એપશહેર

ટીવી ઈન્ડસ્ટ્રીને ઝટકો: 'યે રિશ્તે હૈ પ્યાર કે' સીરિયલના એક્ટર સમીર શર્માએ કર્યો આપઘાત

મનોરંજન ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીવી એક્ટર સમીર શર્માએ પોતાના ઘરે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું છે.

I am Gujarat 6 Aug 2020, 1:18 pm
કોરોના સંકટ વચ્ચે એક્ટર્સના આત્મહત્યાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. હવે વધુ એક ટીવી એક્ટરની આત્મહત્યાના અહેવાલ છે. ટીવી એક્ટર સમીર શર્મા સંદિગ્ધ સ્થિતિમાં પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. સમીરનું શબ ઘરમાં પંખા સાથે લટકેલું મળ્યું હતું. સમીરના ઘરમાંથી દુર્ગંધ આવ્યા બાદ આ જાણકારી સામે આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, એક્ટરે આત્મહત્યા કરી લીધી છે. જો કે, પોલીસને હજી સુધી તેના ઘરેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી.
I am Gujarat sameer sharma


44 વર્ષીય એક્ટર સમીર શર્માએ બુધવારે મલાડ પશ્ચિમ સ્થિત સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ફાંસો ખાઈને જીવન ટૂકાવ્યું હતું. મલાડ પોલીસે જણાવ્યા અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીમાં જ સમીરે આ એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. રાત્રે ડ્યૂટી પર રાઉન્ડ મારતી વખતે વોચમેને સમીરનો મૃતેદહ લટકતો જોયો હતો અને સોસાયટીના સભ્યોને જાણકારી આપી હતી. હાલ તો આ મામલે પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ દાખલ કર્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે.

સમીર શર્માએ 'યે રિશ્તે હૈ પ્યાર કે', 'જ્યોતિ', 'કહાની ઘર ઘર કી', 'લેફ્ટ રાઈટ લેફ્ટ', 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી', 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂં- એકબાર ફીર' વગેરે જેવી સીરિયલોમાં કામ કર્યું હતું.

Read Next Story