એપશહેર

અદાણી ગ્રૂપે અમદાવાદ એરપોર્ટ પર ફ્રી પીકઅપ-ડ્રોપનો સમય 5થી વધારી 10 મિનિટનો કર્યો

અમદાવાદ એરપોર્ટ પર ફ્રી પીકઅપ-ડ્રોપ માટે 5 મિનિટનો સમય અપાયો હતો અને તેનાથી વધુ સમય થાય તો 90 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો હતો

I am Gujarat 2 Apr 2021, 11:59 pm
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનો વહીવટ અદાણી ગ્રૂપ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપે એરપોર્ટના ફ્રી પીકઅપ-ડ્રોપના સમયમાં ઘટાડો કર્યો હતો અને ચાર્જમાં વધારો કર્યો જેના કારણે ઘણો વિવાદ થયો હતો. જોકે, હવે અદાણી ગ્રૂપે પોતાના નિયમમાં ફેરફાર કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પર હવે ફ્રી પીકઅપ-ડ્રોપનો સમય 5થી વધારીને 10 મિનિટમાં કરી દેવામાં આવ્યો છે.
I am Gujarat ahmedabad airport2


અદાણી ગ્રૂપે ફ્રી પીકઅપ-ડ્રોપનો સમય પાંચ મિનિટ કરી દીધો હતો. પરંતુ એરપોર્ટમાંથી દાખલ થઈને બહાર આવતા 7થી 8 મિનિટનો સમય લાગે છે. પાંચ મિનિટ બાદ 90 રૂપિયા ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણયથી વિવાદ થયો હતો જેના કારણે આ નિર્ણય પાછો લેવામાં આવ્યો છે અને સમય 5 મિનિટથી વધારીને 10 મિનિટ કરી દેવામાં આવ્યો છે.

અદાણી ગ્રૂપ દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, ચર્ચા-વિચારણા બાદ તથા અમારા સહયોગીઓ અને મુસાફરો તરફથી મળેલા પ્રતિભાવને ધ્યાનમાં લઈને AAIAL મેનેજમેન્ટે પેસેન્જરને મૂકવા આવતા વાહનો માટે સમય મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે આ સમય મર્યાદા 5 મિનિટથી વધારીને 10 મિનિટ કરી દેવામાં આવી છે. આ ફેરફાર શુક્રવાર મધરાતથી અમલી બનશે.

જોકે, આ સાથે અદાણી ગ્રૂપે પેસેન્જર્સ પાસેથી સહયોગની અપેક્ષા રાખતા જણાવ્યું હતું કે, અદાણી એરપોર્ટ ખાતે અમે સુરક્ષિત સુવિધા સાથે એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તમ તથા આદર્શ અનુભવ પૂરો પાડવા કટિબદ્ધ છીએ. અમે આજે કરેલા ફેરફારોની સાથે મુસાફરો અને મુલાકાતીઓ પાસેથી એ પ્રકારના સહયોગની અપેક્ષા રાખીએ છીએ કે તેઓ એરપોર્ટના સંકુલમાં લાંબો સમય રોકાવા ઈચ્છતા હોય તો તેમના વાહનો નિર્ધારીત સ્થળે પાર્ક કરે.

અદાણી ગ્રૂર દ્વારા ફ્રી પીકઅપ-ડ્રોપનો સમય ઘટાડીને 5 મિનિટ કરવામાં આવ્યો હતો. જો તેનાથી વધુ સમય થાય તો 90 રૂપિયા ચાર્જ લેવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. જે નિયમ હવે બદલી દેવામાં આવ્યો છે.

Read Next Story