એપશહેર

'અનુપમા'નો વનરાજ હારી ગયો શરત, આખી ટીમને આપવી પડી પિઝ્ઝા પાર્ટી

'અનુપમા'માં વનરાજનો રોલ પ્લે કરનાર સુધાંશુ પાંડે શરત હારી જતાં તેણે આખા યુનિટને પિઝ્ઝા પાર્ટી આપવી પડી હતી. જેનો વીડિયો રુપાલી ગાંગુલીએ શેર કર્યો છે.

I am Gujarat 27 Oct 2020, 2:53 pm
લોકડાઉન બાદ લોન્ચ થયેલી સીરિયલ 'અનુપમા' ખૂબ જ ઓછા સમયમાં દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. સીરિયલની જેમ રિયલ લાઈફમાં પણ ટીમના કલાકારોને એકબીજા સાથે સારું ફાવે છે. રુપાલી ગાંગુલી (અનુપમા), સુધાંશુ પાંડે (વનરાજ), મદલાસા શર્મા (કાવ્યા) સહિતના એક્ટર્સ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેઓ મસ્તી કરતા હોય તેવા ફન વીડિયો અને તસવીરો શેર કરતાં રહે છે.
I am Gujarat sudhansu pandey


સીરિયલ 'અનુપમા'માં લીડ રોલ પ્લે કરનારી રુપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર હાલમાં BTS વીડિયો અને તસવીર શેર કરી છે. જેમાં સુધાંશુ પાંડે આખી ટીમને પિઝ્ઝા ટ્રીટ આપતો જોવા મળ્યો. હકીકતમાં, એક્ટરે કોઈ શરત રાખી હતી અને તે શરત હારી જતાં તેણે સજાના ભાગરૂપે બધાને પિઝ્ઝા ખવડાવવા પડ્યા. રુપાલીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં ટેબલ પર પિઝ્ઝાના ઘણા બધા બોક્સ પડેલા જોવા મળી રહ્યા છે. જ્યારે સુધાંશુ જાણે આ ટ્રીટ આપીને ખુશ ન હોય તેવો ડોળ કરી રહ્યો છે . બેકગ્રાઉન્ડમાં એક્ટ્રેસ કોઈ ગીત ગણગણાવી રહી છે.

View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) on Oct 26, 2020 at 9:49am PDT

વીડિયોના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે કે, 'જ્યારે અમારો ઓરિજિનલ પાંડે શરત હારી ગયો 🤣🤣🤣🤣 . પૂરા યુનિટ માટે તેણે પિઝ્ઝા મગાવવા પડ્યા 😆😆😆. રોમેશ કાલરા વિનર રહ્યા. શરત ફિક્સ્ડ અને બળજબરીપૂર્વકની હતી. પારસ કલનાવત મને તારા પર ગર્વ પર છે. બદમાશી કરવાના કારણે આગામી દિવસોમાં મારી સાથે મારપીટ થશે તેવી શક્યતા છે 😱😱 '

સીરિયલમાં પારીતોષનો રોલ પ્લે કરી રહેલા કેદાર આશિષે પણ આ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું છે કે, 'પપ્પા શરત હારી ગયા. થેન્ક યૂ પપ્પા. પણ આ માટેની બધી ક્રેડિટ મમ્મી રુપાલી ગાંગુલીને આપું છું'.

સીરિયલની વાત કરીએ તો, હાલ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. અનુપમાના જીવનમાં ઉથલ-પાથલ મચી ગઈ છે. અનુપમાને વનરાજ અને કાવ્યાના સંબંધો વિશે જાણ થઈ જતાં તે પૂરી રીતે ભાંગી પડી હતી. પરંતુ પોતાની ફ્રેન્ડ દેવિકા સમક્ષ હૈયુ ઠાલવ્યા બાદ તેણે પોતાના માટે જીવવાનો નિર્ણય લે છે. શોમાં હવે અનુપમાનું નવું રુપ જોવા મળશે.

હાલમાં શોનો એક પ્રોમો રિલીઝ થયો હતો. જેમાં વનરાજ અનુપમાને કહે છે કે, 'તે જે જોયું એ સત્ય નથી. મારી વાતનો વિશ્વાસ કર'. જેના જવાબમાં અનુપમા કહે છે કે, '25 વર્ષથી વિશ્વાસ જ કરતી આવી છું, પરંતુ હવે નહીં. આજ સુધી તમે મારું અસ્તિત્વ હતા, પરંતુ મારા જીવનમાં હવેથી તમારું કોઈ અસ્તિત્વ નથી. આજથી મારા જીવનના તમામ નિર્ણયો મારા હશે. બીજા કોઈના નહીં'

Read Next Story