એપશહેર

ગુજરાત HCમાં ઘટસ્ફોટ: અમદાવાદમાં 900 હોસ્પિટલો પાસે ફાયર NOC જ નથી

શ્રેય હોસ્પિટલની NOC એપ્રિલ મહિનામાં જ પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું, 450 હોટલ-રેસ્ટોરન્ટ્સ અને 185 જેટલા ટ્યુશન ક્લાસીસ પાસે પણ જરૂરી ફાયર NOC ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

I am Gujarat 1 Oct 2020, 8:44 am
અમદાવાદ: અમદાવાદમાં 2200 હોસ્પિટલોમાંથી 900 હોસ્પિટલો પાસે ફાયર NOC જ નથી તેવો ગુજરાત હાઈકોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 8 કોરોનાના દર્દીઓના મોત મુદ્દે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. અરજીમાં ફાયર વિભાગે સોંગદનામું કર્યું છે કે, અમદાવાદમાં 2200 હોસ્પિટલ્સ અને ક્લિનિક્સમાંથી ફક્ત 1300 પાસે જ ફાયર NOC છે. ફાયર વિભાગેસોંગદનામાં એ પણ જણાવ્યું કે, શ્રેય હોસ્પિટલની ફાયર NOC એપ્રિલ મહિનામાં જ પૂર્ણ થઈ હતી.
I am Gujarat 3
શ્રેય હોસ્પિટલની NOC એપ્રિલ મહિનામાં જ પૂર્ણ થઈ ગઈ- ફાઈલ તસવીર


બુધવારે કેસની સુનાવણી દરમિયાન અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે સોંગદનામું રજૂ કરીને જણાવ્યું કે અમદાવાદમાં 1200 હોટલ રેસ્ટોરન્ટ્સ પૈકી 450 પાસે ફાયર NOC નથી. આ ઉપરાંત 2385 ટ્યૂશન ક્લાસીસ પૈકી 185 પાસે ફાયર NOC નથી. જ્યારે શહેરની મોચાભાગની તમામ 1200 ખાનગી-સરકારી શાળા-કોલેજો, 60 મૉલ -મલ્ટિપ્લેક્સ, 300 ફટાકડાની દુકાનો અને ઉત્પાદન એકમો, 80 પેટ્રોલ પમ્પ, 50 હંગામી પંડાલો ડોડે ફાયર માટેની જરૂરી NOC છે.

તમામ એકમોને નોટિસ પાઠવાશે
હાલ કોરોનાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ફાયર સેફ્ટીના મુદ્દે ઈમારતો સામે કાર્યવાહી ટાળવામાં આવી છે. પરંતુ હવે તમામ એકમોને નોટિસ પાઠવવામાં આવશે. સોંગદનામામાં જણાવ્યું છે કે, ઓગસ્ટ પછીથી તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સને AMC તરફથી જરૂર ફાયર એનઓસી લેવા માટેની તાકીદ કરવામાં આવશે અને અન્ય તમામ ઈમારતોને પણ NOC મુદ્દે નોટિસો આપવામાં આવશે.

શ્રેય હોસ્પિટલની ફાયર NOC એપ્રિલમાં જ પૂર્ણ

ચીફ ફાયર ઓફિસર તરફથી રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સમાં જણાવાયું છે કે, શ્રેય હોસ્પિટલને 2019માં સીડીમાં વેન્ટિલેશન લગાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ફાયર એનઓસી પણ એપ્રિલ 2020માં પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ રિન્યુઅલ માટે કોઈ અરજી કરવામાં આવી નથી. બીજી તરફ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં વધુ તપાસ માટે એક નવી રિટ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ શ્રેય હોસ્પિટલ મુદ્દે એડવોકેટ અમિત પંચાલે કરેલી મુખ્ય અરજીમાં જોડાવવા માટે એક અન્ય અરજી પણ થઈ છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના અભાવે દર્દીઓના કરૂણ મોત થયા છે. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને સાંભળવાની રજૂઆત કરવામાં આવી છે.

Read Next Story