એપશહેર

સુરતમાં કોરોનાના 227 અને અમદાવાદમાં 186 નવા કેસ નોંધાયા

અમદાવાદ અને સુરત શહેરમાં કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો નથી

I am Gujarat 28 Oct 2020, 7:38 pm
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. સુરત અને અમદાવાદમાં પણ કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 227 નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 186 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ અને સુરતમાં કેસની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. આ ઉપરાંત સુરત જિલ્લા તથા રાજકોટ અને જામનગર શહેરમાં પણ કોરોનાના કેસ ઘટ્યા છે. જોકે, સુરત અને અમદાવાદ શહેરમાં કેસની સંખ્યા હજી પણ 160થી ઉપર નોંધાઈ રહ્યા છે.
I am Gujarat 227 new coronavirus cases register in surat and 186 in ahmedabad
સુરતમાં કોરોનાના 227 અને અમદાવાદમાં 186 નવા કેસ નોંધાયા


અમદાવાદ શહેરમાં 161 નવા કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 161 નવા કેસ નોંધાયા છે. જોકે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. અમદાવાદ શહેરમાં 214 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં કેસની સંખ્યા 20થી ઉપર નોંધાઈ છે. અમદાવાદ જિલ્લામાં 25 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

સુરત શહેરમાં 163 કેસ સામે આવ્યા

સુરત શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો નથી. સુરત જિલ્લામાં કેસ ઘટી રહ્યા છે. સુરત શહેરમાં દૈનિક કેસ 160થી વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોનાના 163 નવા કેસ નોંધાયા છે જ્યારે 192 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 64 કેસ સામે આવ્યા છે અને 65 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે સુરત શહેરમાં તથા જિલ્લામા એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

રાજકોટ અને જામનગર શહેરમાં કેસ ઘટ્યા

રાજકોટ શહેર અને જામનગર શહેરમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. એક સમયે અહીં 100થી વધુ દૈનિક કેસ નોંધાઈ રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 53 નવા કેસ સામે આવ્યા છે અને 74 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 38 કેસ સામે આવ્યા છે અને 30 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર શહેરમાં 20 કેસ સામે આવ્યા છે જ્યારે જામનગર જિલ્લામાં 10 કેસ નોંધાયા છે અને 20 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કારણે રાજકોટ જિલ્લામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

વડોદરામાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં

વડોદરા શહેરમાં કોવિડ-19ની પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. દૈનિક કેસની સંખ્યા 70થી વધારે નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 74 નવા કેસ નોંધાયા છે જ્યારે 70 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 39 કેસ નોંધાયા છે. જ્યારે 50 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. વડોદરા શહેર કે જિલ્લામાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ નોંધાયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો