એપશહેર

YRKKHમાં વૃષિકા મહેતાની એન્ટ્રી, કાર્તિક-નાયરા વચ્ચે ઉભી કરશે મુશ્કેલીઓ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નવા કેરેક્ટરની એન્ટ્રી થવાની છે. જેના કારણે નાયરા અને કાર્તિકની વચ્ચે મુશ્કેલીઓ ઉભી થશે.

TNN 30 Nov 2020, 12:24 pm
ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં ફરીથી ટાઈમ લીપ આવવાનો છે, નાયરા (શિવાંગી જોશી) અને કાર્તિક (મોહસિન ખાન) નવા શહેરમાં નવું જીવન શરુ કરવાના છે. ફેન્સમાં કાયરા તરીકે જાણીતું આ કપલ હવે મુંબઈમાં શિફ્ટ થવાનું છે. સીરિયલના અપકમિંગ ટ્રેકમાં એક નવા ચહેરાની એન્ટ્રી થવાની છે. પ્રોડ્યૂસર રાજન શાહીએ 'દિલ દોસ્તી ડાન્સ' ફેમ વૃષિકા મહેતાને કાસ્ટ કરી છે. તે રિદ્ધિમાનો રોલ પ્લે કરશે, જેની એન્ટ્રીથી નાયરા અને કાર્તિકના જીવનમાં મુશ્કેલીઓ ઉભી થશે.
I am Gujarat vrushika mehta to join yeh rishta kya kehlata hai
YRKKHમાં વૃષિકા મહેતાની એન્ટ્રી, કાર્તિક-નાયરા વચ્ચે ઉભી કરશે મુશ્કેલીઓ


શો સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, 'વૃષિકા સાઈકિયાટ્રિકનો રોલ પ્લે કરશે. તે કાયરવની સારવાર કરતી વખતે તેની સાથે અટેચ થઈ જશે અને તે કાયરવને નાયરાની ક્લોઝ જવા દેશે નહીં. બાદમાં ધીમે-ધીમે તે કાર્તિકના પ્રેમમાં પડી જશે'.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આ અંગે વાત કરવા માટે વૃષિકાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેણે કોલ કે મેસેજનો કોઈ જવાબ આપ્યો નથી.

View this post on Instagram A post shared by naira_kartik24 (@naira_kartik24)

કાર્તિક અને નાયરાના એક ફેન પેજે શૂટિંગના સેટ પરથી તસવીર શેર કરી છે. તેમાં મોહસિન ખાન, વૃષિકા મહેતા અને કાયરવનો રોલ પ્લે કરી રહેલો ચાઈલ્ડ આર્ટિસ્ટ દરિયાકિનારે શૂટિંગ કરી રહ્યા છે. જેના પર ફેને લખ્યું છે કે, 'ખૂબ ઉત્સાહિત છીએ પરંતુ જે પણ હોઈ કાર્તિક અને નાયરા અલગ ન થવા જોઈએ'.

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' હિંદી ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક છે. આ સીરિયલની શરુઆત અક્ષરા (હિના ખાન) અને નૈતિકની (કરણ મહેરા) સ્ટોરીથી થઈ હતી. બાદમાં ધીમે-ધીમે આ સ્ટોરી કાર્તિક અને નાયરા પર કેન્દ્રીત થઈ છે.

શિવાંગી જોશી અને મોહસિન ખાનની જોડી ફેન્સને પસંદ આવી રહી છે. શરુઆતમાં બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા હતા. જો કે, બંનેમાંથી આજસુધી કોઈએ પણ આ વાત સ્વીકારી નથી.

Read Next Story