એપશહેર

પ્રેગ્નેન્સીમાં ન વધ્યું ટીજે સિદ્ધુનું વજન, યૂઝર્સે કારણ પૂછ્યું તો આપ્યો આવો જવાબ

કરણવીર બોહરાની પત્ની અને એક્ટ્રેસ ટીજે સિદ્ધુનું પ્રેગ્નેન્સી દરમિયાન વજન ન વધતાં યૂઝર્સે ટ્રોલ કરી હતી. ટ્રોલર્સને ટીજેએ એક પોસ્ટ શેર કરીને જડબાતોડ જવાબ આપ્યો છે.

I am Gujarat 2 Oct 2020, 2:43 pm
ટેલિવિઝનના નાના પડદાના પોપ્યુલર કપલમાંથી એક કરણવીર બોહરા અને તેની પત્ની ટીજે સિદ્ધુ ફરીથી માતા-પિતા બનવાના છે. ટીજે પ્રેગ્નેન્ટ છે અને તેઓ પહેલાથી જ વિયેના અને બેલા નામની બે ટ્વિન્સ દીકરીઓના પેરેન્ટ્સ છે. કરણવીર બોહરાના બર્થ ડે પર કપલે આ ગુડ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. તો તેમને ફેન્સ તરફથી શુભેચ્છા પણ મળી હતી.
I am Gujarat teejay sidhu trolled for being skinny during pregnancy actress gave best replay
પ્રેગ્નેન્સીમાં ન વધ્યું ટીજે સિદ્ધુનું વજન, યૂઝર્સે કારણ પૂછ્યું તો આપ્યો આવો જવાબ


ટીજે સિદ્ધુ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં તેણે એક પોસ્ટ દ્વારા તે માન્યતાના તોડવાનો પ્રયાસ કર્યો છે, જેમાં કહેવામાં આવે છે કે પ્રેગ્નેન્સીના સમયે વજનની શું અસર થાય છે.

ટીજે સિદ્ધુની ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો સ્ક્રીનશોટ



ટીજેએ ઈન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી એક તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે કે, 'લોકો કહે છે કે હું પાતળી છું, મારું વજન થોડું વધારે હોવું જોઈએ. ત્યારે પણ જ્યારે હું પ્રેગ્નેન્ટ છું. પરંતુ મારા માટે વજન વધારવું એટલું જ મુશ્કેલ છે જેટલું કોઈના માટે વજન ઘટાડવું. ખાસ કરીને શરુઆતના દિવસોમાં મને ઉલ્ટી થતી હતી. હું કંઈ ખાઈ શકતી નહોતી. મારું વજન માત્ર પેટ પર જ વધ્યું છે. જે રીતે હું છું, તેમાં કંઈ કરી શકું તેમ નથી'.

આ સાથે તેણે અન્ય પ્રેગ્નેન્ટ મહિલાઓને પણ સલાહ આપતા કહ્યું છે કે, જેવી બોડી ટાઈપ હોય તેનો સ્વીકાર કરો. લોકોના મતને ગંભીરતાથી ન લો. જ્યાં સુધી તમે હેલ્ધી છો. વધારે કે ઓછું વજન મહત્વ ધરાવતું નથી. જેવા છો તેવા પોતાને પ્રેમ કરો.

ટીજેએ અગાઉ આવનારા બાળક માટે એક સ્પેશિયલ નોટ લખી હતી. 'હું હંમેશા વિચારતી હતી કે અમે ચાર જ હોઈશું. ક્યારેય વિચાર્યું નહોતું કે ત્રણ બાળકોની માતા બનીશ. મને લાગે છે કે તેણે અમને અલગ રીતે જોયા હશે અને વિચાર્યું હશે કે, 'હું આ પરિવારનો ભાગ બનવા માગુ છું'. કદાચ અમારી પાસે નવા જીવનને શીખવવા માટે કંઈક છે...અથવા નવા જીવન પાસે અમને શીખવાડવા માટે કંઈક છે. અમારી પાસે જવાબ નથી પરંતુ કોઈ ઉચ્ચ ઉદ્દેશ છે, તેથી અમે નવા પરિવર્તનને સ્વીકારીએ છીએ. ભગવાન જ જાણે તેઓ શું કરી રહ્યા છે અને અમે સંપૂર્ણ રીતે તેના પર જ વિશ્વાસ રાખીએ છીએ'. આ પોસ્ટની સાથે તેણે પતિ અને બંને દીકરો સાથેની તસવીર પણ શેર કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો