એપશહેર

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજામાં જ વિસ્તારમાં લાગ્યા તેમના વિરોધમાં પોસ્ટરો

Hitesh Mori | I am Gujarat 2 Nov 2017, 7:22 pm
અમદાવાદઃ ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજ્યમાં ગુનાખોરી પ્રવૃત્તિ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તાર વટવા, રામોલ, વસ્ત્રાલ અને સીટીએમમાં છેલ્લા 15 દિવસ દરમિયાન ઘરફોડ ચોરી, લૂંટ, ખુન જેવા ગંભીર ગુનાઓ વધી રહ્યા છે. આ વિસ્તારોમાં કાયદા અને સુરક્ષા મામલે મોટા સવાલો ઊભા થાય છે. આ કારણે જ આ વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રોષે ભરાયેલા લોકોએ બુધવારે રાતના સમયે પ્રદીપસિંહ જાડેજાના મતવિસ્તારમાં કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં ગૃહ મંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. જો કે, વહેલી સવારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ પોસ્ટર્સ ઉતારી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા લોકોએ વિવિધ વિસ્તારમાં ચક્કાજામ કરી પોલીસ સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો