એપશહેર

'તેરા યાર હૂં મેં'ની એક્ટ્રેસ સયંતની ઘોષ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે, આઠ વર્ષથી છે રિલેશનશીપમાં

'તેરા યાર હૂં મેં' સીરિયલમાં દલજીતનો રોલ કરતી એક્ટ્રેસ સયંતની ઘોષ લગ્નના તાંતણે બંધાવાની છે. કોલકાતામાં બોયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લગ્ન કરશે.

Authored byNeha Maheshwri | Edited byશિવાની જોષી | TNN 13 Nov 2021, 2:47 pm

હાઈલાઈટ્સ:

  • છેલ્લા આઠ વર્ષથી રિલેશનશીપમાં છે સયંતની અને અનુગ્રહ.
  • આઠમી રિલેશનશીપ એનિવર્સરી પર કપલે એકબીજાના નામના પહેલા અક્ષરનું ટેટૂ બનાવ્યું હતું.
  • સયંતની અને અનુગ્રહ પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કરવાના છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat sayantani ghosh
મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં આજકાલ લગ્નની સીઝન શરૂ થઈ છે. બોલિવુડમાં વિકી કૌશલ-કેટરિના કૈફ તેમજ પત્રલેખા અને રાજકુમાર રાવના લગ્નની ચર્ચા છે. ત્યારે ટેલિવુડમાંથી અંકિતા લોખંડે-વિકી જૈન, એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા, એક્ટર સંજય ગગનાની-પૂનમ પ્રીત જેવા સેલેબ્સ નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન લગ્ન કરવાના છે. હવે વધુ એક ટીવી એક્ટ્રેસના લગ્નના સમાચાર સામે આવ્યા છે. 'તેરા યાર હૂં મેં' સીરિયલમાં દલજીતનો રોલ કરતી એક્ટ્રેસ સયંતની ઘોષ લગ્નના તાંતણે બંધાવાની છે.
દરેક ફંક્શન માટે વિકી-કેટરિનાએ રોકી છે અલગ ઈવેન્ટ કંપની, લગ્નમાં સામેલ થશે આ સેલેબ્સ!

સયંતની ઘોષ બોયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે 5 ડિસેમ્બરે પોતાના વતન કોલકાતામાં લગ્ન કરવાની છે. અનુગ્રહ અને સયંતનીના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહેશે. લગ્ન બાદ અનુગ્રહના વતન જયપુરમાં રિસેપ્શન યોજાશે. જણાવી દઈએ કે, અનુગ્રહ ફિટનેસ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, "સયંતની અને અનુગ્રહ સાદગીપૂર્વક લગ્ન કરશે. સયંતની શોના શૂટિંગની સાથે લગ્નની તૈયારીઓ પણ કરી રહી છે. લગ્ન માટે તેણે શોમાંથી અઠવાડિયાની રજા પણ લીધી છે."

'કુંડલી ભાગ્ય'નો 'પૃથ્વી' દિલ્હીમાં લેશે સાત ફેરા, પ્રી-વેડિંગ વિડીયો યાદગાર બનાવા કમ્પોઝ કરાવ્યું ગીત

View this post on Instagram A post shared by Sayantani (@sayantanighosh0609)


સયંતની અને અનુગ્રહ છેલ્લા આઠ વર્ષથી રિલેશનશીપમાં છે. તેમની રિલેશનશીપને આઠ વર્ષ પૂરા થતાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સયંતની અને અનુગ્રહે કાંડામાં એકબીજા નામનો પહેલો અક્ષર ત્રોફાવ્યો હતો. ટેટૂ બનાવા વિશે સયંતનીએ અગાઉ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું હતું કે, "અમે રિંગ સેરેમની નહોતા કરવા માગતા એટલે ત્યાંથી જ અમને ટેટૂ બનાવાનો વિચાર આવ્યો. અમે વિચાર્યું કે, અમારી આંગળીઓની વચ્ચે એકબીજાના નામનો પહેલો અક્ષર ત્રોફાવી દઈએ. જોકે, ટેટૂ આર્ટિસ્ટે અમને આમ કરવાની ના પાડી કારણકે હાલની સ્થિતિમાં વારંવાર સેનિટાઈઝર લગાવતા રહીએ છીએ અને ટેટૂ બનાવ્યા પછી ઓછામાં ઓછું એક અઠવાડિયું સેનિટાઈઝર ના લગાવી શકાય. એટલે અમે ડિઝાઈન બદલી. હું અને અનુ રિલેશનશીપનો દેખાડો કર્યા વિના જરૂર પડે ત્યારે એકબીજાની પડખે રહીએ છીએ. 9 ઓગસ્ટે અમારી રિલેશનશીપની આઠમી એનિવર્સરી હતી ત્યારે અમે કંઈક યાદગાર કરવા માગતા હતા. એવું કંઈક જે અમને યાદ અપાવે કે અમે એકબીજા માટે બન્યા છીએ. આ મારું બીજું ટેટૂ છે પરંતુ અનુગ્રહનું આ પહેલું ટેટૂ હતું."

Read Next Story