અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા પાસે ST બસ અને કાર વચ્ચે અકસ્માત, ચાર યુવાનના મોત
આજે રાજ્યમાં ભુજ, અમદાવાદ-ભાવનગર હાઈવે, સુરેન્દ્રનગર અને અમદાવાદ-કચ્છ હાઈવે પર અકસ્માતોની વણઝાર સર્જાય છે જેમાં કુલ 10 લોકોના મોત થયા છે
I am Gujarat 24 Jan 2021, 8:56 pm
અમદાવાદ: રાજ્યમાં આજે અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. ભુજ નજીક કારે ટક્કર મારતા 3 યુવાનોના મોત થયા, તો અમદાવાદ-ભાવનગર હાઈવે પર ટ્રક-કાર વચ્ચેના અકસ્માતમાં 2ના મોત થયા. જ્યારે સુરેન્દ્રનગરના વણોદ પાસે કાર-બાઈક વચ્ચેના અકસ્માતમાં એક યુવાનનું મોત થઈ ગયું. અકસ્માતની આ ઘટનાઓનો આઘાત હજુ ઓછો થાય તે પહેલા જ અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા પાસે એસટી બસ અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતે બધાને હચમચાવી નાખ્યા. આ અકસ્માતમાં 4 આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યાં છે.
અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચે-ફૂરચા નીકળી ગયા. આ અકસ્માતમાં મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ ઈન્ટરસીટી બસ અને સોલડી ગામના યુવાનોની કારનો અકસ્માત થયો હતો. આ ચારેય યુવાનો કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.
મૃતકોની ઓળખ વિપુલ ભાઈ ગોવિંદભાઈ વાઢેર (ઉંમર 30) રહેવાસી સોલડી, રમેશભાઈ તળશીભાઇ રેવર (ઉંમર 35) રહેવાથી સોલડી, દીપકભાઈ ટોકર ભાઈ રાઠોડ (ઉંમર 33) રહેવાસી ધ્રાંગધ્રા અને દલપત ભાઈ મોતીભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત થયું છે.
એક જ ગામના ચાર આશાસ્પદ યુવાનોનું મોત થતા ગામ આખું હિબકે ચડ્યું છે. તમામ યુવકોના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી 2021 સુધી રોડ સેફ્ટી મંથ તરીકે જાહેર કર્યો છે. આ દરમિયાન લોકોને રોડ સેફ્ટી અંગેની માહિતી પહોંચડવામાં આવે છે. આ સમયગાળા જ દરમિયાન ગુજરાતના હાઈવે અને રસ્તાઓ પર અકસ્માતોની વણજાર સર્જાઈ છે.
અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચે-ફૂરચા નીકળી ગયા. આ અકસ્માતમાં મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ ઈન્ટરસીટી બસ અને સોલડી ગામના યુવાનોની કારનો અકસ્માત થયો હતો. આ ચારેય યુવાનો કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.
મૃતકોની ઓળખ વિપુલ ભાઈ ગોવિંદભાઈ વાઢેર (ઉંમર 30) રહેવાસી સોલડી, રમેશભાઈ તળશીભાઇ રેવર (ઉંમર 35) રહેવાથી સોલડી, દીપકભાઈ ટોકર ભાઈ રાઠોડ (ઉંમર 33) રહેવાસી ધ્રાંગધ્રા અને દલપત ભાઈ મોતીભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત થયું છે.
એક જ ગામના ચાર આશાસ્પદ યુવાનોનું મોત થતા ગામ આખું હિબકે ચડ્યું છે. તમામ યુવકોના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી 2021 સુધી રોડ સેફ્ટી મંથ તરીકે જાહેર કર્યો છે. આ દરમિયાન લોકોને રોડ સેફ્ટી અંગેની માહિતી પહોંચડવામાં આવે છે. આ સમયગાળા જ દરમિયાન ગુજરાતના હાઈવે અને રસ્તાઓ પર અકસ્માતોની વણજાર સર્જાઈ છે.