'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ટીવી સીરિયલથી અપાર પોપ્યુલારિટી મેળવનારી એક્ટ્રેસ શિવાંગી જોશી હવે નવી જર્ની શરૂ કરવા તૈયાર છે. શિવાંગી જોશી સીરિયલ 'બાલિકા વધૂ 2'માં આનંદીના રોલમાં જોવા મળશે. આ સીરિયલમાં ટૂંક સમયમાં જ 10 વર્ષનો લીપ આવવાનો છે જે બાદ શોના મુખ્ય પાત્રો આનંદી, જિગર અને આનંદને મોટા થઈ ગયેલા બતાવાશે. ત્યારે આનંદીનો લીડ રોલ શિવાંગી જોશી ભજવવાની છે. જ્યારે આનંદીના પતિ જિગરનો રોલ એક્ટર સમૃદ્ધ બાવા કરશે અને આનંદીના ખાસ ફ્રેન્ડ આનંદનો રોલ રણદીપ રાય ભજવશે.
1 ડિસેમ્બરથી 'બાલિકા વધૂ 2'માં લીપ આવવાનો છે. શોમાં લવ ટ્રાએંગલ દર્શાવવામાં આવશે. ચેનલ દ્વારા શોનો પ્રોમો પ્રસારિત કરવામાં આવ્યો છે જેમાં આનંદીને બાળપણમાં થયેલું જિગર સાથેનું લગ્નજીવન બંધનરૂપ લાગે છે ત્યારે તેને આ બંધનમાંથી મુક્ત કરાવા તેનો મિત્ર આનંદ આવશે તેવું બતાવાયું છે. શું આનંદ આનંદીની મદદ કરી શકશે? આ જાણવા માટે તો સીરિયલ જોવી પડશે.
પ્રિયંકા ચોપરાએ પરિવાર સાથે કર્યું થેન્ક્સગિવિંગનું સેલિબ્રેશન, પતિ સાથે રોમેન્ટિક તસવીર શેર કરી
દરમિયાન શોમાં લીડ રોલ કરી રહેલી એક્ટ્રેસ શિવાંગી જોશીએ નવા પાત્રમાં ઢળવા અંગે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી છે. શિવાંગીએ કહ્યું, "પહેલી સીઝન કરતાં આ વખતનું પાત્ર અલગ છે. હું સીરિયલમાં 17 વર્ષની છોકરીના રોલમાં છું, જે સંસ્કારી, હકારાત્મક વિચારો ધરાવતી અને ખુશ રહેવામાં માનતી છોકરી છે. સ્વભાવે ક્યૂટ અને હસમુખી છે."
શિવાંગી જોશી નવા શોમાં નવી કાસ્ટ સાથે કામ કરી રહી છે ત્યારે આ અનુભવ અલગ રહેશે અને તે શૂટિંગ શરૂ થવાની અને બાકીના કલાકારોને મળવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. "હું હજી સુધી આખી કાસ્ટને મળી નથી. અત્યારે તો મારી મુલાકાત આનંદનો રોલ કરતાં રણદીપ રાય અને જિગરનો રોલ કરતાં સમૃદ્ધ બાવા સાથે જ થઈ છે. હું સેટ પર સૌને મળવા અને તેમની સાથે શૂટિંગ કરવા આતુર છું", તેમ તેણે ઉમેર્યું.
શિવાંગી જોશીએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરાનો રોલ ભજવ્યો હતો. તેના આ પાત્રને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો. તેણે આ વિશે વાત કરતાં જણાવ્યું, "એ શો અને પાત્ર માટે મને જે પ્રેમ મળ્યો તે બહુમૂલ્ય છે. નાયરા મારી જિંદગીનો મહત્વનો તબક્કો હતી અને આ માટેનો શ્રેય હું શોના મેકર્સ, દર્શકો અને શુભેચ્છકોને આપું છું."
'બોબ બિસ્વાસ' વખતે 100 કિલો હતું અભિષેક બચ્ચનનું વજન, જોઈને કેવું હતું પત્ની-દીકરીનું રિએક્શન?
શિવાંગી જોશીએ ટીવી પર દર્શાવાતી વાર્તાઓ અને તેમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતાં કહ્યું, "ટીવીએ ઘણી પ્રગતિ કરી છે અને તેના પર જે કન્ટેન્ટ બતાવામાં આવે છે તેમાં પણ ખાસ્સું પરિવર્તન આવ્યું છે. હાલ દર્શાવાતા ટીવી શો પછાત નથી. ઘણી સીરિયલો એવી છે જેમાં આજનો મોડર્ન જમાનો અને સ્થિતિ દર્શાવાય છે. ભવિષ્યમાં પણ ટીવીનો સ્કોપ ચોક્કસ જળવાઈ રહેશે તેવું માનવું છે."
પ્રિયંકા ચોપરાએ પરિવાર સાથે કર્યું થેન્ક્સગિવિંગનું સેલિબ્રેશન, પતિ સાથે રોમેન્ટિક તસવીર શેર કરી
દરમિયાન શોમાં લીડ રોલ કરી રહેલી એક્ટ્રેસ શિવાંગી જોશીએ નવા પાત્રમાં ઢળવા અંગે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી છે. શિવાંગીએ કહ્યું, "પહેલી સીઝન કરતાં આ વખતનું પાત્ર અલગ છે. હું સીરિયલમાં 17 વર્ષની છોકરીના રોલમાં છું, જે સંસ્કારી, હકારાત્મક વિચારો ધરાવતી અને ખુશ રહેવામાં માનતી છોકરી છે. સ્વભાવે ક્યૂટ અને હસમુખી છે."
શિવાંગી જોશી નવા શોમાં નવી કાસ્ટ સાથે કામ કરી રહી છે ત્યારે આ અનુભવ અલગ રહેશે અને તે શૂટિંગ શરૂ થવાની અને બાકીના કલાકારોને મળવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. "હું હજી સુધી આખી કાસ્ટને મળી નથી. અત્યારે તો મારી મુલાકાત આનંદનો રોલ કરતાં રણદીપ રાય અને જિગરનો રોલ કરતાં સમૃદ્ધ બાવા સાથે જ થઈ છે. હું સેટ પર સૌને મળવા અને તેમની સાથે શૂટિંગ કરવા આતુર છું", તેમ તેણે ઉમેર્યું.
શિવાંગી જોશીએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરાનો રોલ ભજવ્યો હતો. તેના આ પાત્રને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો. તેણે આ વિશે વાત કરતાં જણાવ્યું, "એ શો અને પાત્ર માટે મને જે પ્રેમ મળ્યો તે બહુમૂલ્ય છે. નાયરા મારી જિંદગીનો મહત્વનો તબક્કો હતી અને આ માટેનો શ્રેય હું શોના મેકર્સ, દર્શકો અને શુભેચ્છકોને આપું છું."
'બોબ બિસ્વાસ' વખતે 100 કિલો હતું અભિષેક બચ્ચનનું વજન, જોઈને કેવું હતું પત્ની-દીકરીનું રિએક્શન?
શિવાંગી જોશીએ ટીવી પર દર્શાવાતી વાર્તાઓ અને તેમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતાં કહ્યું, "ટીવીએ ઘણી પ્રગતિ કરી છે અને તેના પર જે કન્ટેન્ટ બતાવામાં આવે છે તેમાં પણ ખાસ્સું પરિવર્તન આવ્યું છે. હાલ દર્શાવાતા ટીવી શો પછાત નથી. ઘણી સીરિયલો એવી છે જેમાં આજનો મોડર્ન જમાનો અને સ્થિતિ દર્શાવાય છે. ભવિષ્યમાં પણ ટીવીનો સ્કોપ ચોક્કસ જળવાઈ રહેશે તેવું માનવું છે."