એપશહેર

Sunayana Fozdar અને Nitesh Pandey ઘણા સમયથી મળવાનું વિચારી રહ્યા હતા, પરંતુ હંમેશા આ કારણથી નિષ્ફળ જતો હતો પ્લાન

નિતેશ પાંડે (Nitesh Pandey) બુધવારે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા. તેમના આમ અચાનક નિધનથી ઈન્ડસ્ટ્રીના મિત્રો આઘાતમાં છે. 'એક રિશ્તા સાજેદારી કા'માં તેમની સાથે કામ કરી ચૂકેલી સુનૈના ફોજદારનું (Sunayana Fozdar) પણ કહેવું છે કે, આ વાત પણ હજી તેને વિશ્વાસ આવી રહ્યો નથી. શોની ટીમ ખૂબ જલ્દી રિયુનિયન કરવાની હતી અને હવે તે તમામને નિતેશની ખોટ વર્તાશે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 25 May 2023, 10:12 am
એક્ટિંગ ઈન્ડસ્ટ્રી અને દર્શકો માંડ હજી આદિત્ય સિંહ રાજપૂતના નિધનના આઘાતમાંથી બહાર આવ્યા હતા ત્યાં મંગળવારે મોડી રાતે 'સારાભાઈ vs સારાભાઈ'માં જાસ્મીનના રોલમાં જોવા મળેલી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત થયું હોવાની ખબર મળી હતી. આટલું ઓછું ન હોય તેમ આ જ દિવસે મોડી રાતે 'અનુપમા' સીરિયલમાં જોવા મળેલા નિતેશ પાંડેએ (Nitesh Pandey) હાર્ટ અટેક આવ્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. આ એક્ટર તેમના જીવનકાળ દરમિયાન માત્ર ટીવી સીરિયલો જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા હતા. તેમણે અહીં ઘણા સારા મિત્રો બનાવ્યા હતા, જેઓ તેમના ગયા બાદ શોકમગ્ન છે. હાલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલીભાભીના રોલમાં જોવા મળી રહેલી સુનૈના ફોજદારે (Sunayana Fozdar) પૂર્વ કો-એક્ટરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. જણાવી દઈએ કે, સુનૈના અને નિતેશે 'એક રિશ્તા સાજેદારી કા'માં સાથે કામ કર્યું હતું.
I am Gujarat Sunayana Fozdar Nitesh Pandey
'એક રિશ્તા સાજેદારી કા'માં સુનૈના ફોજદારે નિતેશ પાંડે સાથે કર્યું હતું કામ


હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

સુનૈના ફોજદારે નિતેશ પાંડેને યાદ કર્યા
'નિતેશ અને મેં 'એક રિશ્તા સાજેદારી કા'માં સાથે કામ કર્યું હતું. તેમના નિધનના સમાચાર સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. તેઓ મોજીલા વ્યક્તિ હતા અને હંમેશા હસતા રહેતા હતા. તેઓ જ્યાં પણ જતાં હતા ત્યાં પોતાની સાથે ગજબની એનર્જી લઈને જતા હતા', તેમ સુનૈના ફોજદારે પિંકવિલા સાથેની વાતચીતમાં કહ્યું હતું. આ સાથે ઉમેર્યું હતું કે, શો ખૂબ જલ્દી ખતમ થઈ ગયો હતો પરંતુ જેટલો સમયે તેમણે સાથે કામ કર્યું એટલામાં તેમની વચ્ચે સારું બોન્ડ થઈ ગયું હતું. શો ઓફ-એર થયા બાદ પણ તેઓ એકબીજા સાથે કોન્ટેક્ટમાં રહ્યા હતા. 'યે રિશ્તા સાજેદારી કા'ની ટીમનું એક વોટ્સએપ ગ્રુપ હતું, જેમાં થયેલી ચર્ચા પ્રમાણે ખૂબ જલ્દી કલાકારોનું રિયુનિયન થવાનું હતું અને નિતેશ પણ તેમાં આવવા માટે ઉત્સુક હતા. પરંતુ તમામ પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાથી રિયુનિયન પાછું ઠેલાતું જતું હતું.

નિતેશ પાંડેએ અઠવાડિયા પહેલા જ રૂપાલી ગાંગુલીને કર્યો હતો મેસેજ, બંને વચ્ચે થઈ હતી આ વાત

બુધવારે થયા નિતેશ પાંડેના અંતિમ સંસ્કાર
24 તારીખે રાતે આશરે 10.30 કલાકે નિતેશ પાંડેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. દરેક કોઈની આંખમાં આંસુ હતા. નિતેશ પાંડેના માતા-પિતા અને પત્નીના રડી-રડીને ખરાબ હાલ થયા હતા. નિતેશ નાસિકના ઈગતપુરીમાં આગામી પ્રોજેક્ટના શૂટિંગ માટે ગયા હતા તે સમયે તેમને અટેક આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેમણે મંગળવારે રાતે હોટેલના સ્ટાફ પાસેથી જમવાનું ઓર્ડર કર્યું હતું. પરંતુ જ્યારે સ્ટાફ જમવાનું લઈને પહોંચ્યો અને ડોરબેલ વગાડી તો એક્ટરે બારણું ખોલ્યું નહોતું. જ્યારે માસ્ટર ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો તો નિતેશ બેભાન હાલતમાં પડેલા હતા. 24 તારીખે રાતે તેમના પાર્થિવ દેહને મુંબઈ સ્થિત ઘરે લાવવામાં આવ્યો હતો. નિતેશ પાંડેના પાર્થિક દેહને જોતા દીકરો ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો હતો અને ગાલને ચૂમવા લાગ્યો હતો. આ દ્રશ્યએ ત્યાં હાજર સૌનું હૃદય ચીરી નાખ્યું હતું.

'રોશનભાભી'ના સપોર્ટમાં આવી 'રિટા રિપોર્ટર', શોમાં જ્ઞાન પીરસતાં આસિત મોદીની અસલિયત દેખાડી

નિતેશને વિદાય આપતા રોઈ પડી રૂપાલી ગાંગુલી
અનુપમાની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પણ નિતેશ પાંડેના અંતિમ સંસ્કારમાં પહોંચી હતી, આ સમયે તેની આંખમાં દડ-દડ કરતાં આંસુ વહી રહ્યા હતા. પોતાનો વર્ષો જૂનો ખાસ મિત્ર આમ જતો રહ્યો હોવાની વાત પર તેને વિશ્વાસ આવી રહ્યો નહોતો. એક દિવસ પહેલા આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, જ્યારે તે બ્રેક પર હતી ત્યારે નિતેશ સતત તેના સંપર્કમાં હતો. જ્યારે તેના દીકરા રુંદ્રાશનો જન્મ થયો ત્યારે પણ નિતેશ તેને મળવા ગયા હતા. રૂપાલી અને નિતેશના દીકરા સરખી ઉંમરના છે, તેથી તેમણે ખૂબ જલ્દી બંનેને મળાવવાનું પ્લાનિંગ પણ કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં પણ તેમણે મૂવી ગેટ-ટુગેધરનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ એક્ટ્રેસ કામના કારણે મોડી પડી હતી. જે બાદ તેમણે પછીના અઠવાડિયે મૂવીનું પ્લાનિંગ કર્યું હતું. આ વાતને ત્રણ અઠવાડિયા થઈ ગયા અને હવે તે નિતેશને ક્યારેય નહીં મળે શકે તે વાતનો અફસોસ હોવાનું રૂપાલીએ કહ્યું હતું.

Read latest Entertainment News and Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story