એપશહેર

નવા અંદાજમાં ફરી હસાવશે 'ધ કપિલ શર્મા શો', આ મહિનાથી ટીવી પર કમબેક કરશે!

કપિલ શર્માનો 'ધ કપિલ શર્મા શો' ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં બંધ થયો હતો. હવે કોરોનાના વધતા કહેર વચ્ચે આ કોમેડી શોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

I am Gujarat 20 Mar 2021, 3:24 pm

હાઈલાઈટ્સ:

  • 'ધ કપિલ શર્મા શો' લગભગ બે વર્ષ સુધી ચાલ્યા બાદ બંધ થયો હતો.
  • કપિલ પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માગતો હતો ત્યારે શો બંધ થવાનું એક કારણ આ પણ હતું.
  • હાલ કપિલ પત્ની ગિન્ની અને બંને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kapil show n
કોમેડી કિંગ કપિલ શર્માના શો 'ધ કપિલ શર્મા શો'ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ ગત મહિને જ આ શોને બંધ કરી દેવામાં આવ્યો હતો. એ વખતે સામે આવ્યું હતું કે, શોના મેકર્સે 1-2 મહિના માટે શો બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને પછી નવા અવતાર સાથે પરત આવશે.
'ધ કપિલ શર્મા શો' ચાહકો આ શો બંધ થતાં માયૂસ થયા હતા અને આતુરતાથી તેની નવી સીઝનની રાહ જોતા હતા. હવે ખબર આવી રહી છે કે, કોરોનાના વધતા કહેરને જોતાં 'ધ કપિલ શર્મા શો'ની નવી સીઝનની પ્રસારણ તારીખને આગળ ધકેલવામાં આવી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો 'ધ કપિલ શર્મા શો' જુલાઈ મહિનામાં વાપસી કરશે. આશા રાખવામાં આવી રહી છે કે એ વખતે કોરોનાના કેસ ઓછા થઈ ગયા હશે અને માહોલ સામાન્ય થયો હશે. જો કે, હજી સુધી ચેનલ કે શોના મેકર્સ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. રિપોર્ટ પ્રમાણે, 'ધ કપિલ શર્મા શો'માં ફરીવાર લાઈવ ઓડિયન્સ બોલાવામાં આવી શકે છે.

આ કારણે બંધ કરાયો હતો શો

જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021ના બીજા અઠવાડિયામાં શો ઓફ-એર થયો હતો. ત્યારે શો સાથે જોડાયેલા સૂત્રએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, "આ શો હંમેશાથી લોકોને મનપસંદ રહ્યો છે. લાઈવ ઓડિયન્સ આ શોનો મહત્વનો ભાગ હતી પરંતુ કોરાના મહામારીના કારણે લાઈવ ઓડિયન્સ દૂર કરવામાં આવી હતી. ઉપરાંત ફિલ્મો પણ રિલીઝ નહોતી થતી જેના કારણે કોઈ બોલિવુડ સ્ટાર ફિલ્મનું પ્રમોશન કરવા આવતો નહોતો. એટલે મેકર્સે નિર્ણય કર્યો હતો કે હાલ શો બ્રેક લે તે જરૂરી છે. જ્યારે બધું બરાબર થશે ત્યારે નવી સીઝન લાવવામાં આવશે."

પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે કપિલ શર્મા

1 ફેબ્રુઆરી 2021ના રોજ કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથે એક દીકરાને જન્મ આપ્યો છે. એ વખતે પરિવારને ટાઈમ આપવા માટે પણ કપિલ શોમાંથી બ્રેક લેવા માગતો હતો. આ બધી બાબતોને જોતાં શો થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, હવે એવું લાગી રહ્યું છે કે, કોરોનાના કારણે કપિલના જોક્સ પર હસવા માટે થોડી વધારે રાહ જોવી પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો