એપશહેર

માતા-પિતાએ છૂટાછેડા લઈ લીધા, 13 વર્ષની દીકરીએ કોર્ટને કહ્યું- ‘મોટી થઈને નાસામાં જોડાઈશ’

છૂટાછેડા પછી પિતા કેનેડા જતા રહ્યા અને માતાએ બીજા લગ્ન કર્યા, આટલી નાની ઉંમરમાં વૈજ્ઞાનિક બનીને નાસામાં જોડાવવાનું મોટું સપનું જોઈ રહી છે ટીનેજ દીકરી.

I am Gujarat 14 Jul 2021, 8:21 am

હાઈલાઈટ્સ:

  • માતા-પિતાના છૂટાછેડા પછી સૌથી વધારે પ્રભાવિત બાળકો થાય છે.
  • હાઈકોર્ટમાં ટીનેજ છોકરીની સમજ અને સ્પષ્ટતાનું ઉદારણ સામે આવ્યું.
  • માતા અને તેના બીજા પતિ સાથે અંબાજીમાં રહે છે 13 વર્ષની દીકરી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat gujarat hc
માતા-પિતાના છૂટાછેડા થાય અથવા લગ્નજીવનમાં વિખવાદ થાય ત્યારે સૌથી વધારે નુકસાન તેમના બાળકોને થતું હોય છે. આ પ્રકારના કેસમાં બાળકોની માનસિક સ્થિતિ ઘણી પ્રભાવિત થતી હોય છે. આટલુ જ નહીં, બાળકોના ઉછેર પર પણ ઘણી અસર થતી હોય છે. માતા-પિતાને અલગ થતાં જોનારા બાળકો સમય કરતાં પહેલા મોટા થઈ જાય છે અને ગંભીર પણ થઈ જાય છે. આવો જ એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં જોવા મળ્યો છે.

13 વર્ષની ટીનેજ છોકરી નિશાએ હાઈકોર્ટના જજને કહ્યું કે, હું અત્યારે નવમા ધોરણમાં ભણી રહી છું પરંતુ મારું સપનું વૈજ્ઞાનિક બનીને નાસામાં જોડાવવાનું છે. હાઈકોર્ટ પણ દીકરીના આ જવાબથી પ્રભાવિત થઈ ગઈ હતી અને આદેશ કર્યો હતો કે આવી સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવતી બાળકીની મનોસ્થિતિ પર કોઈ અવળી અસર ના પડે તે સુનિશ્ચિત કરવામાં આવે. હાઈકોર્ટના જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ બી.એન.કારિયાએ નિશાનો આ જવાબ સાંભળીને પોતાના આદેશમાં નોંધ્યું કે, ફેમિલી કોર્ટના આદેશ મુજબ બાળકીના પિતાને વિઝિટેશન માટેના અધિકાર આપવામાં આવ્યા છે, પરંતુ આ કેસમાં મનોવૈજ્ઞાનિકના રિપોર્ટ પરથી જણાઈ રહ્યું છે કે પિતાના આ અધિકારોનો અમલ કરવામાં આવશે તો બાળકીને અવળી માનસિક અસર થઈ શકે છે. તે અત્યારે જીવનના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરંતુ જીવન પ્રત્યેની તેની સમજ સ્પષ્ટ અને યોગ્ય છે. નવમા ધોરણમાં ભણતી હોવા છતાં સપના વૈજ્ઞાનિક બનવાના જોઈ રહી છે. તે યુવાની તરફ આગળ વધી રહી છે ત્યારે કોર્ટ તેની માનસિક શાંતિ અને સંતુલન અસ્થિર કરવા નથી ઈચ્છતી.
અ'વાદઃ પતિ, સાસુના પ્રેમી અને મામાજીની હરકતોથી ત્રાસી પરિણીતાનો આપઘાત

ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું કે, દીકરી અત્યારે પોતાની માતા અને તેના બીજા પતિ સાથે અંબાજી રહે છે. આ કુટુંબ સુખી-સંપન્ન જણાઈ રહ્યું છે. તેઓ દીકરીના હિત અને કલ્યાણને સુનિશ્ચિત કરશે તેમ લાગી રહ્યું છે. માટે ફેમિલી કોર્ટે દીકરીના પિતાને મુલાકાતના જે હક આપ્યા હતા તે રદ કરવાનો આદેશ આપ્યો છે. નિશા પુખ્તવયની થાય ત્યારે પિતા સાથે બોલવા અને મળવા અંગેના નિર્ણય જાતે લઈ શકે છે.

ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો: બ્રિજ નીચેથી મળેલી બાળકીનું દોઢ વર્ષે માતા સાથે મિલન

કેસની વિગતવાર વાત કરીએ તો અમદાવાદની ફેમિલી કોર્ટે પતિ-પત્નીના પરસ્પર સંમતિથી છૂટાછેડાને મંજૂર રાખતો આદેશ કર્યો હતો. આ દંપતીની નિશા(નામ બદલવામાં આવ્યું છે) નામની એક દીકરી હતી. તેની સાથે વાત કરવાના હક કેનેડા સ્થિતિ તેના પિતાને આપવામાં આવ્યા હતા. નિશાની માતાએ અંબાજીના એક વેપારી સાથે લગ્ન કર્યા હતા અને નિશા તેમની સાથે સુખી અને પ્રસન્ન જીવન પસાર કરી રહી છે. આ દરમિયાન હાઈકોર્ટ સમક્ષ પિતાએ અપીલ કરી હતી. જેમાં બાળ મનોચિકિત્સકે નિશા સાથે વાત કરીને રિપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો