ગાંધીનગરઃ આગામી દિવસોમાં કોરોનાના વાયરસનો ફેલવો વધે અને સ્થિતિને પહોંચી વળવાના પૂર્વાનુમાન વચ્ચે ગુજરાત સરકારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કોરોના હોસ્પિટલ ઉભી કરવાનું શરું કરી દીધું છે. રવિવાર સાંજ સુધીમાં રાજ્યમાં આ પ્રકારની ખાસ 3000 આઈસોલેશન બેડ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત આગામી 10 દિવસમાં બીજા 2900 બેડ તૈયાર થશે. આ તમામ આઈસોલેશન વોર્ડમાં ICU અને અલાયદી આઈસોલેશન વ્યવસ્થા કરવામાં આવી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:રાજ્યના રેવન્યુ વિભાગના એડિ. ચીફ સેક્રેટરી પંકજ કુમાર જેમને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કોવિડ-19 સામે લડવા માટેની સરકારીની તૈયારીઓની ઈનચાર્જ નિમવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, ‘બે સપ્તાહ પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને જણાવ્યું હતું કે કોરોના વાયરસના કહેર સામે લડવા માટે રાજ્યમાં તમામ પ્રકારની સુવિધા તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કહેરવાળા અમદાવાદ જિલ્લામાં અમે 1200 બેડની એક હોસ્પિટલને ફક્ત કોરોનાના દર્દીઓ માટેની હોસ્પિટલમાં ફેરવી નાખી છે. આ ઉપરાંત SVP હોસ્પિટલ અને સોલા હોસ્પિટલમાં આઈસોલેશનની વ્યવસ્થા સાથે બીજા કુલ 1000 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ જ રીતે રાજકોટમાં 500 બેડ અને વડોદરામાં 250 બેડની ખાસ વ્યવસ્થા સાથે ફક્ત કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે.’અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ‘આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ અન્ય 29 જિલ્લામાં ઓછામાં ઓછા 100 બેડ આઈસોલેશન અને ICUની સુવિધા સાથે ફક્ત કોરોનાના દર્દી માટે તૈયાર રાખવા જણાવ્યું છે. જે આગામી 10 દિવસની અંદર તૈયાર કરી દેવામાં આવશે. વરિષ્ઠ IAS અધિકારીઓને આ તમામ જિલ્લામાં ICU અને આઈસોલેશનની સુવિધા સાથેના ખાસ કોરોના દર્દીઓના બેડની વ્યવસ્થા કરવા માટેની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જરુર પડે તો કોરોના મહામારી સામે લડવા માટે હજુ પણ વધારે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગેના જુદા જુદા વિકલ્પો પર વિચાર કરી જ રહી છે.’