અમદાવાદ/ગાંધીનગરઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા ‘હોલિવૂડ’ સ્લમ એરિયામાં કોરોનાની એન્ટ્રી થતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. સ્લમ એરિયામાંથી સાત પોઝિટિવ દર્દીઓ સામે આવતા નજીકમાં આવેલા સમર્પણ સરકારી ફ્લેટ્સમાં રહેતા લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે. સમર્પણ ફ્લેટ્સમાં ટોચના બ્યૂરોક્રેટ્સ, પોલીસ ઓફિસર અને જજ રહે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:શનિવારે મ્યુનિસિપલ સ્વાસ્થ્ય કર્મચારીઓએ સમર્પણ કોમ્પલેક્ષને ડિસઈન્ફેક્ટ કર્યો હતો. કેટલાક અધિકારીઓએ તો તેમના પ્રાઈવેટ પ્રીમાઈસીસમાં પણ ડિસઈન્ફેક્શન સ્પ્રે મરાવ્યો હતો. સ્વાસ્થ્ય કર્મચારીઓએ ગુલબાઈ ટેકરામાં પોઝિટિવ આવેલા 7 લોકો અને તેમના પરિવારનો પણ સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમાંથી શું કોઈ સમર્પણ કોમ્પલેક્ષમાં કામ કરતું હતું કે કેમ? ગુલબાઈ ટેકરા વિસ્તારના લોકો ડોમેસ્ટિક હેલ્પર તરીકે સમર્પણ ફ્લેટ્સમાં જતા હોય છે.આ ઉપરાંત સમર્પણ અને ગુલબાઈ ટેકરા વચ્ચેનો રોડ IAS અને IPS અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા સતત ઉપયોગમાં લેવાતો હોય છે. સોમવારે સ્લમ વિસ્તારમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યું. તેના 24 કલાકમાં AMCએ સ્લમ્સમાં રહેતા 10,000 લોકો માટે હેલ્થ સર્વેલન્સ ડ્રાઈવ હાથ ધરી. કોર્પોરેશનને 206 શંકાસ્પદ કેસોમાંથી 200 લોકોને ટેસ્ટ કર્યા અને બુધવારે સવારે પોઝિટિવ કેસોનો આઈસોલેશનમાં મૂક્યા.સમર્પણ કોમ્પલેક્ષમાં રહેનારા સીનિયર અધિકારીએ કહ્યું, અમારા ત્યાં ઘરકામ માટે ગુલબાઈ વિસ્તારમાંથી માણસ આવે છે. પરંતુ શહેરમાં પહેલો કેસ નોંધાતા જ અમે તેમને કામ પર આવવાની ના પાડી દીધી હતી. ઘણા લોકોએ પહેલા જ કામ બંધ કરાવી દીધું હતું. જોકે સોસાયટીના કેટલાક ઘરોમાં બે દિવસ પહેલા સુધી ઘરકામ માટે લોકો આવતા હતા. આથી સોસાયટીમાં ભયનો માહોલ છે.’ અધિકારી આગળ કહે છે કે, સદનસીબે હજુ સુધી સમર્પણ ફ્લેટ્સમાં કોઈ પોઝિટિવ કેસ આવ્યા નથી.અન્ય સીનિયર અધિકારીએ જણાવ્યું, અમે સોસાયટીના બધા ગેટ લોક કરી દીધા છે અને બહારનું કોઈ અંદર ન પ્રવેશે તેનું પોલીસ ધ્યાન રાખી રહી છે. ડ્યુટી માટે બહાર જવું પડે તેવા ઓફિસરો બધી સાવચેતી સાથે ઘરમાં પ્રવેશતા હોય છે.