અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાંથી મુક્તિ મળ્યા બાદ એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે, હાર્દિક પટેલ હવે રાજસ્થાન જઈ શકે છે. એવો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે કે, હાર્દિક થોડો સમય દિલ્હીમાં પણ રહેશે. રાજસ્થાનને પસંદ કરવા પાછળ એ કારણ જણાવાઈ રહ્યું છે કે, તે ગુજરાતથી નજીક છે. હાર્દિકને રાજ્યદ્રોહના 2 આરોપોમાં જામીન અપાયા છે. તેને 6 મહિના સુધીની મુક્તિ મળી છે અને સાથે જ તેને આ દરમિયાન ગુજરાતથી દૂર રહેવાની તાકીદ કરાઈ છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓનો દાવો છે કે, હરિયાણાના જાટ અને રાજસ્થાનના ગુર્જર નેતાઓ તરફથી હાર્દિકને આમંત્રણ મળ્યું છે. તેમણે હાર્દિકને રહેવા-જમવા વગેરેની સાથે-સાથે અનામતનું આંદોલન ચલાવવાની સુવિધાઓ આપવાની પણ ઓફર કરી છે.
પાટીદાર સમિતિ (રાજકોટ)ના સંયોજક વૃજેશ પટેલે જણાવ્યું કે, પાટીદાર નેતાઓ સહિત લગભગ 2 લાખ કાર્યકર્તાઓ સોમવારે મુક્તિ બાદ હાર્દિકને મળવા સૂરત પહોંચશે. આશા છે કે, પાટીદાર નેતા રાજસ્થાનને જ હાર્દિકનું આગામી (અસ્થાયી) નિવાસસ્થાન પસંદ કરે, કેમકે તે ગુજરાતની નજીક છે. જેથી અન્ય નેતાઓને હાર્દિકને મળવા જવામાં સરળતા રહે.
હાર્દિકના પિતા ભરત પટેલનું કહેવું છે કે, ‘અમે ઈચ્છીએ છીએ કે હાર્દિક ગુજરાતમાં જ રહે, પરંતુ અમે કોર્ટના ઓર્ડરનું સન્માન કરીએ છીએ. હાર્દિકના આગામી નિવાસસ્થાન સંબંધે નિર્ણય લેવાની જવાબદારી અમે પાર્ટી ઉપર છોડી દીધી છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓનો દાવો છે કે, હરિયાણાના જાટ અને રાજસ્થાનના ગુર્જર નેતાઓ તરફથી હાર્દિકને આમંત્રણ મળ્યું છે. તેમણે હાર્દિકને રહેવા-જમવા વગેરેની સાથે-સાથે અનામતનું આંદોલન ચલાવવાની સુવિધાઓ આપવાની પણ ઓફર કરી છે.
પાટીદાર સમિતિ (રાજકોટ)ના સંયોજક વૃજેશ પટેલે જણાવ્યું કે, પાટીદાર નેતાઓ સહિત લગભગ 2 લાખ કાર્યકર્તાઓ સોમવારે મુક્તિ બાદ હાર્દિકને મળવા સૂરત પહોંચશે. આશા છે કે, પાટીદાર નેતા રાજસ્થાનને જ હાર્દિકનું આગામી (અસ્થાયી) નિવાસસ્થાન પસંદ કરે, કેમકે તે ગુજરાતની નજીક છે. જેથી અન્ય નેતાઓને હાર્દિકને મળવા જવામાં સરળતા રહે.
હાર્દિકના પિતા ભરત પટેલનું કહેવું છે કે, ‘અમે ઈચ્છીએ છીએ કે હાર્દિક ગુજરાતમાં જ રહે, પરંતુ અમે કોર્ટના ઓર્ડરનું સન્માન કરીએ છીએ. હાર્દિકના આગામી નિવાસસ્થાન સંબંધે નિર્ણય લેવાની જવાબદારી અમે પાર્ટી ઉપર છોડી દીધી છે.