એપશહેર

લગ્ન પહેલા ઉદિત નારાયણે દીકરાને આપી સલાહ: કંઈ થાય તો મા-બાપને દોષ ન આપતો

આદિત્ય નારાયણ ડિસેમ્બરમાં ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જ્યારે એક્ટરે લગ્નના નિર્ણય વિશે પિતા ઉદિત નારાયણને જાણ કરી તો તેમને આંચકો લાગ્યો હતો.

I am Gujarat 19 Oct 2020, 2:12 pm
આદિત્ય નારાયણે હાલમાં જ ફેન્સ સાથે ન્યૂઝ શેર કર્યા હતા કે, તે પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેની મુલાકાત 10 વર્ષ પહેલા તેમની ડેબ્યૂ ફિલ્મ 'શાપિત'ના સેટ પર થઈ હતી અને બાદમાં તેઓ પ્રેમમાં પડ્યા હતા. લોકડાઉનના કારણે આદિત્યએ માત્ર 50 મહેમાનોની હાજરીમાં મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે આ વાત એક ઈન્ટરવ્યૂ દરમિયાન કરી હતી, હવે તેના પિતા ઉદિત નારાયણનું કહેવું છે કે, તેઓ દીકરાના મેરેજ પ્લાન વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
I am Gujarat UDIT-ADITYA


ઉદિત નારાયણે દીકરા આદિત્યને સલાહ આપતા તેમ પણ કહ્યું કે, જો તેના લગ્નજીવનમાં કંઈ ગરબડ થાય તેણે તેના માતા-પિતા પર દોષનો ટોપલો ઢાલવવો નહીં. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં ઉદિત નારાયણે કહ્યું કે, 'હું શ્વેતાને ઘણા વર્ષોથી ઓળખું છું, પરંતુ માત્ર મારા દીકરાની મિત્ર તરીકે. એક દિવસ આદિત્ય મારી પાસે આવ્યો અને મને કહ્યું કે, તે શ્વેતા સાથે લગ્ન કરવા માગે છે. ત્યારે મેં તેને માત્ર એટલું જ કહ્યું કે, જો બાદમાં કંઈ થાય તો તું અમારો દોષ ન કાઢતો'.

ઉદિત નારાયણ એકના એક દીકરાના લગ્ન ધામધૂમથી કરવા માગતા ગતા. જો કે, કોરોના મહામારીને લઈને તેઓ સરકારે નક્કી કરેલા નિયમોની વિરુદ્ધમાં જવા માગતા નથી. સિંગરે કહ્યું કે, 'હું આદિત્યના ગ્રાન્ડ વેડિંગ કરાવવા ઈચ્છતો હતો અને ઘણા લોકોને બોલાવવા માગતો હતો. પરંતુ હું સરકારના નિર્ણયના વિરુદ્ધમાં નહીં જાઉ. હું આશા રાખું છું કે, ડિસેમ્બર સુધીમાં સ્થિતિ થોડી સુધરી જાય જેથી હું મારા દીકરાના લગ્ન માણી શકું'.

આપને જણાવી દઈએ કે, આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ 1 ડિસેમ્બરે મુંબઈના એક મંદિરમાં લગ્ન કરવાના છે. જેમાં માત્ર 50 મહેમાનો જ ઉપસ્થિત રહેશે. મહામારીના નિયમો સરકાર દ્વારા હટાવી લીધા બાદ આદિત્ય ગ્રાન્ડ રિસેપ્શન યોજી શકે છે.

અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં આદિત્યે શ્વેતા સાથેની પહેલી મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું કે, 'અમારી મુલાકાત ફિલ્મ શાપિતના સેટ પર 2010માં થઈ હતી. ત્યારથી અમે સાથે છીએ. અમે પણ અન્યની જેમ સંબંધોમાં ઉતાર-ચડાવ જોયા છે. અને તે સામાન્ય છે બરાબર?'.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો