એપશહેર

'મન કી આવાઝ પ્રતિજ્ઞા 2'ના સેટ પર બની દુર્ઘટના, ટીમના બે સભ્યો હોસ્પિટલમાં દાખલ

'મન કી આવાઝ પ્રતિજ્ઞા 2'ની ટીમ સાથે હાલમાં જ દુર્ઘટના બની હતી. જેમાં મધમાખીના ઝુંડે યુુનિટના સભ્યો પર હુમલો કર્યો હતો.

Reported byMeera Vohra | Written byમિત્તલ ઘડિયા | TNN 27 Feb 2021, 12:48 pm
મીરા વોહરા, આકાશ વાધવાઃ શુક્રવારે જ્યારે પ્રયાગરાજ પાસે આવેલા ઘૂરપુરમાં 'મન કી આવાઝ પ્રતિજ્ઞા 2'ની ટીમ શૂટિંગ કરી રહી હતી ત્યારે મધમાખીના ઝુંડે તેમના પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'આ ઘટના ત્યારે બની જ્યારે દર્શકોમાંથી કેટલાક બાળકોએ જ્યાં શૂટિંગ થઈ રહ્યું હતું ત્યા આસપાસ રહેલા મધપૂડા પર પથ્થર ફેંક્યા હતા. જેના કારણે પ્રોડક્શન યુનિટ પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. આખો વિસ્તાર મધમાખીઓથી છવાઈ ગયો હતો. દરેક લોકો સલમાતી માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. પરંતુ ઘટનામાં દસથી વધુ ટેકનિશિયન ઈજાગ્રસ્ત થયા હતા. પ્રોડક્શન ટીમના બે સભ્યોને તો મધમાખીઓ ઘેરી વળી હતી. તેથી, તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. આ ઘટના બધા માટે આંચકા સમના હતા'.
I am Gujarat swarm of honey bees attacked on unit of tv show mann ki awaz pratigya 2
'મન કી આવાઝ પ્રતિજ્ઞા 2'ના સેટ પર બની દુર્ઘટના, ટીમના બે સભ્યો હોસ્પિટલમાં દાખલ



શોમાં વિલનનો રોલ પ્લે કરનાર ચેતન હંસરાજ ઘટના બની તે સમયે ત્યાં ઉપસ્થિત હતો. તેણે કહ્યું કે, 'મેં મારા જીવનમાં આવો સીન ક્યારેય જોયો નથી. બે વ્યક્તિ શૂટિંગ દરમિયાન મારા તરફ દોડતા આવ્યા હતા અને તેઓ મધમાખીથી ઘેરાયેલા હતા. શૂટિંગ સ્થળ પાસે જળાશય હોવાથી હું તેમને તેમા કૂદી જવા માટે કહેતો હતો. જેથી, મધમાખીઓ તેમને છોડી દે. તેઓ પીડામાંમાં હતા. હકીકતમાં, ત્રણ મધમાખીઓએ મને પણ ડંખ માર્યો હતો. એક તો મારા કાનમાં ઘૂસી ગઈ હતી. હું નજીક પડેલી કારમાં ઘૂસી જવામાં નિષ્ફળ રહ્યો હતો. મધમાખીના ડંખ ખરેખર પીડા આપનારા હતા. હું નાનો હતો ત્યારે એકવાર મને મધમાખીએ ડંખ માર્યો હતો. અમને પ્રાથમિક સારવાર આપવામાં આવવી હતી અને અમે નવા લોકેશન પર શિફ્ટ થયા હતા. જ્યાં અમે બાકીનો ભાગ શૂટ કર્યો હતો'.


શોની નવી સીઝનના ચાર દિવસનું શૂટ્ંગ બુધવારે સંગમ વિસ્તારમાં શરુ કરવામાં આવ્યું હતું. જ્યાં પૂજા ગોર અને અરહાન બહેલે શૂટિંગ કર્યું હતું અને શુક્રવારે સાંજે તે આટોપવામાં આવ્યું હતું.


'મન કી આવાઝ પ્રતિજ્ઞા'ની પહેલી સીઝન 2009માં ઓફ-એર થઈ હતી. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં પૂજા ગોરે કહ્યું હતું કે, 'મારી લાગણીઓ મિશ્ર છે. હું અત્યારે ઉત્સાહિત છું. જ્યારે હું એરપોર્ટ પરથી બહાર નીકળી અને સીરિયલની પહેલી સીઝન જ્યાં શૂટ કરવામાં આવી હતી તે રસ્તા પરથી પસાર થઈ તો મારા રુંવાડા ઊભા થઈ ગયા હતા. હું ખુશ છું કે મને જે ગમે છે તે હું કરી રહી છું'. સીરીયલની બીજી સીઝનમાં પૂજા ગોર, અરહાન બહેલ, ચેતન હંસરાજ સિવાય અનુપમ શ્યામ પણ લીડ રોલમાં છે.

Read Next Story