એપશહેર

અદાણીના નામે સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલી આ રેલવે પ્લેટફોર્મ ટિકિટનું સત્ય શું છે?

અદાણીએ રેલવે ખરીદવાનો દાવો સંપૂર્ણરીતે ખોટો છે. કોઈએ આ પ્લેટફોર્મ ટિકિટમાં એડિટિંગ કરીને ઉપરની તરફ અદાણી રેલવે, રેલવે હવે અમારી ખાનગી સંપત્તિ છે એવું લખી દીધું છે.

I am Gujarat 29 Dec 2020, 10:25 pm
સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 'ભારતીય રેલવે હવે અદાણીની ખાનગી સંપત્તિ છે.' આ મેસેજમાં પૂના રેલવે સ્ટેશનની એક પ્લેટફોર્મ ટિકિટ શેર કરવામાં આવી છે. જેના પર એવું લખેલું જોવા મળી રહ્યું છે કે અદાણી રેલવે, રેલવે હવે અમારી ખાનગી સંપત્તિ છે. હવે આ પ્લેટફોર્મ ટિકિટનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છો. તો ચાલો જાણીએ આ ફોટોગ્રાફ પાછળની હકીકત શું છે.
I am Gujarat w8


સોશિયલ મીડિયામાં વાયરલ આ તસવીરની સાથે એવું લખવામાં આવ્યું છે કે 'ખાનગી હાથમાં સોંપવામાં આવેલા પૂના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની આ ટિકિટ છે. 2 કલાકના 50 રૂપિયા લાગશે.' ત્યારે હવે એવો સવાલ થાય છે કે શું ખરેખર પ્લેટફોર્મ ટિકિટના 10 રૂપિયામાંથી 50 રૂપિયા થઈ ગયા છે?

અદાણીએ રેલવે ખરીદવાનો દાવો સંપૂર્ણરીતે ખોટો છે. કોઈએ આ પ્લેટફોર્મ ટિકિટમાં એડિટિંગ કરીને ઉપરની તરફ અદાણી રેલવે, રેલવે હવે અમારી ખાનગી સંપત્તિ છે એવું લખી દીધું છે. હવે એડિટ કરવામાં આવેલો આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર કોઈ પ્રકારની હકીકત જાણ્યા વિના શેર કરવામાં આવી રહ્યો છે.

કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પૂના જંક્શનની પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા કરવામાં આવી છે. પણ, હવે તેને સોશિયલ મીડિયામાં જે રીતે રજૂ કરવામાં આવી રહી છે તે ખોટું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો