Entertainment News : સીરિયલ 'અલીબાબા: દાસ્તાન-એ-કાબૂલ'ની એક્ટ્રેસ તુનિષા શર્મા (Tunisha Sharma)એ 24 ડિસેમ્બર 2022ના રોજ આત્મહત્યા કરી હતી. 20 વર્ષની તુનિષાએ આ શોના સેટ પર જીવન ટૂંકાવી લીધું હતું. જો તુનિષા જીવતિ હોત તો આજે તેનો 21મો જન્મદિવસ (Tunisha Sharma Birth Anniversary) ઉજવી રહી હોત. તુનિષાની મોતથી ફેન્સ, મિત્રો, કો-એક્ટર્સ સૌ આઘાતમાં છે. આજે તુનિષાનો જન્મદિવસ છે ત્યારે તેની ખોટ સૌથી વધુ વર્તાઈ રહી છે. તુનિષાની મમ્મી વનિતા શર્મા (Vanita Sharma)એ તેના 21મા બર્થ ડે માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમનું કહેવું છે કે, દીકરીને યાદ કરીને તેઓ આજે કેક કાપશે. 'તુનિષાને કામ નહોતું કરવું, મમ્મી જબરદસ્તી કરતી હતી', શીઝાનને બહેનોએ કર્યા ચોંકાવનારા દાવા
તુનિષા માટે રાખી હતી સરપ્રાઈઝ પાર્ટી
આજતકને આપેલા ઈન્ટરવ્યૂમાં તુનિષાની મમ્મીએ તેના બર્થ ડે પ્લાન, કઈ રીતે તુનિષા એક્ટિંગની દુનિયામાં આવી એ બધું જ જણાવ્યું છે. હવે તુનિષાના મોત પછી તેઓ જિંદગી કેવી રીતે કાપી રહ્યા છે એ અંગે પણ વાત કરી છે. તુનિષાના બર્થ ડે પ્લાન વિશે વાત કરતાં વનિતા શર્માએ કહ્યું, "હું તેને સરપ્રાઈઝ પાર્ટી આપવાની હતી. મેં વિચાર્યું હતું કે, થીમ કેક લઈ જઈશ અને તેના ફ્રેન્ડ્સને બોલાવીશ. ડિસેમ્બરની શરૂઆતથી જ મેં તેના બર્થ ડેનું પ્લાનિંગ શરૂ કર્યું હતું. તે મારી એકમાત્ર દીકરી હતી અને મારે તેનો જન્મદિવસ ઉજવવો છે. તે હંમેશા બર્થ ડે માટે ઉત્સાહિત રહેતી હતી. આ વખતે પણ ચંડીગઢમાં હું તેની બર્થ ડે ઉજવીશ. કેક કાપીને તેના વિના જ જન્મદિવસ ઉજવીશ. તેની બેસ્ટ ફ્રેન્ડ રિતિકા પાસે જ કેક બનાવડાવીશ."
મુંબઈમાં નહીં રહે તુનિષાની મમ્મી
તુનિષા વિના જિંદગી કેવી રીતે વિતાવશે તે અંગે વાત કરતાં વનિતા શર્માએ કહ્યું, "મેં કંઈ વિચાર્યું નથી. આગળ શું થશે, કઈ રીતે થશે, મને કંઈ સમજાતું નથી. પહેલા તો મને એ જ વિશ્વાસ નથી થઈ રહ્યો કે મારી દીકરી આ દુનિયામાં નથી રહી. એવું જ લાગે છે કે, જાણે હમણાં મમ્મા કહીને બોલાવશે. ખબર નહીં જિંદગી કઈ રીતે કપાશે...કપાશે પણ કે નહીં...મુંબઈ હું માત્ર તુનિષા માટે આવી હતી. હવે તે નથી રહી તો પછી આ શહેર પણ મારા કામનું નથી. હું ચંડીગઢ શિફ્ટ થવાની છું. ત્યાં તુનિષાના નાનાજી સાથે રહીશ."
2011માં તુનિષાએ ગુમાવ્યા પિતા
તુનિષા તેના પપ્પાની ખૂબ નિકટ હતી. વિશે જણાવતાં વનિતા શર્માએ કહ્યું, "મારા પતિનું નિધન 2011માં થયું હતું. તેમને લીવર સિરોસિસ થયો હતો. એ વખતે તુનિષાની ઉંમર 9 વર્ષ હતી. તુનિષા મારા કરતાં વધારે તેના પપ્પાની નજીક હતી. એક દિવસ એવો નહોતો જ્યારે તેના પપ્પા આવ્યા હોય અને તે તેમની સાથે ના ઊંઘી હોય. તેને ઊંઘમાં પણ પિતા જોઈતા હતા. તેમના અવસાન પછી તુનિષા ગુમસુમ થઈ ગઈ હતી. 2014માં અમે મુંબઈ આવ્યા અને દિન પ્રતિદિન તે વ્યસ્ત થવા લાગી હતી."
આ રીતે થઈ એક્ટિંગમાં એન્ટ્રી
તુનિષાની મમ્મીનું કહેવું છે કે બાળપણથી તે ખૂબ જ ટેલેન્ટેડ હતી. સ્કૂલમાં તેના ખૂબ વખાણ થતા હતા. એક્ટિંગના ક્ષેત્રે આવી ત્યારે પણ લોકો તેની પ્રશંસા કરતા થાકતા નહોતા. તુનિષાના એક્ટિંગ કરિયર વિશે વાત કરતાં તેની મમ્મીએ કહ્યું, "તુનિષાને પહેલો બ્રેક ફિલ્મ 'ફિતૂર'થી મળ્યો હતો. જોકે, આ પહેલા તુનિષાએ ચંડીગઢના મુખ્યમંત્રી રહી ચૂકેલા પ્રકાશ સિંહ બાદલ માટે એક કોમર્શિયલ શૂટ કરી હતી. ત્યાં એક કોરિયોગ્રાફરે તુનિશાને સ્ટેપ શીખવ્યું હતું તેણે સલાહ આપી હતી કે, તમારી દીકરી ખૂબ ટેલેન્ટેડ છે તેના પર ધ્યાન આપો. મુંબઈ લઈ જાવ, તે આગળ વધી શકે તેમ છે. તુનિષા એક્ટિંગની સાથે સિંગિંગમાં પણ સારી હતી. તેણે જસ્સી ગિલ સાથે બે ગીતો રેકોર્ડ કર્યા હતા અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તેનું શૂટિંગ પણ કરવાનું હતું. મારી દીકરીએ પેઈન્ટિંગ, ડાન્સિંગ, ગિટાર બધું જ યૂટ્યૂબ પરથી જોઈને શીખ્યું છે."
પહેલી ફિલ્મની ઓફર સલમાન ખાન સાથે મળી
"સાચું કહું તો મુંબઈમાં હું બે જ જણાંને ઓળખતી હતી. અમારા ફેમિલી ફ્રેન્ડ સલૂજાજી છે તેઓ ઈન્ડસ્ટ્રીમાંથી જ છે. બીજો પવન જે મારે માનેલો ભાઈ છે. સલૂજાજીએ સલાહ આપી હતી કે તુનિષાનો પોર્ટફોલિયો બનાવું. મેં તે બનાવીને મુંબઈમાં વિવિધ પ્રોડક્શન હાઉસમાં મોકલ્યો હતો. સાજિદ નડિયાદવાલાની ઓફિસે પણ મોકલ્યો હતો. સલમાન ખાનની એક ફિલ્મ માટે તેની પસંદગી પણ થઈ હતી. પરંતુ તેમાં તેના વાળ કાપવાના હોવાથી મેં ના પાડી દીધી. આ બધી જ ચર્ચા ચંડીગઢથી થઈ હતી. દરમિયાન સલૂજાજીએ મને એકવાર મુંબઈ આવીને તેને ઓડિશન અપાવવાનું કહ્યું. હું બે દિવસ માટે મુંબઈ આવી હતી પરંતુ એક વર્ષ સુધી ચંડીગઢ જઈ ના શકી", તેમ વનિતા શર્માએ ઉમેર્યું.
'...તો કદાચ મારી દીકરી બચી ગઈ હોત'
"તુનિષાએ મહારાણા પ્રતાપ સીરિયલમાં ચાંદ કંવરનો રોલ કર્યો હતો. આ દરમિયાન જ ફિતૂર ફિલ્મ માટે તેને ફાઈનલ કરવામાં આવી હતી. બેક ટુ બેક તેને પ્રોજેક્ટ મળવા લાગ્યા હતા. પહેલા હું પવનના ઘરે થોડા દિવસ માટે રોકાઈ હતી પરંતુ બાદમાં મારે ઘર ભાડે લેવું પડ્યું કારણકે તુનિષાનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. ફિતૂર માટે અમે બે મહિના શ્રીનગરમાં રહ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ને તેને બાર બાર દેખો ફિલ્મની ઓફર આવી. કાસ્ટિંગ ડાયરેક્ટરો તેને કેટરિના કૈફનું યંગ વર્ઝન કહેવા લાગ્યા હતા. ઈન્ટરનેટવાલા લવ, રાજા રણજીત સિંહ, કહાની 2માં પણ મારી દીકરીએ કામ કર્યું. તે ક્યારેય એક્ટિંગથી કંટાળી નહોતી. તે હંમેશા શૂટિંગ માટે ઉત્સાહિત હતી. હું વિચારું છું કે, તેણે આ શો કેમ સાઈન કર્યો, જો ના કર્યો હોત તો તે કદાચ બચી ગઈ હોત", તેમ વનિતા શર્માએ આગળ કહ્યું.
મોંઘી વસ્તુઓનો શોખ હતો
તુનિષાની મમ્મીએ કહ્યું કે તેમણે ક્યારેય તેને કોઈ બાબતની ખોટ વર્તાવા નથી દીધી. તેને જે ગમતું તે લઈ આપ્યું છે. તેને શોપિંગ નહોતી ગમતી પરંતુ મોંઘી વસ્તુઓનો શોખ હતો. તેને બ્રાન્ડેડ વસ્તુઓ ગમતી હતી. તેણે 18મા બર્થ ડે પર ડાયમંડ રિંગ માગી હતી. તેને આઈપેડ, લેપટોપ, મોંઘી કારનો શોખ હતો. તે ઓડી ખરીદવા માગતી હતી. તુનિષાની મમ્મીનું કહેવું છે કે, તેઓ આવતા વર્ષે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હતા. તુનિષા અને તેની મમ્મી મીરા રોડ પર આવેલા ભાડાના ઘરમાં રહેતા હતા. તુનિષાની મમ્મીનું કહેવું છે કે, લેપટોપથી ગાડી સુધી બધું જ EMI પર લીધેલું છે. તુનિષાની મમ્મીએ એમ પણ કહ્યું કે, તે નાની હતી ત્યારે તેઓ હંમેશા તેની સાથે સેટ પર જતાં હતા પરંતુ તે 18 વર્ષની થઈ પછી એકલી મોકલવા લાગ્યા. તુનિષા આત્મનિર્ભર બને તે માટે તેમણે આ નિર્ણય લીધો હતો.
તુનિષા માટે રાખી હતી સરપ્રાઈઝ પાર્ટી
આજતકને આપેલા ઈન્ટરવ્યૂમાં તુનિષાની મમ્મીએ તેના બર્થ ડે પ્લાન, કઈ રીતે તુનિષા એક્ટિંગની દુનિયામાં આવી એ બધું જ જણાવ્યું છે. હવે તુનિષાના મોત પછી તેઓ જિંદગી કેવી રીતે કાપી રહ્યા છે એ અંગે પણ વાત કરી છે. તુનિષાના બર્થ ડે પ્લાન વિશે વાત કરતાં વનિતા શર્માએ કહ્યું, "હું તેને સરપ્રાઈઝ પાર્ટી આપવાની હતી. મેં વિચાર્યું હતું કે, થીમ કેક લઈ જઈશ અને તેના ફ્રેન્ડ્સને બોલાવીશ. ડિસેમ્બરની શરૂઆતથી જ મેં તેના બર્થ ડેનું પ્લાનિંગ શરૂ કર્યું હતું. તે મારી એકમાત્ર દીકરી હતી અને મારે તેનો જન્મદિવસ ઉજવવો છે. તે હંમેશા બર્થ ડે માટે ઉત્સાહિત રહેતી હતી. આ વખતે પણ ચંડીગઢમાં હું તેની બર્થ ડે ઉજવીશ. કેક કાપીને તેના વિના જ જન્મદિવસ ઉજવીશ. તેની બેસ્ટ ફ્રેન્ડ રિતિકા પાસે જ કેક બનાવડાવીશ."
મુંબઈમાં નહીં રહે તુનિષાની મમ્મી
તુનિષા વિના જિંદગી કેવી રીતે વિતાવશે તે અંગે વાત કરતાં વનિતા શર્માએ કહ્યું, "મેં કંઈ વિચાર્યું નથી. આગળ શું થશે, કઈ રીતે થશે, મને કંઈ સમજાતું નથી. પહેલા તો મને એ જ વિશ્વાસ નથી થઈ રહ્યો કે મારી દીકરી આ દુનિયામાં નથી રહી. એવું જ લાગે છે કે, જાણે હમણાં મમ્મા કહીને બોલાવશે. ખબર નહીં જિંદગી કઈ રીતે કપાશે...કપાશે પણ કે નહીં...મુંબઈ હું માત્ર તુનિષા માટે આવી હતી. હવે તે નથી રહી તો પછી આ શહેર પણ મારા કામનું નથી. હું ચંડીગઢ શિફ્ટ થવાની છું. ત્યાં તુનિષાના નાનાજી સાથે રહીશ."
2011માં તુનિષાએ ગુમાવ્યા પિતા
તુનિષા તેના પપ્પાની ખૂબ નિકટ હતી. વિશે જણાવતાં વનિતા શર્માએ કહ્યું, "મારા પતિનું નિધન 2011માં થયું હતું. તેમને લીવર સિરોસિસ થયો હતો. એ વખતે તુનિષાની ઉંમર 9 વર્ષ હતી. તુનિષા મારા કરતાં વધારે તેના પપ્પાની નજીક હતી. એક દિવસ એવો નહોતો જ્યારે તેના પપ્પા આવ્યા હોય અને તે તેમની સાથે ના ઊંઘી હોય. તેને ઊંઘમાં પણ પિતા જોઈતા હતા. તેમના અવસાન પછી તુનિષા ગુમસુમ થઈ ગઈ હતી. 2014માં અમે મુંબઈ આવ્યા અને દિન પ્રતિદિન તે વ્યસ્ત થવા લાગી હતી."
આ રીતે થઈ એક્ટિંગમાં એન્ટ્રી
તુનિષાની મમ્મીનું કહેવું છે કે બાળપણથી તે ખૂબ જ ટેલેન્ટેડ હતી. સ્કૂલમાં તેના ખૂબ વખાણ થતા હતા. એક્ટિંગના ક્ષેત્રે આવી ત્યારે પણ લોકો તેની પ્રશંસા કરતા થાકતા નહોતા. તુનિષાના એક્ટિંગ કરિયર વિશે વાત કરતાં તેની મમ્મીએ કહ્યું, "તુનિષાને પહેલો બ્રેક ફિલ્મ 'ફિતૂર'થી મળ્યો હતો. જોકે, આ પહેલા તુનિષાએ ચંડીગઢના મુખ્યમંત્રી રહી ચૂકેલા પ્રકાશ સિંહ બાદલ માટે એક કોમર્શિયલ શૂટ કરી હતી. ત્યાં એક કોરિયોગ્રાફરે તુનિશાને સ્ટેપ શીખવ્યું હતું તેણે સલાહ આપી હતી કે, તમારી દીકરી ખૂબ ટેલેન્ટેડ છે તેના પર ધ્યાન આપો. મુંબઈ લઈ જાવ, તે આગળ વધી શકે તેમ છે. તુનિષા એક્ટિંગની સાથે સિંગિંગમાં પણ સારી હતી. તેણે જસ્સી ગિલ સાથે બે ગીતો રેકોર્ડ કર્યા હતા અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તેનું શૂટિંગ પણ કરવાનું હતું. મારી દીકરીએ પેઈન્ટિંગ, ડાન્સિંગ, ગિટાર બધું જ યૂટ્યૂબ પરથી જોઈને શીખ્યું છે."
પહેલી ફિલ્મની ઓફર સલમાન ખાન સાથે મળી
"સાચું કહું તો મુંબઈમાં હું બે જ જણાંને ઓળખતી હતી. અમારા ફેમિલી ફ્રેન્ડ સલૂજાજી છે તેઓ ઈન્ડસ્ટ્રીમાંથી જ છે. બીજો પવન જે મારે માનેલો ભાઈ છે. સલૂજાજીએ સલાહ આપી હતી કે તુનિષાનો પોર્ટફોલિયો બનાવું. મેં તે બનાવીને મુંબઈમાં વિવિધ પ્રોડક્શન હાઉસમાં મોકલ્યો હતો. સાજિદ નડિયાદવાલાની ઓફિસે પણ મોકલ્યો હતો. સલમાન ખાનની એક ફિલ્મ માટે તેની પસંદગી પણ થઈ હતી. પરંતુ તેમાં તેના વાળ કાપવાના હોવાથી મેં ના પાડી દીધી. આ બધી જ ચર્ચા ચંડીગઢથી થઈ હતી. દરમિયાન સલૂજાજીએ મને એકવાર મુંબઈ આવીને તેને ઓડિશન અપાવવાનું કહ્યું. હું બે દિવસ માટે મુંબઈ આવી હતી પરંતુ એક વર્ષ સુધી ચંડીગઢ જઈ ના શકી", તેમ વનિતા શર્માએ ઉમેર્યું.
'...તો કદાચ મારી દીકરી બચી ગઈ હોત'
"તુનિષાએ મહારાણા પ્રતાપ સીરિયલમાં ચાંદ કંવરનો રોલ કર્યો હતો. આ દરમિયાન જ ફિતૂર ફિલ્મ માટે તેને ફાઈનલ કરવામાં આવી હતી. બેક ટુ બેક તેને પ્રોજેક્ટ મળવા લાગ્યા હતા. પહેલા હું પવનના ઘરે થોડા દિવસ માટે રોકાઈ હતી પરંતુ બાદમાં મારે ઘર ભાડે લેવું પડ્યું કારણકે તુનિષાનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. ફિતૂર માટે અમે બે મહિના શ્રીનગરમાં રહ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ને તેને બાર બાર દેખો ફિલ્મની ઓફર આવી. કાસ્ટિંગ ડાયરેક્ટરો તેને કેટરિના કૈફનું યંગ વર્ઝન કહેવા લાગ્યા હતા. ઈન્ટરનેટવાલા લવ, રાજા રણજીત સિંહ, કહાની 2માં પણ મારી દીકરીએ કામ કર્યું. તે ક્યારેય એક્ટિંગથી કંટાળી નહોતી. તે હંમેશા શૂટિંગ માટે ઉત્સાહિત હતી. હું વિચારું છું કે, તેણે આ શો કેમ સાઈન કર્યો, જો ના કર્યો હોત તો તે કદાચ બચી ગઈ હોત", તેમ વનિતા શર્માએ આગળ કહ્યું.
મોંઘી વસ્તુઓનો શોખ હતો
તુનિષાની મમ્મીએ કહ્યું કે તેમણે ક્યારેય તેને કોઈ બાબતની ખોટ વર્તાવા નથી દીધી. તેને જે ગમતું તે લઈ આપ્યું છે. તેને શોપિંગ નહોતી ગમતી પરંતુ મોંઘી વસ્તુઓનો શોખ હતો. તેને બ્રાન્ડેડ વસ્તુઓ ગમતી હતી. તેણે 18મા બર્થ ડે પર ડાયમંડ રિંગ માગી હતી. તેને આઈપેડ, લેપટોપ, મોંઘી કારનો શોખ હતો. તે ઓડી ખરીદવા માગતી હતી. તુનિષાની મમ્મીનું કહેવું છે કે, તેઓ આવતા વર્ષે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હતા. તુનિષા અને તેની મમ્મી મીરા રોડ પર આવેલા ભાડાના ઘરમાં રહેતા હતા. તુનિષાની મમ્મીનું કહેવું છે કે, લેપટોપથી ગાડી સુધી બધું જ EMI પર લીધેલું છે. તુનિષાની મમ્મીએ એમ પણ કહ્યું કે, તે નાની હતી ત્યારે તેઓ હંમેશા તેની સાથે સેટ પર જતાં હતા પરંતુ તે 18 વર્ષની થઈ પછી એકલી મોકલવા લાગ્યા. તુનિષા આત્મનિર્ભર બને તે માટે તેમણે આ નિર્ણય લીધો હતો.