એપશહેર

બોટાદમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમ ઝડપાયો, વાસી ઉત્તરાયણના દિવસે મળી આવ્યો હતો મૃતદેહ

15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે બોટાદ શહેરમાં એક નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, દુષ્કર્મ આચરીને બાળકીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડી લીધો છે અને તેણે પોતાનો ગુનો સ્વીકારી પણ લીધો છે. પોલીસ હવે પુરાવા એકત્રિત કરી રહી છે જેથી ચાર્જશીટ દાખલ કરી શકાય.

Edited byZakiya Vaniya | I am Gujarat 18 Jan 2023, 1:15 pm

હાઈલાઈટ્સ:

  • બોટાદ પોલીસે દુષ્કર્મ-હત્યાના આરોપીની ધરપકડ કરી.
  • નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો.
  • આરોપીએ ગુનો સ્વીકારી લીધો છે, પુરાવાની શોધ શરુ.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat botad
પોલીસે દુષ્કર્મના આરોપીને પકડી પાડ્યો.
બોટાદ- વાસી ઉત્તરાયણના દિવસે બોટાદ(Botad) શહેરમાં એક નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને લોકોએ ગુનેગારને શોધવા માટે વિરોધ પ્રદર્શન પણ શરુ કર્યા હતા. બોટાદના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વહેલીતકે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ રાજેશ ચૌહાણ તરીકે કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ બાદ પોલીસે પૃષ્ટિ કરી હતી કે હત્યા પહેલા બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 અને 376 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. બોટાદના DYSP મહર્ષિ રાવલે જણાવ્યું કે, દુષ્કર્મ અને હત્યાની પૃષ્ટિ કરવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ, બોટાદ શહેરની પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને કામ સોંપવામાં આવ્યુ હતું અને ટીમ તૈયાર કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે વધુમાં જણાવ્યું કે, જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેણે ગુનો સ્વીકારી લીધો છે અને પોલીસ હવે તેની વિરદ્ધ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પુરાવા એકઠા થશે પછી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પ્રાથમિક તપાસ અનુસાર, ગેંગરેપની શક્યતા જણાઈ નથી રહી.

આ ઘટના 15મી જાન્યુઆરીના રોજ બની હતી. રવિવારના રોજ યુવતી બપોરના 3 વાગ્યે ગુમ થઈ ગઈ હતી. ત્યારપછી લગભગ 11 વાગ્યે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુનામાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શહેરના ઢાંકણિયા રોડ પર બાળકી પતંગ લૂંટવા માટે ગઈ હતી અને અહીંથી આરોપી તેને એક દુર્ગમ સ્થળ પર લઈ ગયો અને દુષ્કર્મ આચર્યુ હતું અને પછી હત્યા કરવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરીજનોએ આરોપીને પકડવા માટે રેલી કાઢી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Read Next Story