એપશહેર

એક સમયે 110 કિલો હતું પાર્થ સમથાનનું વજન, ડોક્ટરે કહ્યું હતું વેટ લોસ કર નહીં તો...

મિત્તલ ઘડિયા | I am Gujarat 27 Nov 2019, 2:17 pm
‘કસૌટી જિંદગી કી 2’માં અનુરાગનો રોલ પ્લે કરી રહેલા પાર્થ સમથાન પાછળ આજે લાખો છોકરીઓ ફિદા છે. સોશિયલ મીડિયા પર પાર્થની ફેન ફોલોઈંગ વધારે છે તો એક્ટર પણ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતો રહે છે. પરંતુ એક સમય એવો તો જ્યાકે પાર્થનું વજન 110 કિલો હતું. પાર્થે જણાવ્યું કે તેણે કેવી રીતે પોતાને ફેટથી ફિટ કર્યો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: એક એન્ટરટેનમેન્ટ પોર્ટલ સાથે વાત કરતાં પાર્થે જણાવ્યું કે, તે ફિટ રહેવા માટે રોજના એક અથવા અઠવાડિયામાં લગભગ પાંચ દિવસ વર્કઆઉટ કરે છે. પાર્થનું કહેવું છે કે ફિટ રહેવા માટે ડાયટ સૌથી મહત્વનું છે. 70 ટકા ડાયટ અને 30 ટકા એક્સર્સાઈઝનું કોમ્બિનેશન જ વ્યક્તિને ફિટ બનાવે છે.ડાયટ વિશે વાત કરતાં પાર્થે કહ્યું કે, તે ડાયટમાં સલાડ અને પ્રોટીન સૌથી વધારે લે છે. કાર્બોહાઈડ્રેટ ઓછું લેવાય તેવા પ્રયાસો પણ કરે છે.પાર્થે જણાવ્યું કે સ્કૂલના દિવસોમાં તે 110 કિલોનો હતો અને તે સમયે તે પોતાના મમ્મીના હાથથી બનેલું નોનવેજ અને ગ્રેવીવાળું શાક ખાતો હતો. બાદમાં પોતાના પર કંટ્રોલ કરીને ટ્રાન્સફોર્મેશન કર્યું.ઈન્ટરવ્યૂમાં પાર્થને પૂછવામાં આવ્યું કે તેને તે વાતની જાણ ક્યારે થઈ કે તેને એક્ટિંગ કરવી છે, જે માટે તેને વજન ઓછું કરવાનું છે? આ સવાલનો જવાબ આપતાં પાર્થે કહ્યું કે, ‘એક્ટિંગ કરવા માટે મેં વજન નથી ઉતાર્યું. મારી સ્કૂલમાં ડોક્ટર રૂટિન ચેકઅપ માટે આવતા હતા અને તેમણે મને કહ્યું હતું કે તારૂં બ્લડ પ્રેશર વધારે છે. ડોક્ટરે તેમ પણ કહ્યું હતું કે જો આમ જ રહ્યું તો હાર્ટ અટેક પણ આવી શકે છે. મેં ડોક્ટરની વાતને ખૂબ ગંભીરતાથી લીધી અને વજન ઘટાડવાનું નક્કી કર્યું’.પાર્થે આગળ કહ્યું કે વજન ઉતારવા દરમિયાન તેને એટલો સ્ટ્રેસ થતો હતો કે તે પાણી પીતી વખતે પણ તેની કેલેરી ગણતો હતો. એક્ટરે કહ્યું કે, ‘મેં 4 મહિનામાં 32 કિલો વજન ઘટાડ્યું જે મારા માટે બિલકુલ સરળ નહોતું. આટલા ઓછા સમયમાં આટલું વજન ઓછું કરવું તે એક મુશ્કેલ ટાસ્ક હતો’.ટેલિવુડના હાર્ટથ્રોબ પાર્થને કોલેજમાં છોકરીઓ તરફથી ખૂબ પ્રપોઝલ આવતા હતા. છોકરીઓ તેને ક્યૂટ અને હેન્ડસમ કહેતી હતી. પાર્થે જણાવ્યું કે, સ્કૂલમાં જે છોકરીઓ તેની સામે જોતી પણ નહોતી તે હવે મેસેજ કરીને તેના ટ્રાન્સફોર્મેશનના વખાણ કરે છે.લગ્નના 7 વર્ષ બાદ કરીનાનો ખુલાસો, કહ્યું ‘સૈફે બેવાર પ્રપોઝ કર્યું હતું પણ…’
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો