એપશહેર

ડિપ્લોમા ઇજનેરીની સરકારી 2418 બેઠકો આજે ઓનલાઇન ફાળવાશે

I am Gujarat 13 Sep 2016, 5:29 am
સંચાલકોએ ફ્રી શીપ કાર્ડના આધારે ભૂતિયા વિદ્યાર્થીઓ ઊભા કર્યાની શંકા મજબૂત
I am Gujarat gujarat/ahmedabad/2418
ડિપ્લોમા ઇજનેરીની સરકારી 2418 બેઠકો આજે ઓનલાઇન ફાળવાશે


નવગુજરાત સમય > અમદાવાદ


ડિપ્લોમા એન્જિનિયરિંગની સરકારી કોલેજોની ખાલી પડેલી ૨૪૧૮ જેટલી બેઠકો માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન કન્સેન્ટ આપવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં અંદાજે ૫ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ આપી છે. આવતીકાલે આ સરકારી કોલેજ માટે કન્સેન્ટ આપનારા વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે કોલેજની ફાળવણી કરી દેવામાં આવશે. ત્યારબાદ સ્વનિર્ભર કોલેજોની ખાલી પડેલી ૨૮ હજાર બેઠકો માટે ઓફલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ માટે ૧૯૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને કન્સેન્ટ આપી છે. જેની સામે સરકારી કોલેજોમાં ઓછા વિદ્યાર્થીઓએ કન્સેન્ટ આપી છે.

સામાન્ય રીતે સ્વનિર્ભર કોલેજોની ખાલી પડેલી ૨૮ હજાર બેઠકો માટે ૧૯૨૦૦ વિદ્યાર્થીઓએ કન્સેન્ટ આપી છે. સરકારી કોલેજોની ખાલી પડેલી ૨૪૧૮ બેઠકો માટે માત્ર ૫ હજાર વિદ્યાર્થીઓએ કન્સેન્ટ આપી છે. સૂત્રો કહે છે ખરેખર સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ સરકારી કોલેજને પહેલા પ્રાધાન્ય આપતાં હોય છે. આ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો સ્વનિર્ભર કોલેજોમાં જેટલા વિદ્યાર્થીઓે કન્સેન્ટ આપી તે તમામે સરકારી કોલેજોમાં પ્રવેશ માટે પણ કન્સેન્ટ આપવી જોઇએ.

પરંતુ સરકારી કોલેજમાં ઓછા વિદ્યાર્થીઓે તૈયારી દર્શાવી છે. જેના કારણે સ્વનિર્ભર કોલેજો સંચાલકોએ ફ્રી શીપ કાર્ડના આધારે ભૂતિયા વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવી રાખ્યા હોવાની પ્રવેશ સમિતિની શંકા વધુ મજબૂત બની છે. આવતીકાલે સરકારી કોલેજની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ સ્વનિર્ભર કોલેજો માટે કન્સેન્ટ આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે રૂબરૂ બોલાવવામાં આવશે.

સૂત્રો કહે છે જે વિદ્યાર્થીઓએ કન્સેન્ટ આપી છે તે પૈકી કેટલા વિદ્યાર્થીઓ રૂબરૂ પ્રવેશ માટે આવે તે મહત્વું છે. જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવશે તે તમામની ખાસ તપાસ કરવામાં આવશે. ફ્રી શીપ કાર્ડના આધારે માત્ર સંખ્યા દર્શાવવા માટે કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીઓે મોકલ્યા નથી તેની ખરાઇ કરવામાં આ‌વશે. જે વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિમા ન આવે અને બેઠકો ખાલી પડે તે બેઠકો પાછળથી ભરવાની મંજૂરી કોલેજ સંચાલકોને આપવામાં આવશે નહીં. સૂત્રો કહે છે ખરેખર સ્વનિર્ભર કોલેજ સંચાલાકોએ ભૂતિયા વિદ્યાર્થીઓ નોંધ્યા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે જ વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવામાં આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો