એપશહેર

આવતીકાલે જાહેર થશે સામાન્ય પ્રવાહનું પરિણામ? જાણી લો વાયરલ મેેસેજની હકીકત

Gaurang Joshi | I am Gujarat 18 May 2020, 6:40 pm
અમદાવાદઃ કોરોના વાયરસની ઘાતક મહામારી વચ્ચે ક્યાંક શિક્ષણ બંધ છે તો ક્યાંક ઓનલાઈન ક્લાસિસ વડે સ્કૂલો પોતાનું કામ ચલાવી રહી છે. આ દરમિયાન CBSEએ પણ 12માં ધોરણની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જ્યાં 1થી 15 જુલાઈ દરમિયાન પરીક્ષા લેવાશે. તો તાજેતરમાં જ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ સામે આવ્યું હતું. જ્યાં વિજ્ઞાન પ્રવાહના પરિણામની ટકાવારી 71.34 રહી છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે પરંતુ આ મેસેજ ફેક છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઆવતીકાલે જાહેર નહીં થાય પરિણામધોરણ 12 સાયન્સ પ્રવાહના પરિણામ પછી સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે ત્યારે સોશિયલ મીડિયામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે એવો એક મેસેજ ફરતો થયો છે. જોકે, આ મેસેજ અંગે બોર્ડના ચેરમેન એ જે શાહે ખુલાસો કર્યો છે કે આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોઈ જ પરિણામ જાહેર થવાનું નથી. હાલ અમારી પાસે અપૂરતો સ્ટાફ છે. જેના કારણે જૂન મહિનામાં પરિણામ આવવાની શક્યતા છે.
બોર્ડે જણાવ્યું કે 12 સાયન્સ પ્રવાહના પરિપત્ર સાથે ચેડા કરીને મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છેઆ પણ વાંચોઃ ધોરણ-12 સાયન્સનું પરિણામ 71.34% જાહેર, પાછલા 8 વર્ષનું સૌથી નીચું પરિણામ રહ્યુંપરિપત્ર સાથે ચેડા કરી ફેલાવી અફવાસોશિયલ મીડિયામાં પરિણામ અંગે જે મેસેજ વાયરલ થયો છે તે તદ્દન ફેક મેસેજ છે. સોશિયલ મીડિયામાં ફરતા આ મેસેજ અંગે બોર્ડના ચેરમેન એ જે શાહે ખુલાસો કર્યો હતો કે હાલ સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે ખોટો છે. ધોરણ 12 સાયન્સ પ્રવાહના પરિપત્ર સાથે ચેડા કરીને કોઈ તત્વોએ આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. બોર્ડ હાલ આ અંગે તપાસ કરી રહ્યું છે અને અફવા ફેલાવનાર સામે ગંભીર કાર્યવાહી પણ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો