એપશહેર

અદાણી 7 નવેમ્બરથી સંભાળી લેશે અમદાવાદ એરપોર્ટનો વહીવટ

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ 7 નવેમ્બરથી અમદાવાદ એરપોર્ટના સંચાલનની કમાન પોતાના હાથમાં લઈ લેશે

Authored byNiyati Parikh | I am Gujarat 22 Oct 2020, 11:08 pm
અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ 7 નવેમ્બરથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના સંચાલનની કમાન પોતાના હાથમાં લઈ લેશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)એ ગુરૂવારે જારી કરેલા નિવેદનમાં આ વાત સામે આવી છે. યુનિયન મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન દ્વારા બુધવારે દિલ્હીમાં એએઆઈના મુખ્ય મથકે અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સાથે એક એમઓયુ કર્યો હતો.
I am Gujarat air port


આ એમઓયુ વિવિધ સેવાઓ માટે કરવામાં આવ્યા હતા જેમા કસ્ટમ્સ, ઈમિગ્રેશન, પ્લાન્ટ અને એનિમલ ક્વોરેન્ટીન, હેલ્થ અને સુરક્ષાની સેવાઓ સામેલ છે. તેવી જ રીતે એએઆઈ દ્વારા પણ અદાણી સાથે સીએનએસ-એટીએમ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઓપરેશન્સ, મેનેજમેન્ટ અને અમદાવાદ એરપોર્ટના વિકાસ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીઈ) અંતર્ગત કરાર કરવામાં આવ્યો હતો. જો સૂત્રોનું માનવામાં આવે તો એએઆઈ દ્વારા સપ્ટેમ્બર 11થી જ એરપોર્ટ ઓપરેટરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, કંપનીએ એએઆઈ સાથે 60 દિવસનો ઓબ્ઝર્વેશન પીરિયડ શરૂ કરી દીધો છે. પ્રક્રિયાના ભાગરૂપે એએઆઈ નવા ઓપરેટરને વિવિધ પ્રક્રિયાઓ અને કાર્યોની જવાબદારી આપશે અને તેમને ટેક ઓવરની પ્રક્રિયામાં મદદ કરશે.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં એઈએલ દ્વારા એએઆઈને પ્રતિ પેસેન્જર 177 રૂપિયા ચૂકવવાની એક બિડ મૂકવામાં આવી હતી. એએઆઈના ડેટા પ્રમાણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2019-20મા રેકોર્ડ 1.14 કરોડ પેસેન્જર્સ આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો