એપશહેર

સુશાંતના મોત પર સમીર શર્માએ કહ્યું હતું - પોતાનો જીવ લેનારો કાયર નથી હોતો

બુધવારે પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવેલા ટીવી એક્ટરે સુશાંતના અવસાન વખતે ડિપ્રેશન-આત્મહત્યા પર શેર કરી હતી આવી પોસ્ટ

I am Gujarat 6 Aug 2020, 11:50 pm
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ બધાને હચમચાવી દીધા હતા અને આ ઘટનાને લોકો ભૂલાવી શક્યા નહોતા તે પહેલા જ મૉડલ-એક્ટર સમીર શર્મા મુંબઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો. જણાવી દઈએ કે, સુશાંતના મોત બાદ સમીરે મેન્ટલ હેલ્થના મહત્વ પર એક પોસ્ટ કરી હતી.
I am Gujarat when samir sharma shared post about depression after sushant singh rajput death by suicide
સુશાંતના મોત પર સમીર શર્માએ કહ્યું હતું - પોતાનો જીવ લેનારો કાયર નથી હોતો


સુશાંતના મોત બાદ જણાવવામાં આવ્યું હતું કે, તે ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવી રહ્યો હતો. ત્યારબાદ સમીર શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. સમીરે ડિપ્રેશન વિશે લખ્યું હતું કે, બસ બૂમો પાડવાનું બંધ નહીં થાય અને જે વ્યક્તિ પોતાનો જીવ લઈ લે છે તે કાયર નથી હોતો.

જણાવી દઈએ કે, 44 વર્ષીય સમીર શર્માનું બુધવારે મોડી નિધન થયું હતું. તેમનો મૃતદેહ તેમના રસોડાના પંખાથી લટકેલો મળ્યો હતો. સમીર મુંબઈના મલાડ વિસ્તારમાં રહેથો હતો. રિપોર્ટ અનુસાર, એક્ટરના મોતનો રિપોર્ટ નોંધી લેવાયો છે અને મૃતદેહને ઑટોપ્સી માટે મોકલી દેવાયો છે.

પોલીસ અનુસાર, મસમીર આ એપાર્ટમેન્ટમાં ફેબ્રુઆરી મહિનામાં જ શિફ્ટ થયો હતો. સોસાયટીના વૉચમેને જ સૌથી પહેલા ડેડબૉડી જોઈ હતી. એક્ટરની બૉડી જોઈ પોલીસ અનુમાન બાંધી રહી છે કે, આ સુસાઈડનો કેસ છે અને ઘટના બે દિવસ પહેલાની છે. જોકે, હજુ આ તરફ તપાસ ચાલી રહી છે.

જણાવી દઈએ કે, સમીર શર્મા ટીવાના ચર્ચિત શોઝ ઉપરાંત 2014માં ફિલ્મ 'હસી તો ફસી'માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે 2017માં આવેલી 'ઈત્તેફાક'માં પણ કામ કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો