એપશહેર

ગુજરાત પેટાચૂંટણી: કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિકનું ટ્વીટ- અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસમાં રહીશ

I am Gujarat 10 Nov 2020, 4:17 pm
ગુજરાતમાં 8 બેઠકો પર યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે પાંચ બેઠકો પર વિજય મેળવી લીધી છે. જ્યારે ત્રણ બેઠકો પર પણ પક્ષ આગળ છે. મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજા શરૂઆતની કાંટાની ટક્કર બાદ વિજેતા બન્યા. કરજણ બેઠક પર અક્ષય પટેલ 16 હજારતી વધુની લીડથી જીત્યા. અબડાસા, ગઢડા અને લિંબડી બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે. આ વચ્ચે હવે હાર્દિક પટેલનું એક ટ્વીટ સામે આવ્યું છે, જેમાં તે જીવનના છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં જ રહેવાની વાત કરી રહ્યો છે.
I am Gujarat hardik 3


ગુજરાતની પેટાચૂંટણીના પરિણામોમાં એકબાજું ભાજપ સારું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં હાર્દિકે લખ્યું છે કે, 'હાર-જીતના કારણે પક્ષ વેપારીઓ બદલે છે, વિચારધારાના અનુયાયી નહીં. લડીશ, જીતીશ અને છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં જ રહીશ.' આ ટ્વીટ સાથે જ હાર્દિક પટેલે પક્ષપલટું કરતા નેતાઓ પર પ્રહાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણી પહેલા જ કોંગ્રેસે હાર્દિક પટેલનો કાર્યકારી પ્રમુખ બનાવ્યો હતો. હાર્દિકે પેટાચૂંટણીમાં અનેક વિસ્તારોમાં ફરીને પ્રચાર માટે મહેનત પણ ખૂબ કરી હતી. જોકે હવે લાગી રહ્યું છે કે હાર્દિક પટેલે પેટાચૂંટણી ભાજપ વિરુદ્ધ કરેલો પ્રચાર કોંગ્રેસને લાભ અપાવી શક્યો નથી.

જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ હાર્દિકે ભાજપ વિરુદ્ધ જોરદાર પ્રચાર કર્યો હતો. અનામતના મુદ્દાને ઉઠાવી તેણે ઠેર-ઠેર સભાઓ ગજવી હતી. જોકે, મહેસાણા અને સુરત જેવા પાટીદારોના ગઢ ગણાતા મતક્ષેત્રોમાં પણ ભાજપનો વિજય થયો હતો. આ ઉપરાંત, હાર્દિકે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. તે પોતે પણ જામનગર બેઠક પરથી ચૂંટણી લડવા માગતો હતો, પરંતુ વિસનગરમાં તોડફોડના કેસમાં સજા થતાં તે ચૂંટણી નહોતો લડી શક્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો