એપશહેર

આ શખ્સ છે KBCનો અસલી માસ્ટર માઈન્ડ, અમિતાભ પણ તેના ઈશારે કામ કરે છે

Yogesh Gajjar | I am Gujarat 15 Oct 2019, 9:16 am
‘કોન બનેગા કરોડપતિ’ સીઝન 11 ટીવી શોના લોકપ્રિય શોમાંથી એક છે. દરેક સીઝનમાં આ શો ટીઆરપીની ટોપ લિસ્ટમાં રહે છે. અમિતાભ બચ્ચનનો શોને રજૂ કરવાનો અંદાજ દરેક સીઝનમાં દર્શકોને ખૂબ જકડી રાખે છે. શોમાં અત્યાર સુધી ઘણા પ્રતિયોગી રાતો રાત કરોડપતિ બની બની ગયા. જોકે તેમને જાણીને નવાઈ લાગશે કે આ શો પાછળનો અસલી માસ્ટર માઈન્ડ નહીં અન્ય એક ખાસ વ્યક્તિ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: તમને જાણીને નવાઈ લાગશે કે ‘કૌન બનેગા કરોડપતિ’ શો પાછળ તેના નિર્દેશક અરુણ શેષકુમારનું માઈન્ડ છે. અરુણે પોતાના કરિયરમાં ઘણા હિટ શો આપ્યા છે. અરુણ રિયાલિટી શોને હિટ કરવામાં માહેર છે. અરુણે ટીવીની ઓડિયન્સને બાકી શોથી અલગ કન્ટેન્ટ આપ્યું અને તે હિટ થઈ ગયા.
કેબીસીના નિર્દેશક અરુણ શેષકુમાર અમિતાભ બચ્ચન સાથે આ પહેલા અરુણ કુમાર ‘સત્યમેવ જયતે’, ‘સચ કા સામના’, ‘ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ’, ‘નચ બલિયે’ અને ‘ઝલક દિખલા જા’ જેવા શો આપી ચૂક્યા છે. આ ગેમ શો પાછળ પણ અરુણનું જ માઈન્ડ છે. ‘કૌન બનેગા કરોડપતિ’ શો અમિતાભના દિલની ખૂબ નિકટ છે અને તે મેકિંગ સુધી દરેક બાબત પર ધ્યાન આપે છે. શો વિશે અરુણ શેષકુમારે જણાવ્યું હતું કે અમિતાભ માત્ર શો હોસ્ટ નથી કરતા પરંતુ તેના મેકિંગમાં પણ સંપૂર્ણ રીતે શામેલ છે. કેબીસીની ટીમને તેઓ મળે છે અને દરેક વસ્તુની પહેલા પ્રેક્ટિસ કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો