એપશહેર

ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 698 કેસ અને 3 મોત

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 9047 થઈ

I am Gujarat 4 Jan 2021, 7:32 pm
અમદાવાદઃ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનનો પગપેસારો થયો છે. કોરોના વાયરસ મહામારીમાં છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 14 મોત થયા છે તો મુંબઈમાં પણ 3 મોત નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 3 દુઃખદ મોત નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4321 થયો છે. જ્યારે ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ 9047 થઈ છે.
I am Gujarat 698 corona cases and 3 deaths in 24 hours in gujarat
ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 698 કેસ અને 3 મોત


24 કલાકમાં વધુ 898 દર્દીઓ થયા સ્વસ્થ
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,06,392 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 5,06,271 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 121 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. 24 કલાકમાં વધુ 898 દર્દીઓ રજા આપવામાં આવી છે. જેથી રાજ્યમાં કુલ 234558 વ્યક્તિઓ સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા



રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 142, સુરતમાં 124, વડોદરામાં 130 તેમજ રાજકોટમાં 64 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 9047 એક્ટિવ કેસમાંથી 60 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 8986ની હાલત સ્ટેબલ છે.

24 કલાકમાં વધુ 3 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં 24 કલાકમાં કોરોના મહામારીમાં વધુ 3 મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરતમાં 1 મોતનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4321એ પહોંચ્યો છે.

Read Next Story