અરમાન મલિક (Armaan Malik) તેવા યૂટ્યૂબરમાંથી એક છે, જે તેની પ્રોફેશનલ લાઈફ કરતાં વધારે પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. તેનો વ્યવસાય શું છે તે ભાગ્યે જ જાણતો હશે પરંતુ તે બે પત્નીઓ સાથે એક જ છત નીચે રીતે છે તેની ખબર સૌને હશે. તેણે પત્ની- પાયલ મલિક (Payal Malik) અને ક્રિતિકા મલિક (Kritika Malik) એકસાથે પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી ત્યારથી કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહ્યો છે. તે પહેલાથી જ દીકરા ચિરાયુનો પિતા હતો અને એક મહિના પહેલા જ વધુ ત્રણ બાળકોનો પિતા બન્યો છે. તેની પત્ની ક્રિતિકાએ દીકરા ઝૈદ જ્યારે પાયલે જુડવા બાળકો- દીકરી તુબા અને દીકરા અયાનને જન્મ આપ્યો છે. અરમાને તેના ત્રણેય નવજાત બાળકોને મુસ્લિમ નામ આપતાં તેને ખૂબ ટ્રોલ કરવામાં આવતો હતો. જો કે, ઘણા વિચાર વિમર્શ કર્યા બાદ તેણે બાળકોના નામ બદલી નાખ્યા છે. આ વાતની જાણકારી લેટેસ્ટ વ્લોગમાં આપવામાં આવી છે. હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
અરમાન મલિકે બદલ્યા બાળકોના નામ
બાળકોને ઝૈદ, અયાન અને તુબા તેમ મુસ્લિમ નામ આપવા પર ખૂબ સવાલ થયા હતા અને સોશિયલ મીડિયા પર ત્રણેયે ઘણી ખરીખોટી સાંભળવી પડી હતી. ટ્રોલ્સનું કહેવું હતું કે, અરમાન અને તેની બંને પત્ની હિંદુ છે તો બાળકોને મુસ્લિમ નામ કેમ આપ્યા. તો કેટલાક ફેન્સ મલિક પરિવાર સમક્ષ તુબા અને ઝૈદનું નામ બદલવાની વિનંતી કરી રહ્યા હતા. તેવામાં અરમાન મલિકે આખરે બાળકોના નામ બદલીને હિંદુ રાખ્યા છે. વ્લોગમાં તેણે જમાવ્યું કે, ઝૈદનું રાશિ પ્રમાણે પ જ્યારે તુબાનું ક અક્ષરથી નામ આવ્યું છે. આ માટે તે ઝૈદનું નામ પાર્થ અથવા પૃથ્વી તો તુબાનું નામ કિયારા અથવા કાશવી રાખવાનું વિચારી રહી છે. આ માટે તે ઘરમાં હાજર બધાના ઓપિનિયન લે છે અને અંતમાં તે પતિ અરમાનને વીડિયો કોલ કરીને પૂછે છે. જેમાં અરમાન ઝૈદનું નામ પૃથ્વી અને તુબાનું નામ કિયારા ફાઈનલ કરે છે. અંતમાં પાયલ કહે છે કે તો હવેથી તુબાને કિયારા અને ઝૈદને પૃથ્વી કહીને બોલાવવામાં આવશે.
પતિની હરકતથી પરેશાન થઈ દલજીત કૌર, બીજા લગ્નના બે જ મહિનામાં આવા છે હાલ
મુસ્લિમ નામ રાખવા પર ટ્રોલ થતાં શું કહ્યું હતું?
6 એપ્રિલે ક્રિતિકા મલિકની ડિલિવરી થઈ તે બાદ તરત જ દીકરાનું નામ ઝૈદ રાખ્યું હોવાની જાહેરાત કરી હતી. જ્યારે આ માટે અરમાન ટ્રોલ થયો તો તેણે કહ્યું હતું કે, 'હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ છે, જેમને આ નામથી પરેશાની થઈ રહી છે તેમને જણાવી દઉ કે મારા જે જુડવા બાળકો આવવાના છે, તેમાંથી એકનું નામ હું સિખ ધર્મ અને એકનું નામ ઈસાઈ ધર્મ પરથી રાખવાનું છે'. જો કે, પાયલે જ્યારે દીકરા અને દીકરીને જન્મ આપ્યો ત્યારે ફરીથી તેમને મુસ્લિમ નામ આપવામાં આવ્યા અને આ માટે ત્રણેય ફરી ટ્રોલ થયા. ત્યારે ક્રિતિકાએ બધાને જવાબ આપતાં કહ્યું હતું કે, આ એવા નામ છે જે અરમાનને પહેલાથી પસંદ હતા. આ સિવાય હિંદુ નામ હોય કે મુસ્લિમ નામ બાળકો માટે બધું સરખું જ છે.
આ એક વાતનું ધ્યાન રાખ્યું હોત તો આજે જીવિત હોત 'સારાભાઈ vs સારાભાઈ'ની 'જાસ્મિન'
અરમાન મલિક સાથે ચેઈન સ્નેચિંગની ઘટના
અરમાન મલિક તેના રોજિંદા જીવન વિશે ઘણા વ્લોગ શેર કરતો રહે છે. આવા જ લેટેસ્ટ વ્લોગમાં તે લૂંટનો શિકાર બન્યો હોવાની જાણકારી આપી હતી. તે જ્યારે જિમથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર સવાર બે શખ્સોએ તેનો પીછો કર્યો હતો. યૂટ્યૂબરની બાજુમાં જે વ્યક્તિ બેઠો હતો તેને શંકા ગઈ હતી પરંતુ તેણે અવગણના કરી હતી. અરમાનના કહેવા પ્રમાણે, બાઈકચાલકે તેની કારને રોકી હતી અને મોલ જવા તરફનું એડ્રેસ પૂછ્યું હતું. તે કંઈ જવાબ આપે તે પહેલા જ શખ્સ ગળામાંથી સોનાની ચેઈન ખેંચી ભાગી ગયો હતો. શખ્સોની બાઈકમાં નંબર પ્લેટ નહોતી. અરમાને આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી, બીજી તરફ તેને આ ઘટનાના કારણે ગળામાં ઈજા પહોંચતા પાયલ અને ક્રિતિકા થોડી દુઃખી થઈ હતી.
Read latest Entertainment News and Gujarati News
અરમાન મલિકે બદલ્યા બાળકોના નામ
બાળકોને ઝૈદ, અયાન અને તુબા તેમ મુસ્લિમ નામ આપવા પર ખૂબ સવાલ થયા હતા અને સોશિયલ મીડિયા પર ત્રણેયે ઘણી ખરીખોટી સાંભળવી પડી હતી. ટ્રોલ્સનું કહેવું હતું કે, અરમાન અને તેની બંને પત્ની હિંદુ છે તો બાળકોને મુસ્લિમ નામ કેમ આપ્યા. તો કેટલાક ફેન્સ મલિક પરિવાર સમક્ષ તુબા અને ઝૈદનું નામ બદલવાની વિનંતી કરી રહ્યા હતા. તેવામાં અરમાન મલિકે આખરે બાળકોના નામ બદલીને હિંદુ રાખ્યા છે. વ્લોગમાં તેણે જમાવ્યું કે, ઝૈદનું રાશિ પ્રમાણે પ જ્યારે તુબાનું ક અક્ષરથી નામ આવ્યું છે. આ માટે તે ઝૈદનું નામ પાર્થ અથવા પૃથ્વી તો તુબાનું નામ કિયારા અથવા કાશવી રાખવાનું વિચારી રહી છે. આ માટે તે ઘરમાં હાજર બધાના ઓપિનિયન લે છે અને અંતમાં તે પતિ અરમાનને વીડિયો કોલ કરીને પૂછે છે. જેમાં અરમાન ઝૈદનું નામ પૃથ્વી અને તુબાનું નામ કિયારા ફાઈનલ કરે છે. અંતમાં પાયલ કહે છે કે તો હવેથી તુબાને કિયારા અને ઝૈદને પૃથ્વી કહીને બોલાવવામાં આવશે.
પતિની હરકતથી પરેશાન થઈ દલજીત કૌર, બીજા લગ્નના બે જ મહિનામાં આવા છે હાલ
મુસ્લિમ નામ રાખવા પર ટ્રોલ થતાં શું કહ્યું હતું?
6 એપ્રિલે ક્રિતિકા મલિકની ડિલિવરી થઈ તે બાદ તરત જ દીકરાનું નામ ઝૈદ રાખ્યું હોવાની જાહેરાત કરી હતી. જ્યારે આ માટે અરમાન ટ્રોલ થયો તો તેણે કહ્યું હતું કે, 'હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ છે, જેમને આ નામથી પરેશાની થઈ રહી છે તેમને જણાવી દઉ કે મારા જે જુડવા બાળકો આવવાના છે, તેમાંથી એકનું નામ હું સિખ ધર્મ અને એકનું નામ ઈસાઈ ધર્મ પરથી રાખવાનું છે'. જો કે, પાયલે જ્યારે દીકરા અને દીકરીને જન્મ આપ્યો ત્યારે ફરીથી તેમને મુસ્લિમ નામ આપવામાં આવ્યા અને આ માટે ત્રણેય ફરી ટ્રોલ થયા. ત્યારે ક્રિતિકાએ બધાને જવાબ આપતાં કહ્યું હતું કે, આ એવા નામ છે જે અરમાનને પહેલાથી પસંદ હતા. આ સિવાય હિંદુ નામ હોય કે મુસ્લિમ નામ બાળકો માટે બધું સરખું જ છે.
આ એક વાતનું ધ્યાન રાખ્યું હોત તો આજે જીવિત હોત 'સારાભાઈ vs સારાભાઈ'ની 'જાસ્મિન'
અરમાન મલિક સાથે ચેઈન સ્નેચિંગની ઘટના
અરમાન મલિક તેના રોજિંદા જીવન વિશે ઘણા વ્લોગ શેર કરતો રહે છે. આવા જ લેટેસ્ટ વ્લોગમાં તે લૂંટનો શિકાર બન્યો હોવાની જાણકારી આપી હતી. તે જ્યારે જિમથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર સવાર બે શખ્સોએ તેનો પીછો કર્યો હતો. યૂટ્યૂબરની બાજુમાં જે વ્યક્તિ બેઠો હતો તેને શંકા ગઈ હતી પરંતુ તેણે અવગણના કરી હતી. અરમાનના કહેવા પ્રમાણે, બાઈકચાલકે તેની કારને રોકી હતી અને મોલ જવા તરફનું એડ્રેસ પૂછ્યું હતું. તે કંઈ જવાબ આપે તે પહેલા જ શખ્સ ગળામાંથી સોનાની ચેઈન ખેંચી ભાગી ગયો હતો. શખ્સોની બાઈકમાં નંબર પ્લેટ નહોતી. અરમાને આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી, બીજી તરફ તેને આ ઘટનાના કારણે ગળામાં ઈજા પહોંચતા પાયલ અને ક્રિતિકા થોડી દુઃખી થઈ હતી.
Read latest Entertainment News and Gujarati News