એપશહેર

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર, સતત ત્રીજા દિવસે 1300થી વધુ કેસ નોંધાયા

રાજ્યમાં સાજા થવાનો દર 80.88% નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 81180 દર્દીઓ ડિસ્ચાર્જ થયા.

I am Gujarat 3 Sep 2020, 7:43 pm
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1300 કરતા વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1325 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 100375 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1126 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 81180 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કોરોનાના કારણે વધુ 16 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3064 થયો છે.
I am Gujarat pablo


ગુજરાતમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે મુજબ છે.

ગુજરાતમાં હાલ કુલ દર્દીઓની વિગત


રાજ્યમાં આજે કુલ 75,487 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.88% નોંધાયો છે.

રાજ્યમાં આજે નવા નોંધાયેલા કેસ અને ડિસ્ચાર્જની વિગતો આ મુજબ છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 3,853,406 કેસ નોંધાયા છે અને કુલ 67,376 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 2,970,492 દર્દીઓ સાજા થયા છે.

Read Next Story