એપશહેર

'તારક મેહતા...'માં કેમ પાછા નથી આવી રહ્યા 'દયાબેન'? પતિએ મેકર્સ સામે મૂકી છે આ શરત

Yogesh Gajjar | I am Gujarat 13 Apr 2019, 2:48 pm
I am Gujarat why daya ben not returning to tarak mehta ka show
'તારક મેહતા...'માં કેમ પાછા નથી આવી રહ્યા 'દયાબેન'? પતિએ મેકર્સ સામે મૂકી છે આ શરત


‘તારક મેહતા..’માં પાછા આવવાથી દયાબેનનો ઈનકાર

ટીવીનો લોકપ્રિય સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ફેન્સ દિશા વાકાણીના પાછા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જાણકારી છે કે દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણીએ હવે શોમાં પાછા આવવાથી ઈનકાર કરી દીધો છે. પરંતુ આ વચ્ચે જાણકારી આવી છે કે દિશા શોમાં કમબેક કરી શકે છે, જો મેકર્સ તેની માગણી પૂરી કરે તો.

પતિએ મેકર્સ સામે મૂકી છે શરત?

કોઈમોઈની એર રિપોર્ટ મુજબ દિશા વાકાણીના પતિ મયૂરે મેકર્સને બાકીની રકમ ચૂકવવા માટે કહ્યું છે. જોકે નિર્માતાઓએ તેનો જવાબ આપતા પૈસાની ચૂકવણી વિશેના બધા દાવાનું ખંડન કર્યું છે.

નિર્માતાને સ્વીકાર નથી માગણી

કેટલીક અન્ય રિપોર્ટ્સ અનુસાર, દિશાના પતિએ નિર્માતાઓ પાસે માગણી કરી છે કે એક્ટ્રેસ માત્ર દિવસમાં 4 કલાક અને મહિનામાં 15 દિવસ કામ કરશે. આ પ્રકારની માગણીનો નિર્માતાઓએ અસ્વીકાર કરી દીધો છે, જેના કારણે દિશા વાકાણીના પાછા આવવાનો રસ્તો બંધ થઈ ગયો છે.

પ્રોડ્યૂસર્સ શોધી રહ્યા છે નવા દયાબેન

જાણકારી છે કે પ્રોડ્યુસર્સે દિશા વાકાણીના પાત્ર માટે અન્ય એક્ટ્રેસ શોધવાનું શરૂ કરી દીધું છે. મેકર્સ ઈચ્છે છે કે દયાબેનનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ એકદમ દિશા વાકાણી જેવી હોય, જેથી દર્શકોને તેમની ઉણપ ન વર્તાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો