસી જાઓ છો ત્યારે ડર રહેતો નથી. પરંતુ ઘરે આવ્યા બાદ જ કાવો અને લસણ ખાવાનું શરુ કરી દો છો'.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો