એપશહેર

એમ.ફાર્મમાં 4119 બેઠકો સામે મેરિટલિસ્ટમાં 605 વિદ્યાર્થીનો સમાવેશ

I am Gujarat 23 Jul 2016, 10:56 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 4119 605
એમ.ફાર્મમાં 4119 બેઠકો સામે મેરિટલિસ્ટમાં 605 વિદ્યાર્થીનો સમાવેશ


– એમ.ઇ. અને એમ.ફાર્મમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન કરેલા રજિસ્ટ્રેશન બાદ આજે મેરિટલિસ્ટ જાહેર કરી દેવાયું છે. બન્નેના મેરિટમાંથી ૩૯૪ જેટલા વિદ્યાર્થીઓને બાકાત રખાયા છે. બન્ને કોર્સ માટેની પરીક્ષા ઉપરાંત દસ્તાવેજો પુરતા ન હોવાના કારણે આ વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે. એમ.ફાર્મની બેઠકો સામે સૌથી ઓછા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એમ.ઇ. એટલે કે માસ્ટર ઓફ ઇજનેરીની ૬૭૦૦ બેઠકો માટે ૬૩૪૧ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી ૫૯૯૯ વિદ્યાર્થીઓનો મરિટમાં સમાવેશ કરાયો છે. આજ રીતે એમ.ફાર્મની ૪૧૧૯ બેઠકો માટે માત્ર ૬૭૮ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી માત્ર ૬૦૫ વિદ્યાર્થીઓનો મેરિટલિસ્ટમાં સમાવેશ કરાયો છે. ઇજનેરીમાં પ્રવેશ માટે ગેટ અને એમ.ફાર્મમાં પ્રવેશ માટે જીપેટ આપવી ફરજિયાત હોય છે. હવે આગામી તા. ૨૫મી અને ૨૭મીએ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેના આધારે ૨૯મીએ પરિણામ જાહેર કરાશે. એમ.ઇ. અને એમ.ફાર્મમાં પ્રવેશની પ્રક્રિયા ૩ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરાશે.ડિગ્રી એન્જિનિયરિંગની ૩૦ હજારથી વધારે બેઠકો ખાલી પડે છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી ઇજનેરી કરી ચુક્યા છે તે પૈકી અનેક વિદ્યાર્થીઓને હજુપણ નોકરી મળતી નથી. આ સ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ એમ.ઇ.માં પ્રવેશ મેળવી લેતાં હોય છે. જેના કારણે એમ.ઇ. ની કુલ બેઠકો પૈકી માત્ર ગણતરીની બેઠકો ખાલી પડી છે. આ ઉપરાંત એમ.ઇ. કર્યા પછી સ્વનિર્ભર બી.ઇ. કોલેજમાં પણ નોકરીની તકો મળતી હોવાથી પણ અનેક વિદ્યાર્થીઓ એમ.ઇ. કરવા ઇચ્છતાં હોય છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે એમ.ફાર્મમાં આ વખતે સૌથી વધુ બેઠકો ખાલી પડે તેમ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો