એપશહેર

તારક મહેતા... : 'દયા બેન'એ કરી ગ્રાન્ડ એન્ટ્રીની જાહેરાત, મૂરઝાયેલા જેઠાલાલ ઝૂમી ઉઠ્યાં

Shailesh Thakkar | I am Gujarat 14 Oct 2019, 4:34 pm
ટેલીવિઝનના સૌથી પૉપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયા બેન’નું પાત્ર ભજવનારી દિશા વાકાણી લાંબા બ્રેક બાદ કમબેક કરવા જઈ રહી છે. આ ન્યૂઝ સાંભળીને આખી ગોકુલધામ સોસાયટીની સાથે-સાથે જેઠાલાલ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યાં છે. આ અંગેનો એક નાનકડો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સીરિયલની એક નાનકડી ક્લિપ છે અને તેમાં જેઠાલાલ ખૂબ દુ:ખી અને હતાશ બેઠેલા જોવા મળે છે. જેઠાલાલે કસમ ખાધી છે કે. જ્યાં સુધી દયા નહીં આવે ત્યાં સુધી તે ગરબા નહીં રમે. આ સાંભળીને સોસાયટીના બધા લોકો ચિંતિંત છે. સુંદર જ્યારે પોતાના જીજાજીને ફોન કરે છે ત્યારે તે જેઠાલાલના દુ:ખને પારખી લે છે. આ વિશે તેને સોસાયટીની બીજી મહિલાઓએ પણ જણાવ્યું હોય છે.
View this post on Instagram Grand Entry!!! A post shared by Disha Vakani (@disha.vakani) on Oct 14, 2019 at 12:13am PDT
આવામાં સુંદર જેઠાલાલને કહે છે કે, તે સાંજે દયાને લઈને ગોકુલધામ સોસાયટી પહોંચશે. આ વાત સાંભળીને જેઠાલાલના મ્હોં પર ચમક આવી જાય છે અને તે ખુશીથી ઝૂમી ઉઠે છે. આ ન્યૂઝ સાંભળીને દયા બેનના ફેન્સ પણ ખુશ-ખુશ થઈ ગયા છે. દિશા વાકાણીના નામથી ચાલતા ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવેલી પોસ્ટથી સંકેત મળી રહ્યાં છે કે, તે શોમાં કમબેક કરી રહી છે. જોકે, તેણે પોતાના કમબેક વિશે ખુલાસીને કંઈ જ કહ્યું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો