એપશહેર

એલ.જે.ફાર્મસી કોલેજમાં 100થી વધુ પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે

I am Gujarat 28 Jul 2016, 11:52 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 100 16
એલ.જે.ફાર્મસી કોલેજમાં 100થી વધુ પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે


– રાજ્યમાં આવેલી ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસીમા પ્રવેશ માટે હાલ પ્રક્રિયા શરૂ છે. વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ માટે તા.૨૮મીથી ૩૦મી સુધીની સમયમર્યાદા અપાઈ છે. આગામી તા.૨ જુલાઇએ પહેલા રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે. આ સ્થિતિમાં જે કોલેજોને પીસીઆઇ એટલે કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી નથી તેઓએ તા.૩૧મી ડિસેમ્બર પહેલા મંજૂરી મેળવી લેવાની સૂચના છે. જે કોલેજો આ સમયમર્યાદામાં મંજૂરી નહીં મેળવે તેવી કોલેજોમાં ફાળવાયેલા વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં તબદિલ કરાશે. નોંધનીય છે કે ફાર્મસીમાં પ્રવેશ માટે પીસીઆઇ અને એઆઇસીટીઇ બન્નેની મંજૂરી જરૂરી છે. પરંતુ એલ.જે. કોલેજને પીસીઆઇ દ્વારા ૫૯ અને એઆઇસીટીઇ દ્વારા ૨૪૦ વિદ્યાર્થીઓને મંજૂરી અપાઈ હતી. આ મુદ્દે હાઇકોર્ટમાં રિટ થઇ હતી. હજુસુધી આખરી ચુકાદો આવ્યો નથી પરંતુ કોર્ટે આપેલા નિર્દેશ પ્રમાણે હાલ એલ.જે.કોલેજમાં ૧૦૦ વિદ્યાર્થીઓનો નિયમ પ્રમાણે પ્રવેશ અપાશે. પરંતુ ૧૦૦ પછી ૧૪૦ વિદ્યાર્થીઓને જે પ્રવેશ અપાય તેને પ્રોવિઝનલ એડમિશન ગણાશે. એસીપીસી દ્વારા ફાળવાતા પ્રવેશની ૭૫ ટકા બેઠકો પૈકીની પ્રથમ ૭૫ બેઠકો પછીની બેઠકો પર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે. આ ઉપરાંત કોલેજ દ્વારા ૨૫ ટકા મેનેજમેન્ટ કવોટાની પ્રથમ ૨૫ બેઠકો પર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે. આ ઉપરાંત રાધે સ્કૂલ ઓફ ફાર્મસીને આ વખતે પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવાનું નક્કી કરાયું છે. પ્રોવિઝનલ બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને હાઇકોર્ટના અંતિમ ચુકાદા પ્રમાણે ફેરફાર કરાશે તેવી સ્પષ્ટતા પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો