એપશહેર

કપિલ શર્મા શો'માંથી કપાશે ભારતીનું પત્તું? આ કલાકારોએ પણ છોડ્યો હતો શો

એવું બન્યું છે કે કપિલની ટીમ કોઈ કારણસર તૂટી હતી અથવા શોના કલાકારોએ જાતે જ કોઈ કારણોસર શો છોડી દીધો હતો.

I am Gujarat 30 Nov 2020, 6:38 pm
ડ્રગ્સ કેસમાં ભારતી સિંહનું નામ આવ્યું હોવાથી ઘણી ચર્ચાઓ થઈ રહી છે કે તેને કપિલ શર્માના કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' માંથી હટાવવામાં આવી છે. જોકે, કપિલ ભારતીને શોમાંથી હટાવવાની તરફેણમાં નથી અને તેની ચેનલ દ્વારા આ અંગે ખેંચતાણ ચાલી રહી છે. જોકે, આ પહેલા પણ ઘણી વાર એવું બન્યું છે જ્યારે કપિલની ટીમ કોઈ કારણસર તૂટી હતી અથવા શોના કલાકારોએ જાતે જ કોઈ કારણોસર શો છોડી દીધો હતો.
I am Gujarat sunil grover to ali asgar bharti singh all those who left kapil sharma show
કપિલ શર્મા શો'માંથી કપાશે ભારતીનું પત્તું? આ કલાકારોએ પણ છોડ્યો હતો શો

સુનિલ ગ્રોવરે પણ કપિલ સાથેના ઝઘડા પછી છોડ્યો હતો શો


સુનિલ ગ્રોવર
આ લિસ્ટમાં પહેલું નામ સુનીલ ગ્રોવરનું આવે છે. કપિલના કોમેડી શોમાં ડોક્ટર મશહૂર ગુલાટીથી લઈને ગુત્થી અને અન્ય કેરેક્ટર ભજવનાર સુનિલ ગ્રોવરે કપિલ શર્મા સાથે લડાઈ થઈ પછી તેણે શો છોડ્યો હતો. પછી તે પોતાનો અલગ જ કોમેડી શો લઈને આવ્યો હતો. જોકે, તે ખાસ ચાલ્યો નહોતો. હવે તે પોતાનો નવો કોમેડી શો 'ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન' કરી રહ્યો છે.

બુઆએ પણ સુનિલ પછી છોડ્યો હતો કપિલનો શો


ઉપાસના સિંહ
કપિલ શર્માની સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા પછી ઉપાસનાસિંહે કપિલનો શો પણ છોડી દીધો હતો. 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'માં કપિલની બુઆનો રોલ કરનાર ઉપાસનાએ એ તો ન જણાવ્યું કે, તેણે કપિલનો શો કેમ છોડી દીધો. પરંતુ એટલું તો જરુર છે કે સુનીલે આ શો છોડી દીધા પછી તેણે પણ કપિલથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

સિદ્ધુએ ટ્વીટના વિવાદના કારણે છોડ્યો હતો શો


નવજોતસિંહ સિદ્ધૂએ આ વિવાદના કારણે છોડ્યો હતો શો
કપિલના કોમેડી શોમાં જજની ભૂમિકા ભજવનારા નવજોત સિંહ સિદ્ધુએ પુલવામા એટેક પછી એક ટ્વીટ કર્યું હતું, જેના કારણે એટલો વિવાદ થયો હતો કે તેણે કપિલના શોમાંથી પોતાની ખુરશી છોડવી પડી. હવે અર્ચના પૂરણસિંહે તેની જગ્યા લીધી છે.

દાદીનું કેરેક્ટર ભજવી લોકપ્રિય થયેલા અસગરે છોડ્યો હતો શો


અલીઅસગરે પણ છોડ્યો હતો શો
તો, 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' અને 'ધ કપિલ શર્મા શો'માં દાદી, નાનીથી લઈને અન્ય ઘણી ભૂમિકાઓ ભજવનારા અભિનેતા અલી અસગરે પણ કોઈ કારણોસર કપિલનો શો છોડી દીધો હતો. એક ઇન્ટરવ્યૂમાં, અલી અસગરે કહ્યું હતું કે તે તેના દાદી અને નાનીના કેરેક્ટરથી ખુશ નહોતો. તેમાં આગળ કોઈ સ્કોપ જોવા મળતો નહોતો. જેથી તેણે કપિલનો શો છોડવાનો નિર્ણય કર્યો.

Read Next Story